1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. આર્ટિકલ 370 હટાવવાના 17 મહિના બાદ સરકારે સિવિલ સર્વિસીઝની જમ્મૂ-કાશ્મીર કેડરને કરી ખતમ
આર્ટિકલ 370 હટાવવાના 17 મહિના બાદ સરકારે સિવિલ સર્વિસીઝની જમ્મૂ-કાશ્મીર કેડરને કરી ખતમ

આર્ટિકલ 370 હટાવવાના 17 મહિના બાદ સરકારે સિવિલ સર્વિસીઝની જમ્મૂ-કાશ્મીર કેડરને કરી ખતમ

0
Social Share
  • સરકારે જમ્મૂ-કાશ્મીર રીઓર્ગેનાઇઝેશન એક્ટ 2019માં સંશોધન માટે નોટિફિકેશન જારી કર્યું
  • કેન્દ્ર સરકારે હવે સિવિલ સર્વિસીઝના જમ્મૂ-કાશ્મીર કેડરને ખતમ કરી દીધી
  • જમ્મૂ કાશ્મીરના આઇએએસ, આઇપીએસ તેમજ આઇએફએસ અધિકારી હવે AGMUT કેડરનો ભાગ હશે

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે હવે સિવિલ સર્વિસીઝના જમ્મૂ-કાશ્મીર કેડરને ખતમ કરી દીધી છે. સરકારે જમ્મૂ-કાશ્મીર રીઓર્ગેનાઇઝેશન એક્ટ 2019માં સંશોધન માટે નોટિફિકેશન જારી કર્યું છે. તેનાથી જમ્મૂ કાશ્મીરના આઇએએસ, આઇપીએસ તેમજ આઇએફએસ અધિકારી હવે AGMUT કેડરનો ભાગ હશે.

આ પહેલા જમ્મુ-કાશ્મીર કેડરના અધિકારીઓની નિયુક્તિ બીજા રાજ્યોમાં નહોંતી થતી. પરંતુ, હવે નવા આદેશ બાદ અહીંના અધિકારીઓને અન્ય રાજ્યોમાં નિયુક્ત કરી શકાશે. રાજધાની દિલ્હી પણ એજીએમયુટી કેડરમાં જ આવે છે. આવનારા સમયમાં દિલ્હીના અધિકારીઓની નિયુક્તિ પણ જમ્મુ-કાશ્મીરમાં થઈ શકશે. તો, જમ્મુ-કાશ્મીર કેડરના અધિકારીઓની નિમણૂક દિલ્હી, અરૂણાચલ પ્રદેશ, ગોવા અને મિઝોરમમાં કરી શકાશે.

કલમ 370 હટાવાયા બાદથી જમ્મુ-કાશ્મીરને બે ભાગમાં વહેંચવામાં આવ્યું હતું. જમ્મુ-કાશ્મીરને એક કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવાયો હતો, તો લદાખને બીજું કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવાયું હતું. તે પછી જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ 2019 મુજબ જમ્મુ-કાશ્મીર અને લદાખના આઈએએસ, આઈપીએસ અને અન્ય કેન્દ્રીય સેવાઓના અધિકારીઓને એજીએમયુટી કેડરમાં સામેલ કરાયા હતા.

નોટિફિકેશનમાં એ પણ માહિતી આપવામાં આવી છે કે, એજીએમયુટી કેડરના અધિકારી કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત નિયમો અનુસાર કામ કરશે. કેન્દ્ર સરકાર તરફથી આ પગલું કલમ 370 નાબુદ કરાયાના 17 મહિના પછી લેવામાં આવ્યું છે.

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code