1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરેન્દ્રનગરના કોઠારીયા નજીક રિક્ષા અને કાર વચ્ચે અકસ્માતમાં એકનું મોત
સુરેન્દ્રનગરના કોઠારીયા નજીક રિક્ષા અને કાર વચ્ચે અકસ્માતમાં એકનું મોત

સુરેન્દ્રનગરના કોઠારીયા નજીક રિક્ષા અને કાર વચ્ચે અકસ્માતમાં એકનું મોત

0
Social Share

સુરેન્દ્રનગરઃ  જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જિલ્લાના કોઠારીયા નજીક અકસ્માત સર્જાયો છે. જેમાં અકસ્માતના પગલે ઘટનાસ્થળે જ એક વ્યક્તિનું મોત નિપજ્યું હતુ. અન્ય એકને સારવાર માટે  શહેરની મેડીકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યા હતો. આ બનાવની દુઃખદઘટના એ હતી કે, સાળાના મોતના સમાચાર સાંભળ્યા બાદ કાણમાં જતા બનેવીનું અકસ્માતના પગલે મોત નિપજતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગરના કોઠારીયા અને ઝમ્મર વચ્ચે રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષામાં સવાર મગનભાઈ રામજીભાઈ સોલંકીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતું. જ્યારે રિક્ષાચાલકને ગંભીર ઇજાઓ થતાં તેને ટીબી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. ઉપરાંત તેની તબિયત સ્થિર હોવાનું પણ પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, સાણંદથી સાળાના મોતના સમાચાર સાંભળ્યા બાદ બનેવી રિક્ષા બેસીને સાણંદ આવી રહ્યા હતા. તે સમયે કાર ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા તે રિક્ષા સાથે ધડાકાભેર અથડાઇ હતી. આ અકસ્માતમાં ઘટના સ્થળે જ મગનભાઈ રામજીભાઈ સોલંકીનું કમકમાટીભર્યું મોત નિપજવા પામ્યું છે. તેમની ડેડબોડીને પી.એમ. માટે સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી છે અને તેમનું પીએમ કરી અને પરિવારને ડેડબોડી સોંપવામાં આવી હતી. ઘટનાને લીધે પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી જવા પામી છે. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ છે. અને કાર ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને ફરાર થયેલા કારચાલકને શોધનાના પ્રયાસો હાથ ધર્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code