1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પીએમ મોદી 15-16 જુલાઈના રોજ ગુજરાતની લેશે મુલાકાત
પીએમ મોદી 15-16 જુલાઈના રોજ ગુજરાતની લેશે મુલાકાત

પીએમ મોદી 15-16 જુલાઈના રોજ ગુજરાતની લેશે મુલાકાત

0
Social Share

અમદાવાદ:ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને કેન્દ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે.તારીખ 15 અને 16 જુલાઈના રોજ PM મોદી ગુજરાત આવશે.ત્યારબાદ રાજ્યમાં 2 દિવસ સુધી વિવિધ કાર્યક્રમમાં જોડાશે અને સભાઓ પણ સંબોધશે.

ગાંધીનગર, કચ્છ, હિંમતનગર, અમદાવાદમાં કાર્યક્રમોનું આયોજન કરાયું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કચ્છમાં જંગી જનસભા સાથેનો કાર્યક્રમ યોજાશે.તો હિંમતનગરમાં સાબર ડેરીના કાર્યક્રમમાં પીએમ હાજર રહેશે. સાથે જ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન અન્ય કાર્યક્રમોનું પણ આયોજન શકે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હજુ 4 જુલાઈએ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ડિજિટલ ઈન્ડિયા વીક-2022નો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો.ત્યારે હવે ફરી 15 જુલાઈએ ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવશે.વડાપ્રધાન તારીખ 15 અને 16 જુલાઈના રોજ કચ્છથી લઈને અમદાવાદ સુધી અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code