1. Home
  2. ગુજરાતી
  3. 30મી નવેમ્બરે પીએમ મોદી 50 હજારથી વધુ નિમણૂક પત્રોનું કરશે વિતરણ – આ વર્ષનો હશે છેલ્લો રોજગાર મેળો
30મી નવેમ્બરે પીએમ મોદી 50 હજારથી વધુ નિમણૂક પત્રોનું કરશે વિતરણ – આ વર્ષનો હશે છેલ્લો રોજગાર મેળો

30મી નવેમ્બરે પીએમ મોદી 50 હજારથી વધુ નિમણૂક પત્રોનું કરશે વિતરણ – આ વર્ષનો હશે છેલ્લો રોજગાર મેળો

0
Social Share

દિલ્હી – આ વર્ષનો  છેલ્લો રોજગાર મેળો 30 નવેમ્બરના રોજ યોજવા જઈ  રહ્યો છે ,છેલ્લા એક વર્ષથી ચાલી રહેલા રોજગાર મેળા દ્વારા અત્યાર સુધીમાં દેશભરના લાખો યુવાનોને રોજગાર મળ્યો છે. આગામી રોજગાર મેળાનું આયોજન 30મી નવેમ્બરે કરવામાં આવશે

પ્રાપ્ત માહિતી મુજબ આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી 50 હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્રો આપશે. પીએમ મોદી 30 નવેમ્બરે સવારે 10 વાગ્યે ને 30 મિનિટે આ  વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં ભાગ લેશે. આ સમયગાળા દરમિયાન કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 38 સ્થળોએ કેન્દ્રીય મંત્રીઓ હાજર રહેશે.

ઉલ્લેખનીય છે કે દીવાળી પહેલા જ પીએમ મોદીએ દેશના યુવાનોને મોટી ભેટ આપી હતી. 28 ઓક્ટોબરે PMએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 51 હજાર યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું હતું કે ગત વર્ષે ઓક્ટોબરમાં રોજગાર મેળો શરૂ થયો હતો. કેન્દ્રમાં અને NDA અને ભાજપ શાસિત રાજ્યોમાં ‘રોજગાર મેળાઓ’નું આયોજન કરવામાં આવી રહ્યું છે.

 આ સાહિત્ય 30 નવેમ્બરે 50 હજારથી વધુ લોકોને નિમણૂક પત્રો આપવામાં આવશે. રોજગાર મેળો રોજગાર સર્જનને સર્વોચ્ચ અગ્રતા આપવાની વડાપ્રધાનની પ્રતિબદ્ધતાને પરિપૂર્ણ કરવાની દિશામાં એક પગલું છે.ગત વર્ષે ધનતેરસના અવસર પર રોજગાર મેળાની શરૂઆત 22 ઓક્ટોબરે કરવામાં આવી હતી. પીએમ મોદીએ ડિસેમ્બર 2023 સુધીમાં 10 લાખ નોકરીઓ આપવાની જાહેરાત કરી હતી. અત્યાર સુધીમાં લાખો યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે. 

કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં આ નિમણૂંકો કરવામાં આવી રહી છે. છેલ્લો રોજગાર મેળો ડિસેમ્બરમાં યોજાશે. આપને જણાવી દઈએ કે રોજગાર મેળા દ્વારા ભાજપ આગામી વર્ષે લોકસભા ચૂંટણી પહેલા બેરોજગારીના મુદ્દા પર વિપક્ષના હુમલાને ખાળવાની રણનીતિ પર કામ કરી રહી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code