1. Home
  2. ગુજરાતી
  3. બોલિવૂડ જગતના મશહુર ફિલ્મ મેકર યશ ચોપરાની પત્નિ પામેલા ચોપરાનું 85 વર્ષની વયે નિધન
બોલિવૂડ જગતના  મશહુર ફિલ્મ મેકર યશ ચોપરાની પત્નિ પામેલા ચોપરાનું 85 વર્ષની વયે નિધન

બોલિવૂડ જગતના મશહુર ફિલ્મ મેકર યશ ચોપરાની પત્નિ પામેલા ચોપરાનું 85 વર્ષની વયે નિધન

0
Social Share
  • યશ ચોપરાની પત્નિનું નિધન
  • 85 વર્ષની વયે લીધા પામેલા ચોપરાએ અંતિમ શ્વાસ

મુંબઈઃ- બોલિવૂડ જગતના દિવંગત મશહુર ફિલ્મ મેકર યશ ચોપરાની પત્નિ પામેલા ચોપરકાનું 85 વર્ષની વયે નિધન થયું છે,વર્ષ 2021 માં યશ ચોપરાએ પણ આ ફાનિ દુનિયાને અલવિદા કહ્યું હતું.

દિવંગત ફિલ્મ નિર્માતા યશ ચોપરાની પત્ની પામેલા ચોપરાનું  આજરોજ ગુરુવારે મુંબઈમાં અવસાન થયું હતું. પીઢ સંગીતકાર એવા  જાવેદ અખ્તરે પોતાના ટ્વિટમાં ટ્વિટ કરીને આ અંગેની આ માહિતી આપી છે.

એનએન. પામેલા ચોપરાનું 74 વર્ષની વયે અવસાન: યશ ચોપરાની પત્ની પામેલા ચોપરાનું ગુરુવારે સવારે 20 એપ્રિલે 74 વર્ષની વયે અવસાન થયું હતું. પામેલા ચોપરા એક પ્રખ્યાત ભારતીય પ્લેબેક સિંગર હતી. આ સાથે, તે એક ફિલ્મ લેખક અને નિર્માતા પણ હતી.

સંગીતકારે લખ્યું છે કે ‘આજે શ્રી યશ ચોપરાની પત્ની પામેલા જીનું નિધન થયું છે. તે એક બુદ્ધિશાળી, શિક્ષિત અને વિનોદી મહિલા હતી. મારા જેવા લોકો જેમણે યશજી સાથે નજીકથી કામ કર્યું છે તેઓ સ્ક્રિપ્ટ અને સંગીતમાં તેમના યોગદાન વિશે જાણે છે. તે એક અસાધારણ વ્યક્તિત્વ ધરાવતા હતા.

તેઓ  છેલ્લા 15 દિવસથી મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ હતી. ડૉક્ટરોએ તેમને વેન્ટિલેટર પર મૂક્યા હતા, પરંતુ તેમની તબિયતમાં કોઈ સુધારો થયો ન હતો. યશ રાજના ઓફિશિયલ પેજ પરથી શેર કરવામાં આવેલી માહિતી જણાવે છે કે પામેલા ચોપરાના અંતિમ સંસ્કાર આજે સવારે 11 વાગ્યે મુંબઈમાં કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કેયશ દિવંતગ યશ ચોપરા અને સ્વર્ગવાસ પામેલ પત્ની પામેલાને બે સંતાનો  આદિત્ય ચોપરા અને ઉદય ચોપરા છે. તેમના પુત્ર આદિત્ય ચોપરાએ રાની મુખર્જી સાથે લગ્ન કર્યા છે. પામેલા ચોપરાએ યશ રાજ ફિલ્મ્સની ઘણી ફિલ્મોમાં ગાયિકા, લેખક અને ડ્રેસ ડિઝાઇનર તરીકે કામ કરી ચૂક્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code