1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટ: લક્ષ્મીનગર અન્ડરબ્રિજ 26મી જાન્યુઆરીએ મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લો મુકાશે
રાજકોટ: લક્ષ્મીનગર અન્ડરબ્રિજ 26મી જાન્યુઆરીએ મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લો મુકાશે

રાજકોટ: લક્ષ્મીનગર અન્ડરબ્રિજ 26મી જાન્યુઆરીએ મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લો મુકાશે

0
Social Share
  • રાજકોટવાસીઓ માટે સારા સમાચાર
  • લક્ષ્મીનગર અન્ડરબ્રિજનું આવ્યું મહુર્ત
  • 26મી જાન્યુઆરીએ મુખ્યમંત્રીના હસ્તે અન્ડરબ્રિજ મુકાશે ખુલ્લો

રાજકોટ: શહેરમાં છેલ્લા કેટલાક મહિનાથી લક્ષ્મીનગર અંડરબ્રિજનું કામ ચાલી રહ્યું હતુ. આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા વધારે રહેતી હોવાથી તંત્ર દ્વારા અહિંયા બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે બ્રિજ કંસ્ટ્રક્શનનું કામ ચાલતું હોવાથી પણ તે વિસ્તારમાં ટ્રાફિક તો રહેતો જ હતો, પણ હવે લોકોને રાહત મળે તેવા સમાચાર આવ્યા છે.

જાણકારી અનુસાર લક્ષ્મીનગર અન્ડરબ્રિજનું મહુર્ત આવી ગયું છે. આ અન્ડરબ્રિજને 26મી જાન્યુઆરીએ મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લો મુકવામાં આવશે. રાજકોટમાં રોજ લક્ષ્મીનગર અન્ડરબ્રિજમાંથી લાખો લોકો પસાર થાય છે અને આ લક્ષ્મીનગર બ્રિજનું કામ છેલ્લા ત્રણ વર્ષથી ચાલતું હતું.

ઉલ્લેખનીય છે કે દરવર્ષે રાજકોટમાં વરસાદ દરમિયાન લક્ષ્મીનગર અન્ડરબ્રિજમાં પાણી ભરાતું હતું. પણ હવે વિશાળ અન્ડરબ્રિજનું 90 ટકા કામ પૂર્ણ થયું છે

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code