1. Home
  2. ગુજરાતી
  3. મહાકુંભમાં ભોગદોડમાં 31ના મોતની આશંકા, ભીડ દૂર થયા બાદ શરૂ થશે અખાડાઓનું અમૃત સ્નાન
મહાકુંભમાં ભોગદોડમાં 31ના મોતની આશંકા, ભીડ દૂર થયા બાદ શરૂ થશે અખાડાઓનું અમૃત સ્નાન

મહાકુંભમાં ભોગદોડમાં 31ના મોતની આશંકા, ભીડ દૂર થયા બાદ શરૂ થશે અખાડાઓનું અમૃત સ્નાન

0
Social Share

મહાકુંભ નગર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાકુંભમાં મૌની અમાવસ્યાના અવસર પર સ્નાન કરનારાઓની વિશાળ ભીડમાં ભાગદોડને કારણે થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે. તેમજ પીએમ મોદીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે પણ સતત સંપર્ક જાળવી રાખ્યો છે અને પીડિતોને શક્ય તેટલી મદદ પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો છે. રિવોઈ(રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા)ના ઉત્તરપ્રદેશના પ્રતિનિધિ યોગેશ ગુપ્તાના જણાવ્યા અનુસાર, આ દૂર્ઘટનામાં કેટલાના મૃત્યુ થયાં તેનો સત્તાવાર આંકડો હજુ જાહેર કરવામાં આવ્યો નથી. પરંતુ  31 મૃતદેહો કોલ્વિન હોસ્પિટલના શબઘરમાં લાવવામાં આવ્યા હોવાનું ચર્ચાય રહ્યું છે.

ટ્વિટર પર એક પોસ્ટમાં પીએમ મોદીએ કહ્યું, ‘પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી દુર્ઘટના અત્યંત દુઃખદ છે. આ દુર્ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનારા ભક્તો પ્રત્યે મને ઊંડી સંવેદના છે. આ સાથે, હું તમામ ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરું છું. સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં વ્યસ્ત છે. આ સંદર્ભમાં, મેં મુખ્યમંત્રી યોગીજી સાથે વાત કરી છે અને હું સતત રાજ્ય સરકારના સંપર્કમાં છું.

દરમિયાન, અખાડા પરિષદે જાહેરાત કરી છે કે ભીડ વિખેરાઈ ગયા પછી વિવિધ અખાડાઓના સંતો અને મુનિઓ અમૃત સ્નાન માટે જશે. જોકે, કોઈપણ પ્રકારની શોભાયાત્રા કાઢવામાં આવશે નહીં. કડક સુરક્ષા હેઠળ ફક્ત સંતો જ સ્નાન કરશે. આ પહેલા અખાડા પરિષદે અકસ્માતને ધ્યાનમાં રાખીને અમૃત સ્નાન રદ કરવાની જાહેરાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે મંગળવારે મધ્યરાત્રિ પછી 1 થી 2 વાગ્યાની વચ્ચે સંગમ પાસે નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માતમાં લગભગ દોઢ ડઝન શ્રદ્ધાળુઓના મોત થયા હતા જ્યારે ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, મૌની અમાવસ્યાના દિવસે મોટી સંખ્યામાં લોકો સ્નાન માટે સંગમ તરફ આગળ વધી રહ્યા હતા. તે પોલ નંબર ૧૧ થી ૧૭ વચ્ચે ચાલી રહ્યા હતા ત્યારે અચાનક પાછળથી ખૂબ જ ઝડપે લોકોનું ટોળું આવ્યું અને આ દૂર્ઘટના સર્જાઈ હતી. જોકે, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મૃતકોની સંખ્યાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. પરંતુ અપ્રમાણિત સૂત્રોએ જણાવ્યું હતું કે સવારે 7.30 વાગ્યા સુધીમાં, 31 મૃતદેહો કોલ્વિન હોસ્પિટલના શબઘરમાં લાવવામાં આવ્યા હતા. 200 થી વધુ શ્રદ્ધાળુઓની સારવાર ચાલી રહી છે. ઘાયલો અને મૃતકોને 40 થી વધુ એમ્બ્યુલન્સ દ્વારા સેન્ટ્રલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ઘાયલોને અન્ય હોસ્પિટલોમાં પણ સારવાર આપવામાં આવી રહી છે.

સગાસંબંધીઓના બૂમોથી સંગમથી મહાકુંભના કેન્દ્રીય હોસ્પિટલ સુધી અંધાધૂંધી મચી ગઈ. આખી રાત એમ્બ્યુલન્સના સાયરન વાગતા રહ્યા. બેરિકેડિંગને કારણે આ અકસ્માત થયો હોવાનું કહેવાય છે. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં દળો તૈનાત કરવામાં આવ્યા છે. હાલમાં સ્નાન ચાલી રહ્યું છે. તેમજ સંગમ વિસ્તારમાંથી લોકોને દૂર કરવા માટે બેરિકેડિંગ દૂર કરવામાં આવ્યું છે. જોકે, સંગમ કિનારે હજુ પણ લોકોની ભીડ છે. ભાગદોડ પછી પણ લોકો કોઈક રીતે સંગમ કાંઠા તરફ જવાનો પ્રયાસ કરી રહ્યા છે જ્યારે સંતો અને મંહતોએ લોકોને સંગમ કાંઠે ન જવાની અપીલ કરી છે.

અકસ્માત બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ શ્રદ્ધાળુઓને સંગમ તરફ ન આવવા અપીલ કરી છે. સીએમ યોગીએ કહ્યું કે લોકોએ માતા ગંગાના ઘાટ પર સ્નાન કરવું જોઈએ જે તેમની નજીક છે. સંગમ  પર જવાનો પ્રયાસ કરશો નહીં. સ્નાન માટે ઘણા ઘાટ બનાવવામાં આવ્યા છે. સ્નાન કોઈપણ ઘાટ પર કરી શકાય છે. યોગીએ કહ્યું કે લોકોએ વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવું જોઈએ અને વ્યવસ્થા કરવામાં સહયોગ કરવો જોઈએ. કોઈપણ અફવાઓ પર ધ્યાન ન આપો.

સીએમ યોગીએ કહ્યું, ‘ગઈકાલે સાડા પાંચ કરોડ ભક્તોએ મહાકુંભમાં સ્નાન કર્યું.’ સંગમ પર સતત દબાણ રહે છે. પરંતુ વહીવટીતંત્ર સ્થળ પર હાજર છે. સવારથી, વર્તમાન પરિસ્થિતિ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચાર વાર વાતચીત થઈ છે. તેમણે વર્તમાન પરિસ્થિતિ વિશે પૂછપરછ કરી છે. ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યપાલ આનંદીબેન પટેલે પણ મુખ્યમંત્રી સાથે વાત કરી. આ સાથે, મુખ્યમંત્રીએ લખનૌ સ્થિત તેમના નિવાસસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક પણ બોલાવી હતી. આમાં મુખ્ય સચિવ, ગૃહ સચિવ, ડીજીપી તેમજ એડીજી કાયદો અને વ્યવસ્થાનો સમાવેશ થતો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code