1. Home
  2. Tag "AJIT PAWAR"

સુનેત્રા પવાર મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બનશે, સાંજે 5 વાગ્યે લેશે શપથ

નવી દિલ્હી, 31 જાન્યુઆરી 2026: અજિત પવારના પત્ની સુનેત્રા પવાર આજે સાંજે 5 વાગ્યે મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. બપોરે 2 વાગ્યે NCP વિધાનસભા પક્ષની બેઠકમાં તેમને સત્તાવાર રીતે નેતા તરીકે ચૂંટવામાં આવશે. જે બાદ સુનેત્રા પવાર મહારાષ્ટ્રના નવા નાયબ મુખ્યમંત્રી બનશે. અજિત પવારના પત્ની સુનેત્રા પવાર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બનવાના છે. […]

અજિત પવાર વિમાન દુર્ઘટના: પુણે પોલીસે નોંધ્યો એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ

પુણે, 29 જાન્યુઆરી 2026: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના નિધનનું કારણ બનેલી વિમાન દુર્ઘટના મામલે પુણે ગ્રામીણ પોલીસે બારામતી તાલુકા પોલીસ સ્ટેશનમાં એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (ADR) દાખલ કર્યો છે. આ ભયાનક અકસ્માત પાછળના કારણો જાણવા માટે હાલ તપાસ તેજ કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) અને એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો […]

અજિત પવારના નિધન પર સચિન તેંડુલકર સહિતના ખેલાડીઓએ શોક વ્યક્ત કર્યો

નવી દિલ્હી, 28 જાન્યુઆરી 2026: ભારતીય રમત જગતે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના નિધન પર શોક વ્યક્ત કર્યો છે, જેમનું આજે, 28 જાન્યુઆરી, 2026 ના રોજ બારામતી નજીક વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું. જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિઓની ચૂંટણીઓ વચ્ચે, નાયબ મુખ્યમંત્રી અજિત પવાર એક જાહેર સભામાં હાજરી આપવા માટે મુંબઈથી બારામતી જઈ રહ્યા હતા. […]

અજિત પવારજી લોકોના નેતા હતા, જેમનો પાયાના સ્તરે લોકો સાથે ઊંડો સંબંધ હતોઃ મોદી

નવી દિલ્હી, 28 જાન્યુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​અજિત પવારજીના નિધન પર શોક વ્યક્ત કર્યો. મોદીએ જણાવ્યું કે અજિત પવારજી મહારાષ્ટ્રના લોકોની સેવામાં મોખરે રહેલા મહેનતુ વ્યક્તિત્વ તરીકે વ્યાપકપણે આદરણીય હતા. વહીવટી બાબતોની તેમની સમજ અને ગરીબ અને વંચિતોને સશક્ત બનાવવાનો તેમનો જુસ્સો પણ પ્રશંસનીય હતો. મોદીએ કહ્યું, “તેમનું અકાળ અવસાન ખૂબ જ આઘાતજનક […]

અજિત પવારે સાડા ત્રણ દાયકામાં મહારાષ્ટ્રના સમાજના દરેક વર્ગના કલ્યાણ માટે પોતાને સમર્પિત કર્યા: અમિત શાહ

નવી દિલ્હી, 28 જાન્યુઆરી 2026: કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે છેલ્લા સાડા ત્રણ દાયકામાં મહારાષ્ટ્રમાં સમાજના દરેક વર્ગના કલ્યાણ માટે અજિત પવારે જે સમર્પણ દર્શાવ્યું છે તેનું શબ્દોમાં વર્ણન કરી શકાય નહીં. ‘X’ પર એક પોસ્ટમાં અમિત શાહે […]

‘બારામતી વિમાન દુર્ઘટનાની સંપૂર્ણ તપાસ થવી જોઈએ’- મમતા બેનર્જી

નવી દિલ્હી, 28 જાન્યુઆરી 2026: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પર ઊડો શોક વ્યક્ત કર્યો છે. ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં, તેમણે બારામતીમાં થયેલા દુ:ખદ વિમાન દુર્ઘટનાની સંપૂર્ણ તપાસની માંગ કરી છે. આ અકસ્માતમાં અજિત પવાર સહિત પાંચ લોકોના મોત થયા હતા. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ તપાસ […]

જલગાંવ ટ્રેન દૂર્ઘટના ચા વાળાએ આગની અફવા ફેલાવતા સર્જાઈઃ અજીત પવાર

પુણે: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું કે જલગાંવ ટ્રેન અકસ્માત એ પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગવાની અફવા ફેલાવવાનું પરિણામ હતું, જે ટ્રેનની અંદર ચા વેચનાર દ્વારા ફેલાવવામાં આવી હતી. આ અફવાને કારણે લોકો ગભરાઈ ગયા અને કેટલાક મુસાફરોએ ટ્રેનમાંથી કૂદી પડ્યા હતા. મુંબઈ જતી પુષ્પક એક્સપ્રેસમાં ઈમરજન્સી ચેઈન ખેંચાયા બાદ, કેટલાક મુસાફરો ટ્રેનમાંથી નીચે ઉતર્યા […]

ભાજપ ફરી એકનાથ શિંદે અને અજિત પવારને પાવર બતાવશે, એકલા હાથે ચૂંટણી લડવાનો પ્લાન

મહારાષ્ટ્રમાં ભાજપે વિધાનસભા ચૂંટણીમાં 133 બેઠકો જીતીને ચમત્કાર કર્યો હતો. માત્ર 148 બેઠકો પર લડેલી ભાજપે લગભગ 90 ટકા બેઠકો જીતી છે અને મહારાષ્ટ્રના રાજકારણમાં ભાજપની આ સૌથી મોટી સફળતા છે. તેની પાછળ આરએસએસનું આયોજન અને મહેનત પણ એક કારણ માનવામાં આવે છે. આ દરમિયાન આરએસએસ અને ભાજપે પણ નાગરિક ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી […]

સરકાર બનતા જ અજિત પવારને મોટી રાહત, આવકવેરા વિભાગ 1000 કરોડની સંપત્તિ પરત કરશે

મહારાષ્ટ્રમાં મહાગઠબંધન સરકારની રચના સાથે નાયબ મુખ્યમંત્રી અજિત પવારને મોટી રાહત મળી છે. આવકવેરા વિભાગે 2021માં 1000 કરોડ રૂપિયાથી વધુની જપ્ત કરેલી સંપત્તિઓને મુક્ત કરી છે. બેનામી પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન્સ પ્રિવેન્શન એપેલેટ ટ્રિબ્યુનલે તેમની અને તેમના પરિવાર સામે બેનામી સંપત્તિ ધરાવવાના આરોપોને રદ કર્યા પછી આ પગલું લેવામાં આવ્યું છે. શપથ લીધાના એક દિવસ પછી રાહત […]

મહારાષ્ટ્રમાં ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસએ મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કર્યાં

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કેટલાક દિવસોથી ચાલી રહેલી રાજકીય ગરમાગરમી વચ્ચે આજે મહાયુતિની નવી સરકાર બની છે. દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં આયોજીત એક ભવ્ય સમારોહમાં દેવેન્દ્ર ફડણવીસએ મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કર્યાં હતા. આ ઉપરાંત નવી સરકારમાં ફરીથી બે નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યાં છે. શિસવેનાના પ્રમુખ એકનાથ શિંદે અને એનસીપીના પ્રમુખ અજીત પવારએ નાયબ મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કર્યાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code