
દ્રૌપદી મુર્મુ કેરળના ચાર દિવસના પ્રવાસે તિરુવનંતપુરમ પહોંચ્યા
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સાંજે કેરળના ચાર દિવસના પ્રવાસે તિરુવનંતપુરમ પહોંચ્યા. કેરળના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેરકર, મુખ્યમંત્રી પિનરાયી વિજયન અને અન્ય વરિષ્ઠ મહાનુભાવો દ્વારા તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર રાષ્ટ્રપતિનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.
રાષ્ટ્રપતિ આવતીકાલે દર્શન માટે સબરીમાલા મંદિરની મુલાકાત લેશે. તેઓ ગુરુવારે કેરળ રાજભવન ખાતે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કે આર નારાયણનની પ્રતિમાનું અનાવરણ કરશે.