1. Home
  2. ગુજરાતી
  3. પીએમ મોદીનું છત્તીસગઢમાં સંબોધન ,કહ્યું ‘અહીં માત્ર પોસ્ટરોમાં દેખાઈ છે વિકાસ’
પીએમ મોદીનું છત્તીસગઢમાં સંબોધન ,કહ્યું ‘અહીં માત્ર પોસ્ટરોમાં દેખાઈ છે વિકાસ’

પીએમ મોદીનું છત્તીસગઢમાં સંબોધન ,કહ્યું ‘અહીં માત્ર પોસ્ટરોમાં દેખાઈ છે વિકાસ’

0
Social Share

દિલ્હીઃ- પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદી આજરોજ મંગળવારે છત્તીસગઢમાં અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે જગદલપુરમાં એક રેલીને સંબોધિત કરતા પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.

પ્રાપ્ત માહિતી પ્રમાણે પીએમ મોદીએ રેલીને સંબોઘિત કરતા કહ્યું કે  છેલ્લા પાંચ વર્ષમાં કોંગ્રેસ દ્વારા છત્તીસગઢની જે હાલત થઈ છે તે આખો દેશ જોઈ રહ્યો છે. ચારેબાજુ ભ્રષ્ટાચાર વ્યાપ્યોજોવા મળી રહ્યો, ગુનાખોરી ચરમસીમાએ છે, છત્તીસગઢ હત્યાના મામલામાં અગ્રેસર રાજ્યોમાં પહોંચી ગયું છે. તેઓ લોકોની આંખમાં ધૂળ નાંખવાનું કાર્ય કરી રહ્યા છે અને ભ્રષ્ટાચાર કરે છે. કોંગ્રેસે કૌભાંડી સરકાર આપી છે. એટલે આજે રાજ્યના ખૂણેખૂણેથી એક જ અવાજ આવી રહ્યો છે. 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code