
સોલાર ઊર્જાથી ઝળહળી ઉઠ્યું મોઢેરાનું સૂર્ય મંદિર, વડાપ્રધાન સોલાર પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે
મહેસાણાઃ જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલું સુપ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. આગામી સમયમાં ભારતનો પ્રથમ સોલાર પ્રોજેક્ટ મોઢેરામાં હોવાથી આગામી સમયમાં લોકાર્પણ કરવામાં આવશે.
મહેસાણા જિલ્લામાં આવેલું મોઢેરાનું સૂર્ય મંદિર સ્થાપત્યકળામાં બેનમુન છે, દરવર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. હવે સૂર્ય મંદિરને સોલાર ઊર્જાથી ઝળહળતું કરવામાં આવ્યું છે. માત્ર મંદિર જ નહીં પણ મોઢેરા ગામને પણ સોલાર ઊર્જાનો લાભ અપાતા દેસનું પ્રથમ સોલાર ઊર્જા ગામ બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ મહિનામાં જ વર્ચ્યુઅલ કરાશે, સુજાણ પુરામાં સોલાર પ્રોજેકટનું ચાલી રહ્યું છે, રૂપિયા 69 કરોડના ખર્ચે તૈયાર થયેલા સોલાર પ્રોજેકટનું ટૂંક સમયમાં જ લોકાર્પણ કરવામાં આવશે. સોલાર પ્રોજેકટ થકી મોઢેરા સૂર્ય મંદિર અને ગામમાં આવેલા 1610 પરિવારને સોલાર વીજળી પુરી પાડવામાં આવશે. મોઢેરા સૂર્ય મંદિરના પરિસરમાં સૂર્ય ઉર્જાથી રંગબેરંગી રોશની કરવામાં આવી છે. આ પ્રોજેકટ દ્વારા સૂર્યમંદિરને રાત્રી દરમિયાન શૌર્ય ઉર્જાથી રંગબેરંગી રોશનીથી સજાવવાનો ટ્રાયલ રન ચાલી રહ્યો છે. આ રોશનીથી રાત્રી દરમિયાન એક અદભુત નજારો જોવા મળ્યો હતો. શૌર્ય ઉર્જાથી દરેક રાત્રી એ આ લાઈટો ઝળહળતી નજરે પડશે જે લોકોને આકર્ષિત કરશે. મોઢેરા ગામને પણ સોલાર ઊર્જાથી ઝળહળતું કરવામાં આવશે. આ પ્રોજેક્ટથી વીજળીની બચત થશે. અને લોકોને પણ ફાયદો થશે.