નાળિયેર તેલ વાળ માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. વાળ ધોતા પહેલા નાળિયેર તેલથી વાળમાં માલિશ કરવાથી વાળ સ્વસ્થ અને મજબૂત બને છે. નારિયેળનું તેલ લગાવવાથી વાળની અનેક પ્રકારની સમસ્યાઓ પણ દૂર થાય છે. જો કે આજકાલ લોકો તેલથી દૂર ભાગે છે. જેના કારણે વાળ ઝડપથી ખરવા લાગ્યા છે.વાળ તૂટવાને કારણે સમય પહેલા ટાલ પડવાની ફરિયાદો શરૂ થઈ ગઈ છે. તે જ સમયે વાળ તૂટવાને કારણે કેટલાક લોકોમાં બેબી હેયર્સ વધી જાય છે. જો તમે વાળની સમસ્યા દૂર કરવા માંગો છો તો તમારા વાળમાં નિયમિતપણે નારિયેળ તેલ લગાવો. તેલને વધુ ફાયદાકારક બનાવવા માટે નારિયેળના તેલમાં આ 3 વસ્તુઓ મિક્સ કરો. તેનાથી વાળની દરેક સમસ્યા દૂર થઈ જશે.
નારિયેળ તેલ અને લીમડાના પાન- લીમડાના પાંદડા વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. જે લોકો વાળ ખરવાથી પરેશાન છે તેમણે નારિયેળના તેલમાં લીમડાના પાન મિક્સ કરીને લગાવવું જોઈએ. તેનાથી ગ્રોથ સુધરશે અને વાળ ખરતા પણ ઘટશે. લીમડાના પાંદડામાં બીટા કેરોટીન અને પ્રોટીન હોય છે જે વાળને સારી વૃદ્ધિ આપે છે.
તેમાં એન્ટીઓક્સીડેન્ટ, એમિનો એસિડ અને અન્ય પોષક તત્વો મળી આવે છે, જે વાળના તૂટવાને ઘટાડે છે. તમે સૂકા અથવા લીલા કોઈ પણ લીમડાના પાંદડા લઈને નારિયેળના તેલ સાથે ઉકાળી લો.જ્યારે તેલ ઠંડુ થઈ જાય તો તેને ગાળી લો. શેમ્પૂ કરતા પહેલા તેને વાળમાં લગાવો.
નાળિયેર તેલ અને કલોંજી – આ બે વસ્તુઓ વાળ માટે વરદાનથી ઓછી નથી. કલોંજીમાં વિટામિન એ, બી અને સી હોય છે. કલોંજી બીજ મેગ્નેશિયમ, ઝીંક, આયર્ન, પોટેશિયમ અને ફેટી એસિડનો સ્ત્રોત છે. કલોંજીને વાળ પર ઉપયોગ કરવાથી સ્પ્લિટ એન્ડ્સની સમસ્યા ઓછી થાય છે.કલોંજી વાળું નાળિયેર તેલ લગાવવાથી વાળ ખરવાનું ઓછું થાય છે. 1 ચમચી કલોંજીને પીસીને તેને નારિયેળ તેલમાં મિક્સ કરો. હવે તેને 3-4 દિવસ માટે આમ જ રહેવા દો. લગાવતા પહેલા તેને સહેજ ગરમ કરો અને વાળમાં લગાવો.
નાળિયેર તેલ અને જાસૂદના ફૂલો- હિબિસ્કસ વાળ માટે અજાયબીઓનું કામ કરે છે. આ તેલથી વાળ સ્વસ્થ બને છે. જાસૂદનું તેલ લગાવવાથી વાળ ખરવાનું ઓછું થાય છે. જાસૂદના ફૂલોનો ઉપયોગ કરવાથી વાળ સફેદ થવાની સમસ્યા ઓછી થાય છે. તેનાથી શરીરને વિટામિન A અને C મળે છે. આ તેલ બનાવવા માટે, મુઠ્ઠીભર હિબિસ્કસના ફૂલોને ધોઈ લો અને તેને તડકામાં સૂકવી દો. હવે નાળિયેર તેલ ગરમ કરો અને તેમાં હિબિસ્કસના ફૂલો ઉમેરો અને પકાવો. તેલ ઠંડુ થાય એટલે તેને ગાળીને રાખો. તેને વાળમાં 1 કલાક માટે લગાવો.