1. Home
  2. ગુજરાતી
  3. સોનુ સૂદે સાઉથ ફિલ્મને લઈને આપ્યું સ્ટેટમેન્ટ -કહ્યું ‘સાઉથ ફિલ્મોએ મને ખરાબ હિન્દી ફિલ્મોથી બચાવ્યો છે’
સોનુ સૂદે સાઉથ ફિલ્મને લઈને આપ્યું સ્ટેટમેન્ટ -કહ્યું ‘સાઉથ ફિલ્મોએ મને ખરાબ હિન્દી ફિલ્મોથી બચાવ્યો છે’

સોનુ સૂદે સાઉથ ફિલ્મને લઈને આપ્યું સ્ટેટમેન્ટ -કહ્યું ‘સાઉથ ફિલ્મોએ મને ખરાબ હિન્દી ફિલ્મોથી બચાવ્યો છે’

0
Social Share
  • સોનૂ સૂદનું વિવાદિત સ્ટેટમેન્ટ
  • સાઉથ ફિલ્મોએ ખરાબ હિન્દી ફિલ્મોથી મને બચાવ્યો છે

 

મુંબઈઃ- બોલિવૂડ અભિનેતા સોનૂ સૂદ હંમેશા ચર્ચામાં રહે છે,કોરોનાકાળ દરમિયાન મસિહા બનીને ઊભરી આવેલા આ અભિનેતા સમાચારોની હેડલાઈન બનતા રહેતા છે.હિન્દી ફિલ્મો સિવાય સોનુ સૂદ સાઉથની ફિલ્મોમાં પણ કામ કરે છે.  સોનુએ પોતાના કરિયરની શરૂઆત  તમિલ ફિલ્મથી કરી હતી અને પછી તેણે તેલુગુ ફિલ્મમાં કામ કર્યું હતું. આ પછી સોનુએ હિન્દી ફિલ્મોમાં પોતાના કરિયરની શરૂઆત કરી.

ઉલ્લેખનીય છે કે  વર્ષ 2002માં સોનુએ શહીદ-એ-આઝમ સાથે હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી મારી . અત્યારે સોનુની ઘણી ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે, જેમાં હિન્દી અને સાઉથ બંને ફિલ્મોનો સમાવેશ થાય છે. આ દરમિયાન હવે સોનુએ હિન્દી અને સાઉથની ફિલ્મોને લઈને  આપેલું એક નિવેદન ખૂબ વાયરલ થી રહ્યું છે

આ સ્ટેટમેન્ટમાં સોનુએ કહ્યું કે દક્ષિણ ભારતીય ફિલ્મોમાં કામ કરવાથી તે ખરાબ હિન્દી ફિલ્મોમાં કામ કરવાથી બચ્યો છે.આ વાત સોનૂ એ મીડિયા સામે કહીલહતી,મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે હું હંમેશા મારી સ્ક્રિપ્ટને લઈને ચૂઝી રહ્યો છું પછી ભલે હું તમિલ, તેલુગુ કે હિન્દી ફિલ્મો કરું. સાઉથની ફિલ્મો મને ખરાબ હિન્દી ફિલ્મો કરવાથી બચાવે છે. જ્યારે તમે માત્ર એટલા માટે કામ કરો છો કે તમારે માત્ર મોટી ફિલ્મમાં જ જવું છે. ત્યારે સાઉથની ફિલ્મો મને આનાથી દૂર રાખે છે.

ઉલ્લેખનીય છે કે સોનુ હાલમાં જ તેલુગુ ફિલ્મ આચાર્યમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તે વિલનની ભૂમિકામાં હતો. આ ફિલ્મમાં સોનુની સાથે ચિરંજીવી અને રામ ચરણ લીડ રોલમાં હતા. હવે સોનુ પૃથ્વીરાજ ફિલ્મમાં જોવા મળવાનો છે. આ ફિલ્મમાં અક્ષય પૃથ્વીરાજની ભૂમિકા ભજવી રહ્યો છે

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code