1. Home
  2. ગુજરાતી
  3. સાજીદ નડિયાદવાળાની અપકમિંગ ફિલ્મ ‘સત્યનારાયણ કી કથા’માં કાર્તિક આર્યન સંગ જોવા મળી શકે છે શ્રધ્ધા કપૂર 
સાજીદ નડિયાદવાળાની અપકમિંગ ફિલ્મ ‘સત્યનારાયણ કી કથા’માં કાર્તિક આર્યન સંગ જોવા મળી શકે છે શ્રધ્ધા કપૂર 

સાજીદ નડિયાદવાળાની અપકમિંગ ફિલ્મ ‘સત્યનારાયણ કી કથા’માં કાર્તિક આર્યન સંગ જોવા મળી શકે છે શ્રધ્ધા કપૂર 

0
Social Share
  • સત્યનારાયણ કી કથામાં શ્રધ્ધા કપૂર જોવા મળી શકે છે
  • કાર્તિક આર્યન હશે લીડ રોલમાં

મુંબઈઃ- બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં જડોવા મળે છે, જોકે હવે તે તેની નવી ફિલ્મ ‘સત્યનારાયણ કી કથા’ની જાહેરાચ કર્યા પછી ફરી તે ચર્ચામાં છે. કાર્તિક આર્યનની નવી ફિલ્મ સાજિદ નડિયાદવાલાના બેનર હેઠળ બનાવવામાં આવી રહી છે. લવ સ્ટોરી પર આધારીત આ ફિલ્મમાં લીડ એક્ટર તરીકે કાર્તિક પહેલા જ ફાઈનલ થઈ ગયો છે, હવે આ ફિલ્મની અભિનેત્રીને લગતી મહત્વની વિગતો સામે આવી રહી છે.

ત્યારે આ ફિલ્મમાં અભિનેત્રી શ્રદ્ધા કપૂરની પણ ચર્ચા થઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે શ્રદ્ધાને આ ફિલ્મ  પસંદ આવી છે અને તેણે તેના માટે મંજૂરી આપી દીધી છે. જોકે, સત્તાવાર જાહેકાત કરવાનું બાકી છે. જો શ્રદ્ધા આ ફિલ્મ સાથે સહમત થાય, તો તે કાર્તિક સાથેની તેની પહેલી ફિલ્મ હશે.પ્રથમ વથત આ બન્ને સાથે જોવા મમળી શકે છે.

બોલિવૂડ એક્ટર સાજિદ શ્રદ્ધા કપૂરને કાર્તિક સામે ફિલ્મમાં કાસ્ટ કરી શકે છે.સાજીદે તેની પસંદીદા અભિનેત્રી શ્રદ્ધાને ‘સત્યનારાયણ કી કથા’માં કાસ્ટ કરવાનું નક્કી કરી લીધું છે અને શ્રદ્ધાને પણ ફિલ્મની વાર્તા અને આઈડિયા ખૂબ પસંદ છે. હકીકતમાં, તેણે ફિલ્મમાં દેખાવાની સંમતિ પણ આપી દીધી છે. જો કે, હજી સુધી વાતચીત ફક્ત મૌખિક રીતે થઈ છે. હાલ શ્રદ્ધા આ ફિલ્મ સાથે સત્તાવાર રીતે સંકળાયેલ નથી.તે બાબતે શ્રધ્ધા કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી, પરંતુ તેણે આ ફિલ્મ માટે ચોક્કસ હામી ભરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code