1. Home
  2. Tag "ahmedabad"

અમદાવાદમાં અસલાલીમાં આવેલી ફેકટરીમાં લાગી ભીષણ આગ

આગની જાણ થતાં ફાયર વિભાગની 10 ગાડીઓ પહોંચી, ફેકટરીમાં થીનરનો જથ્થો હોવાથી આગે વિકરાળરૂપ ધારણ કર્યુ, અમદાવાદઃ શહેરના અસલાલી વિસ્તારમાં આવેલી એકતા હોટલની સામે એક ફેક્ટરીમાં આગ ફાટી નિકળતા ફાયર વિભાગની 10 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. પ્રાથમિક તપાસમાં ફેક્ટરીમાં થીનરનો જથ્થો હોવાથી આગે વિકરાળરૂપ ધારણ કર્યુ હતુ. આગને લીધે ફેકટરીના આજુબાજુના વિસ્તારમાં અફડાતફડી […]

અમદાવાદના જમાલપુરમાં AMCનું મેગા ડિમોલિશન, 30 દૂકાનો તોડી પડાઈ

મ્યુનિની જમીનમાં 30 દૂકાનો બાંધી દેવામાં આવી હતી, ભાડા કરાર પૂરો થયા બાદ મ્યુનિને 16 વર્ષે દબાણો થયેલા યાદ આવ્યા, દબાણો હટાવીને 13000 વાર જગ્યા ખૂલ્લી કરાશે અમદાવાદઃ શહેરના જમાલપુર વિસ્તારમાં એએમસીએ મેગા ડિમોલિશન હાથ ધર્યુ હતુ. જમાલપુરમાં ઊંટવાળી ચાલી પાસે મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યામાં ગેરકાયદે બંધાયેલી કુલ 30 દુકાનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મ્યુનિના એસ્ટેટ […]

અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025 : જ્ઞાન, કળા અને સંસ્કૃતિના મહાકુંભનો ગુરુવારથી પ્રારંભ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ નેશનલ બુક ટ્રસ્ટ ઈન્ડિયાના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ 13 થી 23 નવેમ્બર 2025 દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર, પાલડી ખાતે ‘અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2025’ યોજાશે અમદાવાદ, 11 નવેમ્બર 2025: Ahmedabad International Book Festival 2025 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ નેશનલ બુક ટ્રસ્ટ ઈન્ડિયાના સંયુક્ત ઉપક્રમે હેરિટેજ સિટી અમદાવાદને સાહિત્ય અને પુસ્તક પ્રકાશન […]

દિલ્હીની આતંકી ઘટના બાદ અમદાવાદમાં સરદાર પટેલ એરપોર્ટની સુરક્ષામાં કરાયો વધારો

એરપોર્ટ પર પેસેન્જર સ્ક્રીનીંગ પ્રોટોકોલ વધારવામાં આવ્યા, એરપોર્ટના પ્રવેશ અને બહાર નીકળવાના પોઈન્ટ્સ પર સુરક્ષા જવાનોની સંખ્યા વધારાઈ, પ્રવાસીઓને ફ્લાઇટના સમય પહેલાં પહોંચવા અપીલ કરાઈ   અમદાવાદઃ  દિલ્હીમાં કાર બ્લાસ્ટની ઘટનાને પગલે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (SVPIA) પર સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. એરપોર્ટ પર તમામ પ્રવાસીઓના લગેજનું સ્કેનિંગ દ્વારા ત્રિસ્તરિય ચેકિંગ […]

અમદાવાદમાં શ્રમિકોના યોજાયેલા મહાસંમેલનમાં સરકારની નીતિ-રીતિ સામે વિરોધ કરાયો

શ્રમિક આક્રોશ રેલીમાં કામદારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા, ભારતીય મજદૂર સંઘ સંલગ્ન 161 યુનિયનો અને મહાસંઘ દ્વારા પ્રશ્નો ઉકેલવા માગ કરી, શ્રમિકોના વિવિધ પ્રશ્નોને લઈને કુલ 14 પ્રકારના આવેદનપત્રો તૈયાર કરાયા અમદાવાદઃ શહેરના રિવરફ્રન્ટ પર આજે ભારતીય મજદૂર સંઘ દ્વારા દત્તોપંત ઠેંગડીજીની 106મી જન્મજયંતી નિમિત્તે મહાસંમેલનનું આયોજન કરાયુ હતુ. જેમાં ભારતીય મજદૂર સંઘ સાથે જોડાયેલાં […]

અમદાવાદમાં પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યા નિવારવા AMC અસરકારક પગલાં લેશે

સિંધુભવન, બોપલ-આંબલી અને રાજપથને ઝીરો ટોલરન્સ ઝોન જાહેર કરાશે, શહેરમાં ફુટપાથનો સર્વે કરી ગ્રીલ લગાવવા સૂચના, શહેરમાં કેટલાક કોમર્શિયલ કોમ્પ્લેક્સ, મોલ વગેરે પાસે પાર્કિંગની પૂરતી સુવિધા જ નથી અમદાવાદઃ શહેરમાં વસતી સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. તેના લીધે શહેરના દરેક વિસ્તારોમાં ટ્રાફિક અને વાહન પાર્કિંગની સમસ્યા માથાના દુઃખાવારૂપ બનતી જાય છે. લોકો […]

અમદાવાદના ન્યુ મણિનગર વિસ્તારમાં પેટ ડોગ જર્મન શેફર્ડે બે બાળકો પર કર્યો હુમલો

મહિલા પાલતુ કૂતરાને લઈને પાર્કિંગમાંથી જતી હતી, કૂતરાને જોઈને બાળકો ભાગતા પાછળ કૂતરાએ દોડ મુકી, એક બાળક નીચે પડી જતાં કૂતરાએ એના દાંત બેસાડી દીધા અમદાવાદઃ શહેરના ન્યૂ મણિનગર વિસ્તારમાં પાલતુ ડોગએ બાળકો પર હુમલો કર્યાનો બનાવ બન્યો છે. ન્યુ મણિનગર વિસ્તારામાં  ડૂન રિવેરા સ્કૂલ પાસે આવેલા શરણમ એલિગન્સમાં પેટ ડોગ જર્મન શેફર્ડે બે બાળક […]

અમદાવાદના SG હાઈવે પર દબાણ હટાવવા ગયેલી AMCની ટીમ અને લારીગલ્લાવાળા વચ્ચે ઘર્ષણ

SG હાઈવે પર સેટેલાઈટ મોલ સામે દબાણ હટાવાતા થઈ માથાકૂટ, લારી-ગલ્લાવાળાઓએ માલ-સામાન પરત આપવાનું કહીને બબાલ કરી, બે શ્રમિકાનો સામાન્ય ઈજા, ત્રણની ધરપકડ અમદાવાદઃ શહેરના એસજી હાઇવે પર સેટેલાઈટ મોલની સામે એએમસીના દક્ષિણ પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા દબાણો હટાવવાની કામગીરી દરમિયાન લારી ગલ્લાવાળા તથા મ્યુનિની ટીમ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં એક મજૂરને […]

અમદાવાદઃ અટલ બ્રિજની 3 વર્ષમાં 77.71 લાખ પ્રવાસીઓએ લીધી મુલાકાત

અમદાવાદઃ ભારતના પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદમાં સાબરમતી નદી પર નિર્મિત આઈકોનિક અટલબ્રિજ આજે અમદાવાદના નગરવાસીઓ સહિત દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. દિવાળી વેકેશન હોય કે ઉનાળાનું વેકેશન, આ અટલ ફૂટ ઓવર બ્રિજ લોકો માટે ફરવાનું ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 27 ઓગસ્ટ, 2022ના રોજ અટલબ્રિજને જાહેર જનતા માટે ખુલ્લો મૂક્યો […]

અમદાવાદના વટવા રેલવે સ્ટેશન પર મેગા ટર્મિનલ બનાવાશેઃ રેલમંત્રીની જાહેરાત

ટર્મિનલ બન્યા બાદ અમદાવાદથી દરરોજ 150 ટ્રેન ઉપડી શકશે, વટવા ખાતે રેલવેની પૂરતી જગ્યા અને સારી સુવિધા છે, વટવાના નવા ટર્મિનલમાં ટ્રેનોનું મેન્ટેનન્સ કરી શકાશે અમદાવાદઃ શહેરમાં કાળુપુર રેલવે સ્ટેશનનું રિ-ડેવલપમેન્ટનું કામ હાલ ચાલી રહ્યું છે. ત્યારે અમદાવાદને વધુ ટ્રેનોનો લાભ મળે તે હેતુથી વટવા રેલવે સ્ટેશન પર મેગા ટર્મિનલ બનાવવાની રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code