1. Home
  2. ગુજરાતી
  3. જાણો કેન્દ્રનો આ નવો નિયમ જેમાં નિવૃત્ત પામેલા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ અને જજને અપાશે આ ખાસ સુવિધા – નિવૃત્ત પામેલા એનવી રમન લાભ લેનારા પ્રથમ ન્યાયાધીશ
જાણો કેન્દ્રનો આ નવો નિયમ જેમાં નિવૃત્ત પામેલા સુપ્રીમ કોર્ટના  ચીફ જસ્ટિસ અને જજને અપાશે આ ખાસ સુવિધા – નિવૃત્ત પામેલા એનવી રમન લાભ લેનારા પ્રથમ ન્યાયાધીશ

જાણો કેન્દ્રનો આ નવો નિયમ જેમાં નિવૃત્ત પામેલા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ અને જજને અપાશે આ ખાસ સુવિધા – નિવૃત્ત પામેલા એનવી રમન લાભ લેનારા પ્રથમ ન્યાયાધીશ

0
Social Share
  • સુપ્રીમ કોર્ટના જજ અને મુખ્ય ન્યાયાધિશ માટે સરકારનો નવો નિયમ
  • રિટાર્ડ થયા બાદ પણ સરકાર આપી રહી છે સુવિધા

દિલ્હીઃ- દેશની સરકાર ભારતની સર્વિસ સાથે જોડાયેલા મહત્વના લોકોને ખાસ સુવિધાઓ આપવા માટે અથાગ પ્રયત્ન કરતી રહે છે ત્યારે હવે સરકાર સુપ્રિમકોર્ટના ચીફ જસ્ટિસ અને જજને રિટાયર્ડ થયા બાદ પ ણખાસ સુવિધા આપવાની તૈયારી કરી રહી છે.

પ્રાપ્ત વગતો પ્રમાણે કેન્દ્ર સરકારે જણઆવેલી વિગતો અનુસાર ભારતના મુખ્ય ન્યાયાધીશને નિવૃત્તિ પછી 6 મહિના માટે ભાડનં લીધા વિના મકાનની સુવિધા મળશે, જ્યારે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને નિવૃત્તિ પછી એક વર્ષ માટે રાઉન્ડ ધ ક્લોક સુરક્ષા મળશે.

 ન્યાય વિભાગ, કાયદા મંત્રાલયે સુધારેલા ‘સુપ્રિમ કોર્ટના જજ નિયમ’ને સૂચિત કર્યું છે, જે હેઠળ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશોને નિવૃત્તિની તારીખથી એક વર્ષ માટે કાર ડ્રાઈવરની સુવિધા અને સચિવ સહાય આપવામાં આવશે.

સુધારેલા નિયમ અનુસાર, “નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ અથવા નિવૃત્ત ન્યાયાધીશ એરપોર્ટ પર ઔપચારિક લાઉન્જમાં શુભેચ્છાના પ્રોટોકોલ માટે હકદાર હશે.” સૂચના અનુસાર, તેમને સચિવાલયના સહાયકો દ્વારા મદદ કરવામાં આવશે, જેઓ સુપ્રીમ કોર્ટમાં શાખા અધિકારીના રેન્કના હશે.

અધિકારીઓ પાસેથી મળતી વિગત પ્રમાણે જો વાત કરીએ તો  સુપ્રીમ કોર્ટમાં જજોની મંજૂર સંખ્યા 34 છે અને દર વર્ષે સરેરાશ ત્રણ જજો નિવૃત્ત થાય છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમન નિવૃત્તિ પછી સુવિધાઓના નવા નિયમનો લાભ લેનારા પ્રથમ ન્યાયાધીશ હશે,

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code