1. Home
  2. ગુજરાતી
  3. કાશી વિશ્વનાથ ઘામનું કાર્ય 33 મહિના બાદ પૂર્ણઃ 13 ડિસેમ્બરના રોજ પીએમ મોદી કરશે લોકાર્પણ
કાશી વિશ્વનાથ ઘામનું કાર્ય 33 મહિના બાદ પૂર્ણઃ  13 ડિસેમ્બરના રોજ પીએમ મોદી કરશે લોકાર્પણ

કાશી વિશ્વનાથ ઘામનું કાર્ય 33 મહિના બાદ પૂર્ણઃ 13 ડિસેમ્બરના રોજ પીએમ મોદી કરશે લોકાર્પણ

0
Social Share
  • કાશી વિશ્વનાથ ઘારનું કાર્ય પૂર્ણ
  • 13 તારીખે પીએમ મોદીના હસ્તે થશે લોકાર્પણ

દિલ્હીઃ- વડાપ્રધાન દ્વારા સમર્પિત થનાર શ્રી કાશી વિશ્વનાથ ધામના પ્રથમ તબક્કાનું કામ શુક્રવારે સંપૂર્ણ પૂર્ણ થયું હતું. ઉલ્લેખનીય છે કે 33 મહિના પછી ધામમાંથી મશીનોનું કાર્ય સંપૂર્ણ બંધ થયું છે,  બહાર કાઢવામાં આવ્યા જો કે, કાર્યકારી સંગઠન PSPએ ધામની પૂર્ણાહુતિ માટે 12 કલાકનો વધારાનો સમય માંગ્યો છે.

વડાપ્રધાન જ્યાં મુલાકાત લેશે તે ઇમારતોને શણગારવામાં આવી રહી છે. સફાઈની કામગીરી  પણશરૂ કરવામાં આવી છે. વિભાગીય કમિશનરે માહિતી આપતા જણાવ્યું હતું કે ધામનું કામ પૂર્ણ થઈ ગયું છે. 12 ડિસેમ્બરે મંદિર વહીવટીતંત્ર તેને કાર્યકારી સંસ્થા પાસેથી સોંપશે.3મી ડિસેમ્બરે પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે કાશી વિશ્વનાથ ધામનું ઉદ્ઘાટન અલૌકિક, અદ્ભુત અને અકલ્પનીય હશે.

શુક્રવારે વિભાગીય કમિશનરે અધિકારીઓ સાથે શ્રી કાશી વિશ્વનાથ ધામના કામોની સમીક્ષા કરી હતી. નિરીક્ષણ દરમિયાન ઘણી જગ્યાએ લાઇટિંગ નબળી જોવા મળી હતી. વિભાગીય કમિશનરે અધિકારીઓને લાઈટો વધારવા સૂચના આપી હતી.

ઉલ્લેખનીય છે કે ઔરંગઝેબના આદેશ બાદ 1669માં મુઘલ સેના દ્વારા વિશ્વેશ્વરનું મંદિર તોડી પાડવામાં આવ્યું હતું. સ્વયંભૂ જ્યોતિર્લિંગને કોઈ નુકસાન ન થાય તે માટે મંદિરના મહંતે શિવલિંગ સાથે જ્ઞાનવાપી કુંડમાં ઝંપલાવ્યું હતું. હુમલા દરમિયાન, મુઘલ સેનાએ મંદિરની બહાર સ્થાપિત વિશાળ નંદીની પ્રતિમાને તોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સેનાના તમામ પ્રયાસો પછી પણ તેઓ નંદીની પ્રતિમાને તોડી શક્યા ન હતા. ત્યારથી વિશ્વનાથ મંદિર પરિસરથી દૂર આવેલ જ્ઞાનવાપી કૂવો અને વિશાળ નંદી ફરી એકવાર વિશ્વનાથ મંદિર પરિસરમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code