1. Home
  2. ગુજરાતી
  3. પીએમ મોદી આજે વીર બાળ દિવસ કાર્યક્રમમાં ભાગલેશે – માર્ચ પાસ્ટને ફ્લેગ ઓફ કરશે
પીએમ મોદી આજે વીર બાળ દિવસ કાર્યક્રમમાં ભાગલેશે – માર્ચ પાસ્ટને ફ્લેગ ઓફ કરશે

પીએમ મોદી આજે વીર બાળ દિવસ કાર્યક્રમમાં ભાગલેશે – માર્ચ પાસ્ટને ફ્લેગ ઓફ કરશે

0
Social Share
  • પીએમ મોદી વીર બાળ દિવસ કાર્યક્રમમાં હાજરી આપશે
  • માર્ચ પોસ્ટને ફ્લેગ  પણ ઓફ કરશે

દિલ્હીઃ- આજે 26 ડિસેમ્બરના દિવસને વીર બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારેઆજના આ ખાસ અવસર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં ‘વીર બાલ દિવસ’ નિમિત્તે આયોજિત ઐતિહાસિક કાર્યક્રમમાં ભાગ લેશે.

વડાપ્રધાન કાર્યાલયે આપેલી જદાણકારી પ્રમાણે 300 બાલ કીર્તન દ્વારા રજૂ કરાયેલા શબ્દ કીર્તનમાં પણ પીએમ મોદી ભાગ લેશે. પીએમઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પીએમ મોદી લગભગ 300 બાલ કીર્તનીઓ દ્વારા રજૂ કરાયેલા “શબ્દ કીર્તન” માં હાજરી આપશે અને લગભગ 3,000 બાળકો દ્વારા ‘માર્ચ-પાસ્ટ’ને ફ્લેગ ઓફ કરશે.આ સહીત સાહિબજાદાઓની અનુકરણીય હિંમતનો સંદેશો લોકો સુધી પહોંચાડવા માટે સરકાર દેશભરમાં પરસ્પર સંવાદ આધારિત પરસ્પર કાર્યક્રમોનું આયોજન કરી રહી છે.

વધુમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સરકાર નાગરિકોને, ખાસ કરીને નાના બાળકોને શીખોના છેલ્લા ગુરુ, ગોવિંદ સિંહના પુત્રોની અનુકરણીય હિંમતની વાર્તા વિશે જણાવવા માટે દેશભરમાં ઇન્ટરેક્ટિવ અને સહભાગી કાર્યક્રમોનું આયોજન કરી રહી છે, જેમણે તેમના વિશ્વાસનો બચાવ કર્યો હતો અને જીવનનું બલિદાન આપ્યું છે.

આજ ના ખઆસ દિવસે દેશભરની શાળાઓ અને કોલેજોમાં નિબંધ લેખન, પ્રશ્નોત્તરી સ્પર્ધાઓ અને અન્ય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. રેલ્વે સ્ટેશન, પેટ્રોલ પંપ અને એરપોર્ટ જેવા જાહેર સ્થળો પર ડિજિટલ પ્રદર્શનો મૂકવામાં આવશે,ઉલ્લેખનીય છે કે  આ વર્ષે 9 જાન્યુઆરીએ, ગુરુ ગોવિંદ સિંહની જન્મજયંતિ પર, વડા પ્રધાન મોદીએ જાહેરાત કરી હતી કે શીખ ગુરુના પુત્રો જોરાવર સિંહ અને ફતેહ સિંહની શહીદી 26 ડિસેમ્બરે ‘વીર બાલ દિવસ’ તરીકે ઉજવવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code