1. Home
  2. ગુજરાતી
  3. વડનગરમાંથી મળેલા સદીઓ જૂના હાડપિંજરનું રહસ્ય ઉકેલાયું
વડનગરમાંથી મળેલા સદીઓ જૂના હાડપિંજરનું રહસ્ય ઉકેલાયું

વડનગરમાંથી મળેલા સદીઓ જૂના હાડપિંજરનું રહસ્ય ઉકેલાયું

0
Social Share

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના વડનગર શહેરમાં ખોદકામ દરમિયાન અહીં સદીઓ જૂની વસ્તીના પુરાવા મળ્યા છે. ઐતિહાસિક શહેર વડનગરમાં 2800 વર્ષ જૂના ઈતિહાસના અનેક પુરાવા મળ્યા બાદ અહીં વિશ્વનું બીજું સૌથી મોટું મ્યુઝિયમ બનાવવામાં આવી રહ્યું છે. ખોદકામ દરમિયાન મળેલા પ્રાચીન અવશેષોને અહીંના આ મ્યુઝિયમમાં રાખવામાં આવશે.

આ વર્ષની શરૂઆતમાં 17 જાન્યુઆરીએ વડનગરમાં હજારો વર્ષ જૂની માનવ વસ્તીના પુરાવા મળ્યા હતા. આ સમયગાળા દરમિયાન અહીં 11 હાડપિંજર મળી આવ્યા હતા. હાડપિંજરની તપાસમાં ચોંકાવનારી માહિતી મળી છે. નિષ્ણાતોના મતે આ હાડપિંજર તાજિકિસ્તાનના નાગરિકનું છે. ગુજરાતથી તાજિકિસ્તાનનું અંતર લગભગ 1800 કિલોમીટર છે. તજાકિસ્તાનનો આ નાગરિક ગુજરાતમાં કેમ આવ્યો હશે અને અહીં કયા સંજોગોમાં તેનું મોત થયું હશે તે જાણીને નિષ્ણાતો અચંબામાં પડી ગયા છે.

11 માનવ હાડપિંજરમાંથી સંશોધન માટે નવી દિશા

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ખડગપુર, આર્કિયોલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયા (ASI), ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL), જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) અને ડેક્કન કૉલેજની સંશોધન ટીમ દ્વારા અહીં ખોદકામ કરવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન વડનગરમાંથી 2800 વર્ષ જૂની માનવ સભ્યતાના પુરાવા મળ્યા છે. આ બધી વસ્તુઓ ઈ.સ.ના 800 વર્ષ પહેલાની છે. હાલમાં આ તમામ બાબતો પર સંશોધન ચાલી રહ્યું છે.

વડનગરમાંથી મળી આવેલા અવશેષો પૈકી 11 માનવ હાડપિંજરોએ સંશોધન દરમિયાન એક અલગ જ પરિમાણ આપ્યું છે. તમામ હાડપિંજર 150 થી 600 વર્ષ જૂના હોવાનું કહેવાય છે. આ તમામ હાડપિંજર વડનગરમાં શર્મિષ્ઠા તળાવના ખોદકામ દરમિયાન મળી આવ્યા હતા.

ASIના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર આ હાડપિંજર તાજિકિસ્તાનના નાગરિકનું છે. તાજિકિસ્તાન ગુજરાતથી લગભગ 1800 કિલોમીટરના અંતરે છે. સવાલ એ છે કે તાજીકિસ્તાનનો નાગરિક વર્ષો પહેલા વડનગર કેમ આવ્યો અને તેનું ગુજરાત કનેક્શન શું છે. જોકે, હાડપિંજર સાબિત કરી રહ્યું છે કે વડનગરમાં તજાકિસ્તાનના નાગરિકનું મોત થયું છે.

ખૂબ જ પ્રાચીન બૌદ્ધ મઠ પણ જોવા મળે છે

ASI પુરાતત્વ નિષ્ણાત અભિજિત આંબેકરે જણાવ્યું હતું કે ઊંડા ખોદકામ દ્વારા, સાત સાંસ્કૃતિક સમયગાળા – મૌર્ય, ઈન્ડો-ગ્રીક, શક-ક્ષત્રપ, હિંદુ-સોલંકી, સલ્તનત-મુઘલ (ઈસ્લામિક) અને ગાયકવાડ-બ્રિટિશ વસ્તીના શાસનની માહિતી પ્રાપ્ત થઈ છે. સૌથી જૂનો બૌદ્ધ મઠ પણ અહીં ખોદકામ દરમિયાન મળી આવ્યો હતો. આ સિવાય અનોખી પુરાતત્વીય કલાકૃતિઓ, માટીની કળા, તાંબા, સોનું, ચાંદી અને લોખંડની જટિલ ડિઝાઇન કરેલી બંગડીઓ અહીં મળી આવી છે. આ ઉપરાંત ઈન્ડો-ગ્રીક શાસનના ગ્રીક રાજા એપોલોડેટ્સના સિક્કાનો ઘાટ પણ મળી આવ્યો છે.

7 માનવ સભ્યતા માટે સાત અલગ અલગ માળ હશે

વડનગરના પુરાતત્વીય ખોદકામ દરમિયાન મળેલી અમૂલ્ય વસ્તુઓને કારણે સરકાર અહીં વિશ્વનું બીજું સૌથી મોટું મ્યુઝિયમ બનાવી રહી છે. આ એશિયાનું પ્રથમ અનુભવ મ્યુઝિયમ હશે. અહીં 2800 વર્ષ પહેલાની માનવ સભ્યતાના વિકાસની સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ થશે. વર્ષો પહેલા માણસો કેવા પ્રકારનું જીવન જીવતા હતા તેનો લોકોને અહેસાસ કરાવવામાં આવશે. આ ઉપરાંત ખોદકામ દરમિયાન મળેલી પુરાતત્વીય મહત્વની વસ્તુઓ પણ અહીં રાખવામાં આવશે. સાત અલગ અલગ સમયગાળા દર્શાવતા સાત માળ અહીં તૈયાર કરવામાં આવશે.

વડનગર એ એક શહેર છે જે વૃધ્ધનગર, આનંદપુર, અનંતપુર અને નગર જેવા નામોથી ઓળખાય છે. એવું કહેવાય છે કે તે 2,700 વર્ષથી વધુ સમયથી વસે છે. 2006 માં, જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા અને શહેરને બૌદ્ધ ધર્મના કેન્દ્ર તરીકે પ્રકાશિત કર્યું, ત્યારે અહીં અનેક પુરાતત્વીય ખોદકામ શરૂ થયું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code