1. Home
  2. Tag "Administration"

દિલ્હી-NCR ની 100થી વધારે સ્કૂલોને બોમ્બની મળી ધમકી, તંત્ર દોડતું થયું

નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે તાજેતરમાં જ કેટલાક એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. હવે દિલ્હી-એનસીઆરની ઘણી સ્કૂલોને ધમકીભર્યા ઈમેલ મળ્યા છે, જેમાં સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હી-એનસીઆરની 100થી વધુ શાળાઓમાં બોમ્બની ધમકી મળી છે. જેમાં ડીપીએસ, એમિટી, મધર મેરી સ્કૂલ સહિત અનેક […]

કેન્યામાં ભારે વરસાદ વચ્ચે જૂના કિજાબે ડેમમાં ભંગાણ, 40થી વધારેના મોતની આશંકા

નવી દિલ્હીઃ કેન્યામાં ભારે વરસાદને પગલે જીનજીવન ખોરવાયું છે, તેમજ અનેક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે. કેન્યામાં ભારે વરસાદને પગલે અત્યાર સુધીમાં 100થી વધારે વ્યક્તિઓના મોત થયાં છે. દરમિયાન કેન્યાના પશ્ચિમ વિસ્તારમાં ડેમ તૂટવાની ઘટના બનતા તંત્ર દોડતું થઈ ગયું છે. આ દૂર્ઘટનામાં 40થી વધારે વ્યક્તિઓના મોત થયાનું ચર્ચાય રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા […]

‘ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમના વહીવટમાં ભારતનો પ્રગતિશીલ પથ’ શીર્ષક ધરાવતા સંમેલનનું આયોજન

નવી દિલ્હીઃ જૂનાં કાયદાઓને રદ કરીને અને નાગરિક કેન્દ્રિત હોય અને જીવંત લોકશાહીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે કાયદાઓ લાવવા માટે દેશમાં ફોજદારી ન્યાય પ્રણાલીને સુધારવા માટે ત્રણ કાયદા ઘડવામાં આવ્યા છે. કાયદાઓ એટલે કે ભારતીય ન્યાય સંહિતા, 2023; ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023, અને ભારતીય શક્તિ અધિનિયમ, 2023, અગાઉના ફોજદારી કાયદાઓ જેવા કે, ભારતીય દંડ […]

અમદાવાદ અને સુરત સહિત રાજ્યભરમાં ધાર્મિક માહોલમાં ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન

અમદાવાદઃ રાજ્યભરમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. દસ દિવસ સુધી બાપાની સેવા-પૂજા કર્યા બાદ આજે અમદાવાદ સહિત રાજ્યભરમાં ધાર્મિક માહોલમાં ગણેશજીની મુર્તિનું વિસર્જન કરવામાં આવ્યું છે. અમદાવાદ, વડોદરા અને સુરત સહિતના શહેરોમાં ગણેશજીની મુર્તિના વિસર્જન માટે વિશેષ કુંડ બનાવવામાં આવ્યાં હતા. તેમજ રાજ્યભરમાં સુરક્ષાને લઈને વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ગણેશ વિસર્જનને લઈને […]

જ્ઞાનવાપીમાં મસ્જિદ સંકુલમાં વહીવટીતંત્રની દરમિયાનગીરીથી ASIએ ભોંપરુ ખોલાવી તપાસ કરી

નવી દિલ્હીઃ જ્ઞાનવાપી કેમ્પસના ASI સર્વેનો આજે બીજો દિવસ છે, સવારથી ASIની ટીમ રેડિયેશન ટેકનિક દ્વારા મસ્જિદ સંકુલની તપાસ કરી રહી હતી. દરમિયાન આજે વહીવટીતંત્રની દરમિયાનગીરી બાદ અહીંનું ભોંયરું ખોલવામાં આવ્યું હતું. મસ્જિદના કેરટેકર એજાઝ અહેમદે થોડા સમય પહેલા ભોંયરાના તાળા ખોલ્યા હતા. જે બાદ ASIની ટીમ ભોંયરામાં અંદર પ્રવેશી હતી. ટીમ વજુખાના સિવાય દરેક […]

ચોમાસામાં સંભવિત કુદરતી આપત્તિ સામે ગુજરાતનું વહિવટીતંત્ર સંપૂર્ણ તકેદારી સાથે સુસજ્જ

ગાંધીનગરઃ રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમારે રાજ્યના તમામ વિભાગો અને કેન્દ્રીય સુરક્ષા એજન્‍સીઓ, લશ્‍કરની ત્રણેય પાંખના પ્રતિનિધિઓ, કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો સહિત વહિવટી તંત્રના તમામ  અધિકારીશ્રીઓ સાથે આજે ગાંધીનગર ખાતે બેઠક યોજી ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિના સામના માટેના આગોતરા આયોજન અને સજ્જતાની સમીક્ષા કરી હતી. ગાંધીનગર ખાતે યોજાયેલી આ ‘‘પ્રિમોનસુન પ્રિપેર્ડનેસ’’ અંગેની બેઠકના અઘ્યક્ષસ્થાનેથી મુખ્ય […]

વિવાદાસ્પદ જ્ઞાનવાપી મસ્જિદઃ શિવલીંગની પુજા કરતા સ્વામી અવિમુક્તેશ્વરાનંદજી અટકાવવાના પ્રયાસો

નવી દિલ્હીઃ વારાણસીમાં વિવાદાસ્પદ જ્ઞાનવાપી મસ્જિદના વઝુખાનામાં શિવલિંગને જળ ચઢાવવાની અને પૂજા કરવાની જાહેરાત કરનાર શ્રી શંકરાચાર્ય સ્વામિસ્વરૂપાનંદજીના શિષ્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીએ વહીવટી તંત્ર પાસે મંજૂરી માગી હતી. પરંતુ વહીવટી તંત્રએ મંજૂરી આપી ન હતી. એટલું જ નહીં આજે તેમના મઠની બહાર પોલીસ તૈનાત કરીને તેમને અટકાવામાં આવ્યાં હતા. જેથી અવિમુક્તેશ્વરાનંદજીએ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે […]

જહાંગીરપુરી હિંસાઃ વહીવટી તંત્રએ આરોપીઓની ગેરકાયદે મિલકત સામે એકશન શરૂ કર્યુ

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જ્યંતીના દિવસે થયેલી હિંસાને લઈને પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. બીજી તરફ વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યું છે. ઉત્તર દિલ્હી નગર નિગમ દ્વારા હિંસાના આરોપીઓની ગેરકાયદે સંપતિ ઉપર બુલડોઝર ફેરવાનો નિર્ણય લીધો હતો. તેમજ 1500 પોલીસ જવાનોને તૈનાત કરીને વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરીનો પ્રારંભ […]

ગુજરાતના વન વિભાગમાં અધિકારીઓની અનેક જગ્યાઓ ખાલી, ઈન્ચાર્જથી ચાલતો વહિવટ

અમદાવાદઃ રાજ્યમાં વન વિભાગમાં ક્લાસ વન અધિકારીઓની અનેક જગ્યાઓ ખાલી છે. વન વિભાગના તાબા હેઠળ નક્કી કરવામાં આવેલી 77 નાયબ વન સંરક્ષકની જગ્યાઓ અને આઇએફએસ કેડરની 28 જગ્યાઓ પૈકી મોટાભાગની જગ્યાઓ પર વન સેવાના નાયબ વન સંરક્ષક ચાર્જમાં છે. માત્ર ચાર નાયબ વન સંરક્ષક હાલમાં ફરજ બજાવી રહ્યાં છે. તે પૈકી આગામી બે મહિનામાં બે […]

ગુજરાતમાં ઉત્તરાયણમાં કોરોનાના સંક્રમણને લઈને તંત્ર ચિંતિત

અમદાવાદઃ ગુજરાતમાં ઉત્તરાયણની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે એટલું જ નહીં અમદાવાદની ઉત્તરાયણ સમગ્ર દેશમાં જાણીતી છે. બીજી તરફ હાલ કોરોનાકાળ ચાલી રહ્યો છે અને આગામી દિવસોમાં ઉત્તરાયણને લઈને લોકો મોટી સંખ્યામાં પતંગ અને માજાની ખરીદી કરવા ઉમટી પડવાની શકયતાઓ વ્યક્ત થઈ છે. જેથી આ સમયગાળો તંત્ર માટે મુશ્કેલી ભર્યો રહેવાની શકયતા છે. ગુજરાત હાઈકોર્ટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code