1. Home
  2. ગુજરાતી
  3. યાત્રા દરમિયાન સામાન ચોરી થશે તો યાત્રીઓને મળશે ભરપાઈઃ IRCTCની નવી યોજનાની રેલ્વે મંત્રી કરશે ટૂંક સમયમાં જાહેરાત
યાત્રા દરમિયાન સામાન ચોરી થશે તો યાત્રીઓને મળશે ભરપાઈઃ IRCTCની નવી યોજનાની રેલ્વે મંત્રી કરશે ટૂંક સમયમાં જાહેરાત

યાત્રા દરમિયાન સામાન ચોરી થશે તો યાત્રીઓને મળશે ભરપાઈઃ IRCTCની નવી યોજનાની રેલ્વે મંત્રી કરશે ટૂંક સમયમાં જાહેરાત

0
Social Share
  • રેલ્વે યાત્રીઓ માટે ઉત્તમ સુવિધા
  • યાત્રા દરમિયાન સાનામ ચોરી થશે તો મળશે ભરપાઈ

 

દિલ્હીઃ-  ભારતીય રેલ્વે પોકાના યાત્રીઓ માટે અવનવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી રહ્યું છે, ત્યારે રહવે યાત્રીઓ માટે બીજી એક ઉત્તમ સુવિધા આપવાની તયારી કરી રહ્યું છે, મળતી માહિતી પ્રમાણે મુસાફરી દરમિયાન બેગ, મોબાઈલ કે લેપટોપની ચોરી થાય છે અથવા તો ખોવાઈ જાય છે તો તેની ભરપાઈ રેલ્વે કરશે.

આ માટે ભારતીય રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન એ મુસાફરોની આ વસ્તુઓનો વીમો લેવાની યોજના તૈયાર કરી છે. એવી અપેક્ષા છે કે રેલ્વે મંત્રી ટૂંક સમયમાં આ યોજનાની જાહેરાત કરશે.

આઈઆરસીટીસીના ટોચના અધિકારીઓનું કહેવું છે કે હાલમાં ઈન્સ્યોરન્સનો લાભ તે મુસાફરોને મળશે જેઓ ઓનલાઈન ટિકિટ બુક કરાવશે. મોબાઈલ, લેપટોપ અને બેગ વગેરેના વીમા અંગે ખાનગી કંપનીઓ સાથે વાતચીત ચાલી રહી છે.આ સુવિધામાં ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોની સાથે, સ્ટેશન અને પરિભ્રમણ વિસ્તારના મુસાફરોને પણ તેનો લાભ મળશે, જો કે તેમની પાસે આરક્ષિત ટિકિટ હશે તો જ . આ માટે વીમા કિંમત પર ચર્ચા ચાલી રહી છે.

ટ્રેનમાં સામાનની ચોરીની જાણ સૌપ્રથમ કોચ એટેન્ડન્ટ અથવા કંડક્ટરને કરવી પડશે. આ પછી જીઆરપીમાં કેસ નોંધવામાં આવે છે. પરંતુ, ચોરેલા મોબાઈલ અને લેપટોપ ભાગ્યે જ મળી શકે છે. આવી સ્થિતિમાં આ સામાનનો વીમો કરાવવાથી મુસાફરોને રાહત મળશે. પરંતુ, વીમા માટે, મુસાફરોએ પોલીસ પાસેથી FIR અને બિન-ટ્રેસેબલ પ્રમાણપત્ર મેળવવું પડશે. તે લગભગ ત્રણ મહિનાનો સમય લે છે.

રેલવે દ્વારા ઓનલાઈન ટિકિટ ખરીદનારા મુસાફરોને આ વીમાની સુવિધા આપવામાં આવી રહી છે. પરંતુ, ટૂંક સમયમાં જ અનરિઝર્વ્ડ ક્લાસ ટિકિટ એટલે કે સામાન્ય વર્ગના મુસાફરોને પણ આમાં સામેલ કરવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code