1. Home
  2. ગુજરાતી
  3. પીએમ મોદીએ અમિતાભ બચ્ચનને રણ ઉત્સવની મુલાકાત લેવા વિનંતી કરી
પીએમ મોદીએ અમિતાભ બચ્ચનને રણ ઉત્સવની મુલાકાત લેવા વિનંતી કરી

પીએમ મોદીએ અમિતાભ બચ્ચનને રણ ઉત્સવની મુલાકાત લેવા વિનંતી કરી

0
Social Share

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે હિન્દી સિનેમાના અભિનેતા અમિતાભ બચ્ચનને ગુજરાતમાં આગામી રણ ઉત્સવની મુલાકાત લેવા વિનંતી કરી હતી.તેમને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા પણ વિનંતી કરી હતી.

વડાપ્રધાનએ X પર પોસ્ટ કર્યું:”પાર્વતી કુંડ અને જાગેશ્વર મંદિરોની મારી મુલાકાત ખરેખર મંત્રમુગ્ધ કરી દેનારી હતી.આગામી સપ્તાહોમાં રણ ઉત્સવ શરૂ થઈ રહ્યો છે અને હું તમને કચ્છની મુલાકાત લેવા વિનંતી કરીશ. સ્ટેચ્યુ ઓફ યુનિટીની તમારી મુલાકાત પણ બાકી છે.”

આ પહેલા ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચને વડાપ્રધાનની હાલની જ ઉત્તરાખંડના જોલિંગકોંગમાં ભગવાન શિવના ધામ આદિ કૈલાશ શિખર અને પાર્વતી કુંડની મુલાકાતનો ફોટો રવિવારે એક્સ પર શેર કર્યો હતો. મેગાસ્ટારે શોક વ્યક્ત કર્યો કે દુઃખની વાત એ છે કે તે ક્યારેય ત્યાં જઈ શકશે નહીં. આના પર વડાપ્રધાને બચ્ચનને જવાબ આપ્યો અને તેમને કચ્છ જવાનું સૂચન કર્યું.

વડાપ્રધાન મોદી ગુરુવારે ઉત્તરાખંડની એક દિવસીય મુલાકાતે હતા, જેની શરૂઆત તેમણે આદિ કૈલાશ શિખરની મુલાકાત અને પાર્વતી કુંડમાં પૂજા કરીને કરી હતી. ત્યારબાદ ભારત-ચીન બોર્ડરને અડીને આવેલા ગુંજી ગામમાં ગયા. બાદમાં તેમણે અલમોડાના જાગેશ્વર ધામમાં માથું ટેકયું. બાદમાં, તેમણે ઘણા વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું. જનસભાને પણ સંબોધી હતી.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code