

જમ્મુ-કાશ્મીરના નામે ક્ષેત્રમાં તણાવ વધારવાની નાપાક હરકત પાકિસ્તાન છોડવા તૈયાર નથી. એક તરફ તેના વડાપ્રધાન ઈમરાન ખાન સંસદમાંથી પરમાણુ યુદ્ધની ધમકી આપી રહ્યા છે અને આ જ્ઞાન પણ વહેંચી રહ્યા છે કે આ યુદ્ધમાં કોઈ વિજેત થશે નહીં. બીજી તરફ પાકિસ્તાને નવા મિસાઈલ પરીક્ષણોની તૈયારી શરૂ કરી દીધી છે.
Pakistan has issued NOTAM (notice to airmen) & Naval warning in the view of a possible missile test firing from Sonmiani flight test range near Karachi. pic.twitter.com/oth1u4sYu0
— ANI (@ANI) August 28, 2019
એએનઆઈ પ્રમાણે, પાકિસ્તાને આના માટે જરૂરી નોટામ એટલે કે નોટિસ ટુ એરમેન પ્રોટોકોલ અને નૌસૈનિકોને ચેતવણી પણ જાહેર કરી દીધી છે.
આ સંભવિત મિસાઈલ પરીક્ષણ સિંધ પ્રાંતના કરાચીમાં થાય તેવી શક્યતા છે. કરાચીની પાસે પાકિસ્તાની સેનાની સોનમિયાની ફ્લાઈટ ટેસ્ટ રેન્જ આવેલી છે. ત્રણ દિવસ માટે કરાચીના એરસ્પેસને પણ બંધ કરવામાં આવ્યો છે.
#BREAKING
— News18 India (@News18India) August 28, 2019
मिसाइल टेस्टिंग की तैयारी में पकिस्तान. pic.twitter.com/mu9IJHSgrB
સ્થાનિક મીડિયાને ટાંકીને ન્યૂઝ-18એ દાવો કર્યો છે કે પાકિસ્તાન નાગરીક ઉડ્ડયન ઓથોરિટીએ બુધવારે 28-08-2019ના રોજ એક નોટામ જાહેર કર્યું છે, જેમા કરાચી હવાઈ ક્ષેત્રના ત્રણ માર્ગ 28 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે.