
યુક્રેનની રાજધાની કિવમાં કોઈ ભારતીય નહીં હોવાનો દાવો
- રશિયાએ યુક્રેનના કેટલાક શહેરો પર આક્રમણ
- કિવના રહેવાસીઓને તેમના ઘર છોડીને થયા પલાયન
નવી દિલ્હી: ભારતે છેલ્લા 24 કલાકમાં યુક્રેનમાંથી 1,377 નાગરિકોને બહાર કાઢ્યા છે, એમ વિદેશ પ્રધાન એસ જયશંકરે આજે જણાવ્યું હતું. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં છ ફ્લાઈટ્સ હવે ભારત માટે રવાના થઈ છે, જેમાં પોલેન્ડની પ્રથમ ફ્લાઈટ્સનો પણ સમાવેશ થાય છે. યુક્રેનમાંથી 1377 વધુ ભારતીય નાગરિકોને પાછા લઈ ગયા. બીજી તરફ યુક્રેનની રાજધાની કિવમાં હવે કોઈ ભારતીય નહીં હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
યુક્રેનમાં નાગરિકોને બહાર કાઢવા માટે શરૂ કરાયેલ ઓપરેશન ગંગા હેઠળ, ભારત આગામી ત્રણ દિવસમાં 26 થી વધુ ફ્લાઇટ્સનું સંચાલન કરશે. યુક્રેનની એરસ્પેસ બંધ હોવાથી, ભારતીયોને બહાર કાઢવા માટે રોમાનિયા, હંગેરી, પોલેન્ડ અને સ્લોવાક રિપબ્લિકના એરપોર્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ભારતીય વાયુસેનાએ ઓપરેશન ગંગાના ભાગરૂપે રોમાનિયામાં C-17 એરક્રાફ્ટ મોકલ્યું છે. વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ પત્રકારોને જણાવ્યું હતું કે યુક્રેનની રાજધાની કિવમાં એક પણ ભારતીય બચ્યો નથી.
લગભગ 16,000 ભારતીય વિદ્યાર્થીઓ હજુ પણ યુક્રેનમાં ફસાયેલા છે. ગુરુવારે રશિયન દળોએ યુક્રેન પર તેમના આક્રમણની શરૂઆત કરી ત્યારથી, ફસાયેલા વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા દ્વારા, સરહદી ચોકીઓ, રેલવે સ્ટેશનો, અને બંકરોમાંથી તેમની દુર્દશાના વિડિયો ફોરવર્ડ કરીને મદદ માંગી રહ્યા છે. જ્યારે જોવાનુંએ રહશે કે ભારત ની સરકાર તે બચેલા વિધ્યાર્થી ને બચવા શું પગલાં લેશે.