
ઈસરોના પ્રમુખે ઈનસેટ-3ડીએસના લોન્ચિંગ પહેલા શ્રી ચેંગલામ્મા મંદિરમાં શીશ ઝુકાવ્યું
બેંગ્લોરઃ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) આજે તેનો હવામાન ઉપગ્રહ INSAT-3DS લોન્ચ કરશે. આ લોન્ચિંગનો હેતુ હવામાન અને કુદરતી આફતો વિશે સચોટ માહિતી મેળવવાનો છે. દરમિયાન ઈસરોનાના વડાએ INSAT-3DS ઉપગ્રહના સફળ પ્રક્ષેપણને ચિહ્નિત કરવા આંધ્ર પ્રદેશના સુલ્લુરપેટમાં શ્રી ચેંગલમ્મા મંદિરમાં દર્શન કરીને સફળતા માટે પ્રાર્થના કરી હતી. ઇસરોના વડા એસ સોમનાથે પૂજા કર્યા બાદ જણાવ્યું હતું કે, ‘INSAT-3DS આજે સાંજે 5.35 વાગ્યે લોન્ચ થશે. હવામાન અને કુદરતી આફતોની સચોટ માહિતી માટે તેને લોન્ચ કરવામાં આવી રહ્યું છે. આ ઉપગ્રહ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય માટે બનાવવામાં આવ્યો છે. ઉપગ્રહોની ઇનસેટ શ્રેણીનો આ ત્રીજો ઉપગ્રહ છે.
GSLV F14 રોકેટ હવામાન ઉપગ્રહ INSAT-3DS ને પૃથ્વીની જીઓસ્ટેશનરી ભ્રમણકક્ષામાં મૂકશે. આ મિશનનું સંપૂર્ણ ભંડોળ ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્રક્ષેપણ અવકાશની દુનિયામાં ભારતના વધતા વર્ચસ્વ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. INSAT-3DS ઉપગ્રહ સમુદ્રની સપાટીનો વિગતવાર અભ્યાસ કરશે, જે હવામાનની સચોટ માહિતી આપશે, તેમજ કુદરતી આફતો વિશે વધુ સારી આગાહી કરશે. જ્યારે કુદરતી આફતો અંગેની સચોટ માહિતી અગાઉથી મળી જશે ત્યારે તેને રોકવા માટે અસરકારક પગલાં લેવામાં આવશે. આ વેધર સેટેલાઇટ ભારતીય હવામાન એજન્સીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. ઈનસેટ 3ડીએસનું લોન્ચિંગ જે રોકેટ જેએસએલવી એફ 14થી થશે. જેને નોટી બોય પણ કહેવામં આવે છે. નોટી બોય એટલા માટે કહેવામાં આવે છે કે, જીએસએલવી એફ 14નું આ 16મું મિશન હશે.