1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પીએમ મોદીના મુખ્ય સલાહકાર પી કે સિન્હાએ રાજીનામું આપ્યું
પીએમ મોદીના મુખ્ય સલાહકાર પી કે સિન્હાએ રાજીનામું આપ્યું

પીએમ મોદીના મુખ્ય સલાહકાર પી કે સિન્હાએ રાજીનામું આપ્યું

0
Social Share
  • પીએમના મુખ્ય સલાહકારે આપ્યું રાજીનામું
  • મુખ્ય સલાહકાર પી કે સિન્હાએ આપ્યું રાજીનામું
  • અંગત કારણો જણાવીને અચાનક આપ્યું રાજીનામું

દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સલાહકાર પી.કે.સિન્હાએ અંગત કારણો જણાવીને મંગળવારે અચાનક રાજીનામું આપ્યું હતું. કેબિનેટ સચિવના પદ પરથી નિવૃત્ત થયા બાદ તેઓને વડાપ્રધાનના પ્રિન્સિપલ એડવાઇઝરીના પદે નિમવામાં આવ્યા હતા. પીકે સિન્હાને 11 સપ્ટેમ્બર 2019 ના રોજ વડાપ્રધાનના મુખ્ય સલાહકાર તરીકે નિમવામાં આવ્યા હતા.

સિન્હાએ 13 જૂન 2015થી 30 ઓગસ્ટ 2019 સુધી કેબિનેટ સચિવ તરીકે સેવા આપી હતી. તેઓ 1977 બેચના ઉત્તર પ્રદેશ કેડરના ભારતીય વહીવટી સેવા અધિકારી રહી ચૂક્યા છે. સિન્હા તેમની પ્રખ્યાત કારકિર્દી દરમિયાન પાવર અને શિપિંગ મંત્રાલયોમાં સચિવ તરીકે ફરજ બજાવી છે. તેમણે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયમાં વિશેષ સચિવ તરીકે પણ કામ કર્યું છે.

તેમણે દિલ્હી યુનિવર્સિટીના સેંટ સ્ટીફન્સ કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતક થયા.ત્યારબાદ તેણે દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સથી અર્થશાસ્ત્રમાં અનુસ્નાતકની પરીક્ષા પાસ કરી. બાદમાં, તેમની સેવા દરમિયાન, તેમણે જાહેર વહીવટમાં અનુસ્નાતક ડિપ્લોમા અને સામાજિક વિજ્ઞાનમાં એમ.ફિલની ડીગ્રી પણ મેળવી. ભારતીય વહીવટી સેવાના તેમના લાંબા કાર્યકાળ દરમિયાન સિન્હાએ ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારમાં વિવિધ હોદ્દા પર કામ કર્યું.

-દેવાંશી

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code