1. Home
  2. ગુજરાતી
  3. રાજસ્થાનઃ CM અશોક ગહેલોતની તબિયલ લથડી, હોસ્પિટલમાં કરાયા દાખલ
રાજસ્થાનઃ CM અશોક ગહેલોતની તબિયલ લથડી, હોસ્પિટલમાં કરાયા દાખલ

રાજસ્થાનઃ CM અશોક ગહેલોતની તબિયલ લથડી, હોસ્પિટલમાં કરાયા દાખલ

0
Social Share

દિલ્હીઃ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતની અચાનક તબિયત લથડતા તેમને જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. તેમણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયાં હતા. સીએમ ગહેલોતે તબિયત લથડી હોવાની માહિતી સોશિયલ મીડિયા મારફતે આપી હતી.

મુખ્યમંત્રી ગેહલોતે ટ્વિટ કર્યું, ‘હું કોવિડ પછીની અસરને કારણે ગઈકાલથી બીમાર છું અને મારી છાતીમાં તીવ્ર પીડા થઈ રહી છે. તેથી સવાઈ માનસિંહ હોસ્પિટલમાં મારી એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યુ કે હું ખુશ છું કે મારી સારવાર એસએમએસ હોસ્પિટલમાં થઈ રહી છે, હું ઠીક છું અને જલ્દી પાછો આવીશ. તમારી બધી પ્રાર્થના અને આશીર્વાદ મારી સાથે છે.’

અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્ય પ્રધાન અશોક ગેહલોતનો 29 એપ્રિલના રોજ COVID-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, ત્યારબાદ તેઓને આઈસોલેટ કરવામાં આવ્યા હતા.જો કે સ્વસ્થ થયા બાદ તે તેમના નિવાસ સ્થાનથી જ કામ કરતા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code