1. Home
  2. ગુજરાતી
  3. દેશમાં દર વર્ષે સરેરાશ 15000થી વધારે લોકો અંગદાન કરે છેઃ ડો. મનસુખ માંડવિયા
દેશમાં દર વર્ષે સરેરાશ 15000થી વધારે લોકો અંગદાન કરે છેઃ ડો. મનસુખ માંડવિયા

દેશમાં દર વર્ષે સરેરાશ 15000થી વધારે લોકો અંગદાન કરે છેઃ ડો. મનસુખ માંડવિયા

0
Social Share

નવી દિલ્હીઃ “બીજી વ્યક્તિને જીવન આપવાથી મોટી માનવતાની સેવા બીજી કોઈ ન હોઈ શકે.”. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો.મનસુખ માંડવિયાએ 13માં ભારતીય અંગદાન દિવસ (આઈઓડીડી) સમારંભમાં આજે અહીં પોતાના સંબોધન દરમિયાન આ વાત કરી હતીથ . આ પ્રસંગે ડૉ. ભારતી પ્રવિણ પવાર અને પ્રોફેસર એસ પી સિંહ બઘેલ, કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી તથા તમિલનાડુનાં સ્વાસ્થ્ય મંત્રી શ્રી મા સુબ્રમણ્યન પણ ઉપસ્થિત હતાં. ૧૩મા આઈઓડીડી સમારંભ યોજાયો હતો જેમાં મૃતક દાતા પરિવારોને તેમના પ્રિયજનોના અંગોનું દાન કરવાના બહાદુરીભર્યા નિર્ણય બદલ સન્માનિત કરવા, મૃત અંગદાન અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી અને અંગદાન અને પ્રત્યારોપણના ક્ષેત્રમાં કામ કરતા તબીબી વ્યાવસાયિકોના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું.

ડો.માંડવિયાએ જણાવ્યું હતું કે, આ પ્રયાસમાં સામેલ તમામ લોકોનાં પ્રદાનને ઓળખવું અને તેની પ્રશંસા કરવી મહત્ત્વપૂર્ણ છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે ,”2013 માં, લગભગ 5000 લોકો તેમના અંગોનું દાન કરવા આગળ આવ્યા હતા. હવે વાર્ષિક 15,000થી વધુ અંગદાતાઓ છે.” કેન્દ્રીય મંત્રી માહિતી આપી હતી કે કેન્દ્ર સરકારે દેશમાં અંગદાન વધારવાની દિશામાં અનેક પગલાં લીધાં છે. તેમણે જણાવ્યું હતું કે અંગ દાતાઓ માટે રજાનો સમયગાળો 30 દિવસથી વધારીને 60 દિવસ કરવામાં આવ્યો છે, 65 વર્ષની વયમર્યાદા દૂર કરવામાં આવી છે અને અંગદાનની પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકાર દેશમાં અંગદાનને લોકપ્રિય બનાવવા માટે વધુ નીતિઓ અને સુધારા લાવવા માટે પ્રતિબદ્ધ છે.

અંગદાતાઓ, તેમના પરિવારના સભ્યો અને સિવિલ સોસાયટીના સભ્યોના તેમની પ્રેરણા અને સમર્પણ, યોગદાનની પ્રશંસા કરતા ડો.માંડવિયાએ બિરદાવ્યા હતા . આ સંદર્ભમાં મંત્રીશ્રીએ અંગ પ્રાપ્તકર્તાઓને આ ઉમદા સેવાને પ્રોત્સાહન આપવા અને માનવજાતની સેવા માટે અન્ય લોકોને પણ તેમના અંગોનું દાન કરવા પ્રોત્સાહિત કરવા પણ અનુરોધ કર્યો હતો.

નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન (નોટ્ટો)નો ઇ-ન્યૂઝ લેટર; આ પ્રસંગે ટ્રાન્સપ્લાન્ટ મેન્યુઅલ અને ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટર કોર્સ માટે રાષ્ટ્રીય અભ્યાસક્રમ બહાર પાડવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રીના હસ્તે નોવેલ હીમોફીલિયા એ રેપિડ કાર્ડ ટેસ્ટ અને વોન વિલેબ્રાન્ડ ડિસીઝ રેપિડ કાર્ડ ટેસ્ટ જેવા ‘મેક ઇન ઇન્ડિયા’ ઉત્પાદનો તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આંતરરાષ્ટ્રીય આરોગ્ય વિભાગના ઇસીએરે પોર્ટલ (પછીના જીવનના અવશેષોનું ઇ-ક્લિયરન્સ) પણ લોંચ કરવામાં આવ્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code