1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાતમાં હવે GST વસૂલાત માટે સખતાઈ વધશેઃ આવક વધારવા નાણા મંત્રાલયનો નિર્દેશ
ગુજરાતમાં હવે GST વસૂલાત માટે સખતાઈ વધશેઃ આવક વધારવા નાણા મંત્રાલયનો નિર્દેશ

ગુજરાતમાં હવે GST વસૂલાત માટે સખતાઈ વધશેઃ આવક વધારવા નાણા મંત્રાલયનો નિર્દેશ

0
Social Share

અમદાવાદઃ દેશમાં જીએસટીની આવકમાં ગુજરાત મોખરે છે. મંદીના સમયમાં પણ ગુજરાતમાંથી કેન્દ્રને જીએસટીની વધુ આવક થઈ હતી. કેન્દ્ર સરકાર હાલ જીએસટીની આવક વધારવાના પ્રયાસો કરી રહી છે. કેન્દ્રીય નાણા મંત્રાલયે હવે દર મહિને દેશમાં જીએસટી સહિતની આવકનું રૂપિયા 1 લાખ કરોડથી ઉપરનું લક્ષ્યાંક રાખ્યું છે. તેથી જીએસટીની વસૂલાતમાં હવે રહેમરાહે કામગીરી કરવામાં આવશે નહીં બલ્કે સખત કાર્યવાહી કરવામાં આવશે તેવો નિર્ણય નાણા મંત્રાલય દ્વારા પણ લઈ લેવામાં આવ્યો છે અને તેની જાણ સંબંધિત તંત્ર વાહકોને કરી દેવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. ગુજરાતમાં પણ જીએસટીની વસુલાત માટે કડક કાર્યવાહી કરવા અધિકારીઓ સજ્જ બની ગયા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ દેશમાં કોરોનાના સંક્રમણને લીધે રોજગાર-ધંધામાં હાલ મંદી ચાલી રહી છે. મંદીને લીધે સરકારની આવકમાં ઘટાડો ન થાય તેની તકેદારી રાખવાની સુચના આપી દેવામાં આવી છે. સમૃદ્ધ ગણાતું ગુજરાત પણ સકારને જીએસટીની આવક રળી આપવામાં મોખરે છે. ગત ફેબ્રુઆરી 2021 ના મહિનામાં મળેલી કુલ જીએસટીની આવક રુ. 1,13,143 કરોડ હતી. 2020 ના ફેબ્રુઆરીની આવક કરતા 2021ના ફેબ્રુઆરીની જીએસટીની આવકમાં 7 ટકાનો વધારો થયો હતો. કેન્દ્રને 21,092 કરોડની સીજીએસટી આવક,રૂપિયા, 27,273 કરોડ એસજીએસટી આવક, રૂપિયા. 55,253 કરોડ આઈજીએસટી આવક, રૂપિયા 24,382ની કરોડ માલસામાનની આયાત અને રુ. 9525 કરોડનો સેસની આવક થઈ હતી. જીએસટીની આવક મુજબ દરેક રાજ્યોને વળતર ચૂકવવામાં આવે છે. તાજેતરમાં રાજ્યના કૉમર્શિયલ ટૅક્સ ડિપાર્ટમેન્ટે આપેલા ડેટા મુજબ ગુજરાતે હજુ કેન્દ્ર સરકાર પાસેથી કરોડોનું જીએસટી વળતર મેળવવાનું બાકી છે.

રાજ્ય સરકારના અંદાજ મુજબ ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં ગુજરાત કેન્દ્ર પાસેથી રૂપિયા 23,200 કરોડનું વળતર મેળવવાને પાત્ર હશે. કેન્દ્ર સરકારને પણ જીએસટીની આવક પર મોટો મદાર રાખવો પડે છે. છેલ્લા બે-ત્રણ મહિનાથી જીએસટીની આવક વધી રહી છે.પાછલા કેટલાક માસ દરમિયાન જીએસટીમાં અપનાવવામાં આવી રહેલી ટેકનોલોજી મારફત સરકારને એવી આશા છે કે હવે પછીના લક્ષ્યાંક સરળતાથી પ્રાપ્ત કરી શકાશે. વરિષ્ઠ અધિકારીએ એવી માહિતી આપી છે કે જીએસટી ના અધિકારીઓ દ્વારા સર્વેલન્સ માળખા ને વધુ આધુનિક બનાવવામાં આવ્યું છે અને તેમાં વધારો પણ કરવામાં આવ્યો છે અને એટલા માટે જ પાછલા મહિનાઓ દરમિયાન જીએસટીની વસુલાત ના નવા નવા રેકોર્ડ બનાવ્યા છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code