1. Home
  2. Tag "bangladesh"

બાંગ્લાદેશ સામેની ટી20 મેચમાં પાકિસ્તાને બનાવ્યો શરમજનક રેકોર્ડ

ઢાકાના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી ટી20 મેચમાં યજમાન બાંગ્લાદેશે શાનદાર પ્રદર્શન કર્યું અને પાકિસ્તાનને આઠ રનથી હરાવ્યું હતું. આ જીત સાથે, બાંગ્લાદેશની ટીમે ત્રણ મેચની શ્રેણીમાં 2-0 ની અજેય લીડ મેળવી લીધી હતી. યજમાન ટીમે પ્રથમ ટી20 સાત વિકેટથી જીતી લીધી હતી. બીજી ટી20માં, પાકિસ્તાનની ટીમ 134 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે 19.2 ઓવરમાં […]

બાંગ્લાદેશઃ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ ભારતે લંબાવ્યો મદદનો હાથ, ઘાયલોની સારવાર માટે મેડિકલ ટીમને ઢાંકા મોકલાવી

નવી દિલ્હીઃ બાંગ્લાદેશની પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ભારતે પાડોશી દેશ માટે મદદનો હાથ લંબાવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઢાકામાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો અને સહાયની ખાતરી આપી હતી. તો બીજી તરફ વિદેશ મંત્રાલયે કહ્યું કે, ઢાકા પ્લેન ક્રેશ દુર્ઘટનાના પીડિતોની સારવાર માટે ભારતના બર્ન નિષ્ણાત ડોકટરો અને નર્સોની એક […]

ભારતીય ક્રિકેટ ટીમ બાંગ્લાદેશના પ્રવાસે જાય તેવી શકયતાઓ નહીંવત

ભારતીય ટીમ હાલમાં ઇંગ્લેન્ડના પ્રવાસે છે. જ્યાં તે ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમી રહી છે. આ શ્રેણી પછી, ભારતીય ટીમ બાંગ્લાદેશ જવાની હતી. જ્યાં તેને ત્રણ ODI અને ત્રણ T20 મેચની શ્રેણી રમવાની હતી. પરંતુ હવે એવું લાગે છે કે ભારતીય ટીમ આ પ્રવાસ પર નહીં જાય. આ શ્રેણી 17 ઓગસ્ટથી શરૂ થવાની […]

ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશનું જોડાણ ભારત માટે ખતરો : CDS

નવી દિલ્હીઃ ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે કહ્યું છે કે ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશનું જોડાણ ભારત માટે ખતરો છે. જનરલ ચૌહાણે ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના એક કાર્યક્રમમાં ઓપરેશન સિંદૂરની ચર્ચા કરતા કહ્યું કે પહેલીવાર બે પરમાણુ શક્તિઓ યુદ્ધમાં સામસામે આવી છે. ભારત પરમાણુ શસ્ત્રોના ખતરાથી ડરશે નહીં અને ઓપરેશન સિંદૂર બે પરમાણુ શક્તિઓ […]

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને એક કેસમાં છ મહિનાની જેલની સજા

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે. કોર્ટે તેમને અવમાનના કેસમાં દોષિત ઠેરવ્યા છે. બાંગ્લાદેશી મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમને છ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ ટ્રિબ્યુનલે સજાનો નિર્ણય જાહેર કર્યો છે. બુધવારે, ત્રણ સભ્યોની બેન્ચે કેસની સુનાવણી કરી અને પોતાનો ચુકાદો આપ્યો. ‘ઢાકા ટ્રિબ્યુન’ના એક અહેવાલ મુજબ, જસ્ટિસ […]

બાંગ્લાદેશ અને પાકિસ્તાન સાથે ચીનની ખાસ બેઠક, ભારત વિરુદ્ધ શું રંધાઈ રહ્યું છે?

બાંગ્લાદેશ, ચીન અને પાકિસ્તાન દ્વારા ત્રિપક્ષીય સહયોગ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. ત્રણેય દેશો સારા પડોશીપણું, પરસ્પર વિશ્વાસ, સમાનતા, ખુલ્લાપણું, સમાવેશકતા અને સહિયારા વિકાસના સિદ્ધાંતોના આધારે આગળ વધવા સંમત થયા છે. આ પહેલી વાર હતું જ્યારે ચીને પાકિસ્તાન અને બાંગ્લાદેશના વિદેશ સચિવોની આ પ્રકારની ત્રિપક્ષીય બેઠકનું આયોજન કર્યું હતું. વિદેશ નીતિના નિષ્ણાતો તેને ભારત […]

બાંગ્લાદેશઃ મોહમ્મદ યુનુસે વડા પ્રધાન પદેથી રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરી

બાંગ્લાદેશ આ દિવસોમાં ઊંડા રાજકીય સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. દેશની વચગાળાની સરકારના વડા મુહમ્મદ યુનુસ હવે પોતાના પદ પરથી રાજીનામું આપવાનું વિચારી રહ્યા છે. ઢાકામાં સલાહકાર પરિષદની બેઠક દરમિયાન તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે વર્તમાન રાજકીય પરિસ્થિતિમાં તેમના માટે કામ કરવું અશક્ય બની રહ્યું છે. આ ફક્ત એક વ્યક્તિગત નિર્ણય નથી પરંતુ સમગ્ર રાજકીય […]

પાકિસ્તાનની મુશ્કેલીઓ વધાશે, બાંગ્લાદેશના યુવાનો મોટી સંખ્યામાં આતંકી સંગઠન TTPમાં જોડાઈ રહ્યાં છે

નવી દિલ્હીઃ પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકાર અને જનરલ અસીમ મુનીરની સેના સામે હવે એક નવો અને અણધાર્યો સુરક્ષા પડકાર ઉભો થયો છે. આ ખતરો ફક્ત પાકિસ્તાની સરહદોમાં જ નથી, પરંતુ હવે તેને બાંગ્લાદેશ સાથે જોડાયેલા આતંકવાદીઓના રૂપમાં બાહ્ય સમર્થન પણ મળી રહ્યું છે. બાંગ્લાદેશી ડિજિટલ પોર્ટલ ‘ધ ડિસેન્ટ’ ના અહેવાલ મુજબ, મોટી સંખ્યામાં બાંગ્લાદેશી નાગરિકો […]

બાંગ્લાદેશમાં હિન્દુ સંત ચિન્મય દાસને જામીન મળ્યા, 5 મહિનાથી જેલમાં હતા

બાંગ્લાદેશ હાઈકોર્ટે જેલમાં બંધ હિન્દુ સંત ચિન્મય કૃષ્ણ દાસને જામીન આપ્યા છે. ચિન્મયના વકીલ અપૂર્વ કુમાર ભટ્ટાચાર્યએ 23 એપ્રિલે હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. ચિન્મય કૃષ્ણ દાસ ઇસ્કોનના પૂજારી અને બાંગ્લાદેશ સમિક સનાતની જાગરણ જોતના પ્રવક્તા છે. 25 નવેમ્બર 2024ના રોજ ઢાકા એરપોર્ટ પરથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ, ચિન્મય દાસને દક્ષિણપૂર્વીય […]

ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ કહ્યું- આજે બાંગ્લાદેશ, બંગાળથી લઈને કાશ્મીર સુધી હિન્દુઓ નિશાના પર છે

પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ પહેલગામ આતંકવાદી હુમલા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આજે બાંગ્લાદેશ, બંગાળથી લઈને કાશ્મીર સુધી હિન્દુઓ નિશાના પર છે. દાનિશ કનેરિયાએ X પર લખ્યું, “પહલગામમાં વધુ એક બર્બર હુમલો. બાંગ્લાદેશથી બંગાળ અને કાશ્મીર સુધી, આ જ માનસિકતા હિન્દુઓને નિશાન બનાવી રહી છે. પરંતુ જે લોકો ‘ધર્મનિરપેક્ષ’ છે અને ન્યાયતંત્રમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code