1. Home
  2. Tag "AMTS"

અમદાવાદના સારંગપુર બસ સ્ટેન્ડમાં શેડ ધરાશાયી, કાટમાળ નીચે દબાઈ બસ

અમદાવાદઃ શહેરના સારંગપુર વિસ્તારમાં આવેલા એએમટીએસ બસ સ્ટેન્ડમાં આજે સવારે અચાનક એક શેડ ધરાશાયી થયો હતો. જેથી નાસભાગ મચી ગઈ હતી. લોખંડના થાંભલાના આવેલા કાટના કારણે શેડ ધરાશાયી થયો હોવાનું જાણવા મળે છે. શેડના કાટમાળ નીચે બસ દબાઈ હતી. જો કે, સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. ક્રેનની મદદથી શેડના […]

વેક્સિનના બે ડોઝના સર્ટી હશે તેવા લોકોને જ AMTS, BRTS, કાંકરિયા લેકફ્રન્ટ, રિવરફ્રન્ટમાં પ્રવેશ મળશે

અમદાવાદઃ શહેરમાં કોરોનાના 16 કેસ નોંધાતા મ્યુનિ.કોર્પોરેસનનું આરોગ્ય તેત્ર એલર્ટ બની ગયું છે. બીજીબાજુ વેક્સિનેશનની ઝૂંબેશ સઘન બનાવવામાં આવી છે. કોરોના સામે રક્ષણ મેળવવા માટે વેક્સિનના બંને ડોઝ લેવા જરૂરી છે. પરંતુ AMCના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ 9 લાખ લોકોને બીજો ડોઝ લેવાની સમય મર્યાદા થઈ પુરી થઈ ગઈ છે. છતાં હજી બીજો ડોઝ લીધો […]

નવરાત્રી દરમિયાન એએમટીએસ દ્વારા ધાર્મિક પ્રવાસ, શહેરના માતાજીના મંદિરોમાં પ્રવાસીઓને દર્શને લઈ જવાશે

અમદાવાદ :  શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં મંદિરો અને દાર્મિક સ્થલો આવેલા છે. નવરાત્રી દરમિયાન લોકો માતાજીના મંદિરમાં દર્શન કરી શકે તે માટે  લોકોને માત્ર રૂપિયા 60માં ધાર્મિક પ્રવાસ કરાવવાનો નિર્ણય મ્યુનિ.કોર્પોરેશનના એએમટીએસ દ્વારા લેવામાં આવ્યો છે. કોરોના કાળમાં લોકોની ધાર્મિક પ્રવૃત્તિઓ પણ અટવાઈ ગઈ હતી. ગત નવરાત્રિમાં લોકો કોરોનાને કારણે ઘરમાં પૂરાયા હતા. પરંતુ આ […]

અમદાવાદમાં વેક્સિન ન લેનારાને AMTS,BRTSમાં મુસાફરી ન કરવા દેવાના નિર્ણયથી આવકમાં 30 ટકાનો ઘટાડો

અમદાવાદ :  શહેરમાં કોરોનાના કેસ સાવ ઘટી ગયો છે. પણ કોરોનાના સમભવિત ત્રીજા વેવ સામે સાવચેતિ રાખવી જરૂરી છે. અને શહેરીજનોમાં વેક્સિનનો ટાર્ગેટ 100 ટકા પૂર્ણ કરવા મ્યુનિ.કોર્પોરેશને ઝૂંબેશ હાથ ધરી છે જેમાં જાહેર બાગ-બગીચાઓ તેમજ એએમટીએસ અને બીઆરટીએસ બસમાં પણ વેક્સિન લીધી હોય તેમને જ મુસાફરી કરવા દેવામાં આવે છે. મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગે સ્થળ […]

અમદાવાદમાં AMTS અને BRTSમાં મુસાફરોની સંખ્યામાં થઈ રહ્યો છે ઘટાડો

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતાં સરકારે નિયંત્રણો ઉઠાવી લીધા છે.અને જનજીવન પણ હવે રાબેતા મુજબનું બની ગયું છે.સાથે શહેરી પરિવહન સેવા એએમટીએસ અને બીઆરટીએસ સેવા પણ રાબેતા મુજબ સેવારત બની ગઈ છે. પરંતુ એએમટીએસ અને બીઆરટીએસમાં કોરોના કાળ પહેલા જે ટ્રાફિક જોવા મળતો હતો તેવો ટ્રાફિક જોવા મળતો નથી.એએમટીએસ અને બીઆરટીએસમાં માર્ચ 2020ની […]

અમદાવાદમાં રૂપિયા 60ના ભાડામાં 19 મંદિરોની યાત્રા હવે AMTS કરાવશે

અમદાવાદઃ શ્રાવણ મહિના દરમિયાન મંદિરોમાં પૂજા-અર્ચના અને દર્શન કરવાનું વિશેષ મહાત્મય છે. એટલે જ તમામ મંદિરોમાં ભાવિક-ભક્તોની સારીએવી ભીડ જોવા મળતી હોય છે. અમદાવાદ શહેરમાં અનેક મંદિરો આવેલા છે, તેમાં કેટલાક મંદિરોમાં દર્શનનું સવિશેષ મહાત્મય છે. પણ ઘણા ભાવિકો મંદિરો જુદા જુદા વિસ્તારોમાં આવેલા હોવાથી તમામ મંદિરોમાં દર્શનનો લાભ લઈ શક્તા નથી. તેથી એએમટીએસ  દ્વારા […]

અમદાવાદ: લાલદરવાજાનું ઐતિહાસિક AMTS બસ સ્ટેન્ડ નવા હેરિટેજ લૂક સાથે કરાશે તૈયાર

અમદાવાદઃ શહેરના હાર્દસમા લાલદરવાજાના ઐતિહાસિક એએમટીએસના બસ સ્ટેન્ડને નવો હેરિટેજ લૂક આપીને તૈયાર કરાશે. લાલ દરવાજા આસપાસ ઐતિહાસિક ઇમારતો આવેલી હોવાથી દિલ્હીથી આર્કિયોલોજી વિભાગ પાસેથી મંજૂરી સહિત અન્ય પ્રક્રિયામાં વિલંબ થયો હતો, જે દૂર થતાં હવે આગામી દિવસોમાં નવું હેરિટેજ લુક સાથે બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરી શરૂ થશે અને એક વર્ષમાં એટલે કે વર્ષ 2022ના […]

અમદાવાદ : BRTS-AMTSમાં માત્ર 10 ટકા જ ટ્રાફિક જોવા મળ્યો, અઠવાડિયામાં સ્થિતિ સામાન્ય બનશે

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં ઘટાડો થયા બાદ સોમવારથી એએમટીએસ અને બીઆરટીએસ બસ સેવા ચાલુ કરવામાં આવી છે. કોરોના પહેલા સામાન્ય દિવસમાં બંને બસ સેવામાં રોજના સરેરાશ 7.75 લાખ લોકો મુસાફરી કરતા હતા. જ્યારે સોમવારે એએમટીએસ-બીઆરટીએસને મળીને 72 હજાર પેસેન્જર મળ્યા હતા. જે સામાન્ય દિવસોના પેસેન્જરની સંખ્યાના માંડ 10 ટકા છે. આ ઉપરાંત સોમવારથી સ્કૂલો અને […]

AMTS અને BRTSના ડ્રાઈવરો, કંડકટરો માસ્ક ન પહેરે તો માત્ર 200 રૂપિયા દંડ વસુલાશે

અમદાવાદઃ કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે એએમટીએસ અને બીઆરટીએસ બસ સેવા બંધ કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન 81 દિવસ પછી ફરી એકવાર આવતીકાલ સોમવારથી એએમટીએસ અને બીઆરટીએસની સેવા શરૂ કરશે. જો કે, આ જાહેરાતની સાથે એવું પણ ઠરાવવામાં આવ્યું છે કે, બીઆરટીએસ કે એએમટીએસનો કોઈ કર્મચારી માસ્ક વગર કે થૂંકતા પકડાય તો રૂ.200 દંડ […]

એએમટીએસ અને બીઆરટીએસ બસ સેવા હવે તા. 1લી જુનથી ચાલુ કરવામાં આવે તેવી શક્યતા

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસ ઘટતા જાય છે. ત્યારે સરકાર પણ કેટલાક નિયંત્રણો હળવા કર્યા છે. પણ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા હજુ એએમટીએસ અને બીઆરટીએસ બસ સેવા શરૂ કરવાનો નિર્ણય લેવાયો નથી જોકે અગાઉ તા. 28મીમેથી શહેરી બસ સેવા શરૂ કરાશે એવી જાહેરાત કરવામાં આવી હતી.પણ કોઈ કારણસર બસ સેવા પુનઃ રાબેતા મુજબ કરી શકાય નથી. હવે એવું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code