1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મહાત્મા ગાંધી નિર્વાણ દિન પર નોન-વેજનું વેંચાણ થશે નહીં, રાજકોટ મનપાનું જાહેરનામું
મહાત્મા ગાંધી નિર્વાણ દિન પર નોન-વેજનું વેંચાણ થશે નહીં, રાજકોટ મનપાનું જાહેરનામું

મહાત્મા ગાંધી નિર્વાણ દિન પર નોન-વેજનું વેંચાણ થશે નહીં, રાજકોટ મનપાનું જાહેરનામું

0
Social Share
  • રાજકોટ મનપાનું જાહેરનામું
  • મહાત્મા ગાંધી નિર્વાણ દિન પર નોન-વેજનું વેંચાણ થશે નહીં

રાજકોટ: આગામી તારીખ ૩૦ના રોજ મહાત્મા ગાંધી નિર્વાણ દિન નિમિતે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન ,મચ્છી અને ચિકનનું વેચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. સર્વેએ આ જાહેર નામાની ચુસ્ત પણે અમલવારી કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે જીપીએમસી એકટ ૧૯૪૯ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની સબંધ કર્તા તમામે ગંભીર નોંધ લેવી.

ઉલ્લેખનીય છે કે દરેક શહેરમાં કેટલાક વર્ગના લોકો એવા પણ હોય છે જે લોકો દ્વારા રોજ આ પ્રકારનું ફૂડ જમવામાં આવતું હોય છે. લોકો દ્વારા હવે એડવાન્સમાં પણ આ પ્રકારના ફૂડની ખરીદી કરવામાં આવી શકે છે. રાજકોટ જિલ્લામાં પણ એક એવો મોટો વર્ગ હોઈ શકે છે જે વધારે પ્રમાણમાં આ પ્રકારના ફૂડને આહારમાં લેતું હોય.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code