1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. યાસ વાવોઝોડાને ધ્યાનમાં રાખીને પૂર્વ રેલવેએ 25 ટ્રેન કરી રદ્દ, જુઓ લિસ્ટ

યાસ વાવોઝોડાને ધ્યાનમાં રાખીને પૂર્વ રેલવેએ 25 ટ્રેન કરી રદ્દ, જુઓ લિસ્ટ

0
Social Share
  • યાસ વાવઝોડાની સંભાવનાને જોતા પૂર્વ રેલવેનો નિર્ણય
  • પૂર્વ રેલવેએ 6 દિવસ માટે કુલ 25 ટ્રેનને રદ કરી
  • આ દરેક ટ્રેન 24-29 મે સુધી કેન્સલ કરવામાં આવી છે

નવી દિલ્હી: બંગાળની ખાડીમાં પૂર્વમાં બનેલું ગંભીર ચક્રવાતી યાસ તોફાનમાં બદલાવવાની સંભાવનાને જોતા અને નુકસાનની શક્યતાઓને ધ્યાનમાં રાખીને રેલવેએ 25 ટ્રેનને 6 દિવસ માટે રદ્દ કરી છે.

ચક્રાવાત યાસને ધ્યાનમાં રાખીને આગમચેતીના ભાગરૂપે પૂર્વ રેલવેએ કુલ 25 ટ્રેન રદ્દ કરવાની જાહેરાત કરી છે. આ દરેક ટ્રેન 24-29 મે સુધી કેન્સલ કરવામાં આવી છે.

રદ્દ થયેલી ટ્રેનોની યાદી

પ્રાપ્ત જાણકારી અનુસાર, બંગાળની ખાડીના પૂર્વમાં બનેલા ગંભીર દબાણના કારણે વાવાઝોડું ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. આ સમયે 155-165 કીમી/કલાકની ઝડપે હવા ચાલે તેવી સંભાવના છે. પશ્વિમ બંગાળમાં દીધાથી 670 કિમી દક્ષિણ પૂર્વ અને પારાદીપથી 590 કિમી પૂર્વ દક્ષિણ પૂર્વમાં બનેલા આ દબાણના આગળ વધવાના કારણે બંને રાજ્યોના તટવર્તી અને અંદરના ક્ષેત્રમાં ભારે વરસાદ થશે.

સંભાવના છે કે, આગામી 24 કલાકમાં આ વાવાઝોડું ગંભીર બની શકે છે. તે 26મેના રોજ પશ્વિમ બંગાળ- ઓરિસ્સા તટની પાસે બંગાળની ઘાટીમાં ઉત્તર ભાગમાં પહોંચશે. પ. બંગાળમાં પૂર્વી અને પશ્વિમી મેદિનીપુર, દક્ષિણ અને ઉત્તરી પરગણાની સાથે હાવડા અને હુગલીમાં 25મેથી સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code