1. Home
  2. ગુજરાતી
  3. પાકિસ્તાનની બીજી ચાલાકીઃ જાધવને બિનશરતી ‘કોન્સ્યૂલર એક્સેસ’ આપશે નહીં
પાકિસ્તાનની બીજી ચાલાકીઃ જાધવને બિનશરતી ‘કોન્સ્યૂલર એક્સેસ’ આપશે નહીં

પાકિસ્તાનની બીજી ચાલાકીઃ જાધવને બિનશરતી ‘કોન્સ્યૂલર એક્સેસ’ આપશે નહીં

0
Social Share

પાકિસ્તાને ભારતની શરતોને ઠૂકરાવી

પાકિસ્તાન બન્યુ બેશર્મ

કાશમીરમાંથી 370 હટાવવા પર પાક કરી રહ્યું છે વિરોધ

પાકિસ્તાનના ગંદા દાવપેચ

બોખલાય ગયું છે પાકિસ્તાન

પાકિસ્તાને કુલભૂષણ જાધવના મામલામાં કોન્સ્યૂલર એક્સેસ આપવામાં ભારતે મુકેલી શરતોને પાકિસ્તાને ફગાવી દીધી છે. આ અગાઉ 3 ઓગસ્ટે ભારતે જાધવની રાજદ્વારી પ્રવેશની પાકિસ્તાનની ઓફરને તેના હાલના રૂપમાં ઠુકરાવી દીધી હતી.પાકિસ્તાને આ કામ એટલા માટે કર્યું છે  કે તે જમ્મુ-કાશ્મીર અંગે ભારતના નિર્ણયની વિરુદ્ધ છે. ભારતે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા આર્ટિકલ 37૦ને હટાવીને તેને બે પ્રેદેશમાં વહેચ્યુ છે જેથી પાકિસ્તાન રોષે ભરાયુ છે  

જાણવા મળતી માહિતી મુજબ પાકિસ્તાને કોન્સ્યૂલર એક્સેસ આપવા માટે કેટલીક શરતો પણ રાખી હતી ને આ માટે ભારતને પત્ર પમ લખીને મોકલાવ્યો છે, ભારતે માંગણી કરી છે કે કોન્સ્યૂલર એક્સેસ સંપુર્ણ રીતે ગુપ્ત ને ખાનગી રાખવામાં આવે ત્યારે હવે પાકિસ્તાન કેમેરાની નજરમાં કોન્સ્યૂલર એક્સેસ આપવા માંગે છે જે માટે ભારત તૈયાર નથી.

ઉલ્લેખનીય છે કે  પાકિસ્તાનની એક સેન્ય અદાલતે કુલભૂષણ જાધવને આપોરી કરાર આપતા ફોંસીની સજા આપી હતી, સુત્રોનું કહેવું છે કે જ કારણો સર કોન્સ્યૂલર એક્સેસ ખાનગી અને ગુપ્ત રાખવામાં આવે, આ દરમિયાન કોઈ પમ પાકિસ્તાની અધિકારીઓ કે રેકોર્ડીંગ કરવામાં આવે નહી.પરંતુ હવે પાકિસ્તાન પોતાની વાતથી ફરી ગયુ છે.

આ બાબતે ભારતનું કહેવું છે કે, આ સ્થિતિને ધ્યાનમાં રાખીને પાકિસ્તાને ધાકધમકી અને ભયના વાતાવરણ સિવાય ખાનગી રાજદ્વારી પ્રવેશ પૂરો કરવો જરૂરી છે. જો તેમ નહીં થાય તો આંતરરાષ્ટ્રીય અદાલત ન્યાયમૂર્તિ (આઈસીજે) ના નિર્ણયને સંપૂર્ણ રીતે અમલમાં મૂકવાનો વિચાર કરવામાં આવશે નહીં.

 જો પાકિસ્તાન ભારતની વાતનો સ્વિકાર નહી કરે તો ફરિ કવાર બન્ને દોશો વચ્ચે કાનુની જંગ છેડાશે, ભારત આ મામલોને લઈને ફરિ આઈસીજેમાં જશે તો તકરારનો મુદ્દો આ જ હશે, જ્યારે પાકિસ્તાન દલીલ કરી શકે છે કે વીડિયો અને ઓડિઓ રેકોર્ડિંગ ભારત સહિતની જેલ મેન્યુઅલની અનુરૂપ છે. ત્યારે ભારતનું કહેવું છે કે જેલ મેન્યુઅલ ફક્ત સામાન્ય સલાહકારના કેસોમાં માન્ય છે,
ભારતની ચિંતા તે વાતને લઈને પણ છે કે પાકિસ્તાન આઈસીજેના નિર્ણય આપ્યા પછી પણ કેટલીક વાર જાધવની સુરક્ષાનો મુદ્દો ઉઠાવતું રહ્યું છે તેઓ એ આ આધાર પર રાજદ્વારી પ્રવેશ આપવાનો ઇનકાર પણ કરી દીધો છે. જ્યારે ભારતે પાકિસ્તાનને કહ્યું છે કે આઇસીજે તેની અરજીને નકારી ચૂક્યું છે.


રાજદ્વારી પ્રવેશ આપવાના મામલામાં ભારતનું કહેવું છે  કે આ આરોપીને તેનો બચાવ કરવાનો અધિકાર મળે છે. આઈસીજેએ વિએના સંમેલનની આર્ટિકલ 36 માં પાકિસ્તાનને દોષી ઠેરવ્યો છે. જાધવને ખાનગી રાજદ્વારી પ્રવેશ આપવામાં પાકિસ્તાનની અનિચ્છા પણ પુરાવા પર સવાલ ઉઠાવી રહી છે કે જેના હેઠળ જાધવને દોષી ઠેરવવામાં આવ્યા હતા અને તેને સજા પણ આપવામાં આવી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code