આત્મનિર્ભર ભારતઃ આર્મેનિયા હવે ભારત પાસેથી ખરીદશે સ્વદેશી અસ્ત્ર મિસાઈલ, આકાશમાં વધશે તાકાત
નવી દિલ્હી, 4 ફેબ્રુઆરી 2026: ભારત હવે દુનિયાના સંરક્ષણ બજારમાં એક મોટા નિકાસકાર તરીકે ઉભરી રહ્યું છે. તાજેતરના અહેવાલો મુજબ, આર્મેનિયાએ ભારત નિર્મિત ‘એર-ટુ-એર’ (હવામાંથી હવામાં પ્રહાર કરતી) મિસાઈલો ખરીદવા માટે ભારત સાથે મંત્રણા શરૂ કરી છે. આ સોદાના કેન્દ્રમાં ડીઆરડીઓ દ્વારા વિકસિત અત્યંત શક્તિશાળી અને સ્વદેશી ‘અસ્ત્ર’ મિસાઈલ છે.
આર્મેનિયાએ અસ્ત્ર બીવીઆર (બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ) મિસાઈલમાં વિશેષ રુચિ દાખવી છે. મે 2025માં ભારતીય વાયુસેનાએ અસ્ત્ર એમકે-1 ને ઓપરેશનલ રીતે તૈનાત કરીને તેની સજ્જતા સાબિત કરી દીધી છે. ડીઆરડીઓ હાલમાં અસ્ત્ર એમકે-1 ને વધુ શક્તિશાળી બનાવી રહ્યું છે. જેની હાલની 110 કિમીની રેન્જ વધારીને 160 કિમી કરવામાં આવી રહી છે. જો આ વર્ષના અંત સુધીમાં બંને દેશો વચ્ચે સમજૂતી થશે, તો આર્મેનિયાને સીધું 160 કિમીની રેન્જ ધરાવતું અત્યાધુનિક વર્ઝન મળી શકે છે.
આર્મેનિયા પાસે હાલમાં ચાર એસયુ-30 એસએમ ફાઈટર જેટ્સ છે. આ વિમાનો ભારતીય વાયુસેનાના એસયુ-30 એમકેઆઈ સાથે ઘણી સમાનતા ધરાવે છે. ટેકનિકલ રીતે ‘અસ્ત્ર’ મિસાઈલ આર્મેનિયાના વિમાનોમાં સરળતાથી ફીટ કરી શકાય તેમ હોવાથી આ સોદો બંને દેશો માટે અનુકૂળ માનવામાં આવે છે.
આ પણ વાંચોઃ પાકિસ્તાની સેનાએ બલૂચ લડવૈયાઓ સામે હથિયાર હેઠા મુક્યાં, ખ્વાજા આસિફની કબુલાત


