1. Home
  2. ગુજરાતી
  3. વિયેતનામમાં ભારતના ફાર્મા અને કૃષિ-ઉત્પાદનો માટે બજાર ઍક્સેસની સુવિધા વધારવા વિનંતી
વિયેતનામમાં ભારતના ફાર્મા અને કૃષિ-ઉત્પાદનો માટે બજાર ઍક્સેસની સુવિધા વધારવા વિનંતી

વિયેતનામમાં ભારતના ફાર્મા અને કૃષિ-ઉત્પાદનો માટે બજાર ઍક્સેસની સુવિધા વધારવા વિનંતી

0
Social Share

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિયેતનામની કમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ મહામહિમ ન્ગ્યુએન ફુ ટ્રોંગ સાથે ફોન પર વાતચીત કરી હતી. આ વર્ષે ઉજવવામાં આવી રહેલા ભારત અને વિયેતનામ વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 50મી વર્ષગાંઠ પર બંને નેતાઓએ એકબીજાની પ્રશંસા કરી હતી. તેઓએ ભારત-વિયેતનામ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ વ્યાપક સ્તરે સહકારની ઝડપી ગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો જે 2016માં વડાપ્રધાનની વિયેતનામની મુલાકાત દરમિયાન સ્થાપિત કરવામાં આવી હતી.

વડાપ્રધાનએ ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી અને ઈન્ડો-પેસિફિક વિઝનના મહત્વના સ્તંભ તરીકે વિયેતનામના મહત્વનો પુનરોચ્ચાર કર્યો અને હાલની પહેલો પર ઝડપી પ્રગતિ માટે કામ કરવા ઉપરાંત દ્વિપક્ષીય સંબંધોનો વ્યાપ વધારવાનો પ્રયાસ કર્યો. વડાપ્રધાનએ વિયેતનામમાં ભારતના ફાર્મા અને કૃષિ-ઉત્પાદનો માટે બજાર ઍક્સેસની વધુ સુવિધા માટે પણ વિનંતી કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંને દેશો વચ્ચેના ઐતિહાસિક અને સભ્યતાના સંબંધો પર પ્રકાશ પાડ્યો હતો અને વિયેતનામમાં ચામ સ્મારકોના પુનઃસંગ્રહમાં ભારતની ભાગીદારી અંગે ખુશી વ્યક્ત કરી હતી. બંને દેશો વચ્ચે સંરક્ષણ ભાગીદારી વધારવા માટે નેતાઓ સંમત થયા હતા. તેઓએ યુક્રેનમાં ચાલી રહેલી કટોકટી અને દક્ષિણ ચીન સાગરની સ્થિતિ સહિત સહિયારા હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code