1. Home
  2. Tag "bharat"

NITI પંચે આપી ખુશખબરી, જણાવ્યું દેશમાં ઘટીને હવે કેટલી રહી ગઈ ગરીબી?

નવી દિલ્હી : નીતિ પંચે રાહતના સમાચાર આપ્યા છે. સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમે દેશમાં ગરીબી ઘટીને 5 ટકા રહી હોવાની વાત કહી છે. તાજેતરમાં સાંખ્યિકી કાર્યાલય તરફથી તાજેતરનો સર્વે જાહેર કરવામાં આવ્યો છે, તેમાં ઉજાગર થાય છે કે ગ્રામીણ ખપત મજબૂત બની ગઈ છે અને શહેરી ખપતમાં અંતર ઓછું થઈ રહ્યું છે. ગરીબીનું સ્તર ઉપભોગ ખર્ચ […]

First General Elections: કેવી હતી ભારતની પહેલી લોકસભાની ચૂંટણી, 1951થી અત્યાર સુધી શું થયા મોટા પરિવર્તનો?

નવી દિલ્હી : દેશમાં આગામી કેટલાક દિવસોમાં વધુ એક લોકસભા ચૂંટણી થાવની છે. 140 કરોડની વસ્તીવાળા ભારતમાં દર પાંચ વર્ષે ચૂંટણી કરાવાય છે. જ્યાં કેટલાક પાડોશી દેશો પાકિસ્તાન અને બાંગ્લાદેશનની લોકસભા ચૂંટણી વિવાદોથી ભરેલી હોય છે. ત્યારે ભારતમાં ચૂંટણી પ્રક્રિયા પુરી નિષ્ઠા અને પ્રામાણિકતાથી નિભાવવામાં આવે છે. દેશમાં પહેલીવાર 1951માં લોકસભા ચૂંટણી થઈ હતી અને […]

ભારતની UPI વૈશ્વિક પેમેન્ટ સિસ્ટમ બની, સાત દેશમાં કાર્યરત

નવી દિલ્હીઃ ભારતમાં ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ ખૂબ જ ઝડપથી વધી રહી છે. છેલ્લા 5-6 વર્ષોમાં ભારતમાં ઓનલાઈન પેમેન્ટ અને ઓનલાઈન શોપિંગનો ટ્રેન્ડ ઝડપથી વધ્યો છે. હવે આ સિસ્ટમ ભારતના ગ્રામીણ વિસ્તારોમાં પણ ફેલાઈ રહી છે. ભારતની આ ડિજિટલ ક્રાંતિમાં ભારતની ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ અને મધ્યમ UPI પેમેન્ટ્સે મુખ્ય ભૂમિકા ભજવી છે. UPI એટલે કે યુનિફાઈડ […]

સોશયલ મીડિયા સ્ટાર એલ્વિશ યાદવ બન્યો થપ્પડબાજ, વીડિયો વાયરલ થયા બાદ કહ્યું- કંઈ કર્યું નથી ખોટું

નવી દિલ્હી: સોશયલ મીડિયા સ્ટાર અને બિગ બૉસ ઓટીટી સિઝન-2નો વિનર એલ્વિશ યાદવ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. આ વખતે તેના ઉપર રેસ્ટોરન્ટમાં એક વ્યક્તિને થપ્પડ મારવાનો આરોપ લાગી રહ્યો છે. વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો આના પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એલ્વિશ યાદવ એક રેસ્ટોરન્ટમાં […]

દેશમાં એક સપ્તાહમાં નાગરિકતા સંશોધન અધિનિયમ લાગુ કરી દેવાશેઃ કેન્દ્રીય મંત્રી શાંતનું ઠાકોર

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરે નાગરિકતા સંશોધન કાયદા (CAA)ને લઈને એક કાર્યક્રમમાં દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે, દેશમાં એક અઠવાડિયામાં CAA લાગુ કરવામાં આવશે. તેમણે પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણાના કાકદ્વીપમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આ વાત કહી હતી. તેમણે કહ્યું- હું મંચ પરથી ખાતરી આપું છું કે આગામી 7 દિવસમાં આ […]

વર્ષ 2024માં ભારતીય અર્થવ્યવસ્થા 7.3 ટકાના દરે આગળ વધવાની શક્યતા: શક્તિકાંત દાસે

નવી દિલ્હીઃ સ્વિત્ઝર્લેન્ડના દાઓસમાં વિશ્વ આર્થિક મંચ (WEF)ના એક કાર્યક્રમમાં ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય આંકડાકીય કચેરી NSOના પહેલા આગોતરા અંદાજ મુજબ નાણાકીય વર્ષ 2024માં ભારતીય અર્થવ્યવસ્થા 7.3 ટકાના દરે આગળ વધવાની શક્યતા છે. વધુમાં તેઓએ કહ્યું કે, આવનારા વર્ષોમાં ભારતની વિકાસ ગતિ અકબંધ રહેશે. RBI ગવર્નર શક્તિકાંત દાસે CII […]

ભારત અફઘાનિસ્તાન વચ્ચે આજથી ત્રણ મેચની ટી-20 સિરીઝ શરૂ

નવી દિલ્હીઃ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રણ ટી-20 મેચોની સીરીઝની પહેલી મેચ આજે મોહાલીમાં રમાશે. ટી-20 ફોર્મેટમાં કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી લાંબા સમય બાદ પરત ફરી રહ્યા છે, પરંતુ આજની મેચમાં વિરાટ કોહલી વ્યક્તિગત કારણોસર રમશે નહીં. આ સીરીઝ ટીમ ઇન્ડિયા માટે ટી-20 વર્લ્ડ કપને ધ્યાને રાખતાં મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. ભારત […]

ભ્રામક જાહેરાતો મામલે 31 કોચિંગ સંસ્થાઓને કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તાએ નોટિસ ફટકારી

નવી દિલ્હીઃ સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી, CCPA એ ભ્રામક જાહેરાતો માટે 31 કોચિંગ સંસ્થાઓને નોટિસ પાઠવી છે. તેણે ભ્રામક જાહેરાત માટે 9 કોચિંગ સંસ્થાઓ પર દંડ પણ લગાવ્યો છે. CCPA એ અવલોકન કર્યું છે કે કેટલીક કોચિંગ સંસ્થાઓ સફળ ઉમેદવારો દ્વારા પસંદ કરાયેલ કોર્સ, કોર્સની અવધિ અને ઉમેદવારો દ્વારા ચૂકવવામાં આવેલી ફીના સંદર્ભમાં મહત્વપૂર્ણ માહિતી […]

દેશની તમામ મેટ્રો રેલ સિસ્ટમમાં દૈનિક 10 મિલિયનથી પ્રવાસીઓ કરે મુસાફરી

નવી દિલ્હીઃ ભારતના વર્તમાન મેટ્રો રેલ નેટવર્કના ત્રણ-ચતુર્થાંશથી વધુની કલ્પના અને નિર્માણ અને સંચાલન દસ વર્ષ કરતાં પણ ઓછા સમય પહેલા કરવામાં આવ્યું હતું. ઘણી મેટ્રો રેલ સિસ્ટમ થોડા વર્ષો જૂની છે. તેમ છતાં, દેશની તમામ મેટ્રો સિસ્ટમમાં દૈનિક રાઇડર્સની સંખ્યા 10 મિલિયનને વટાવી ચૂકી છે અને આગામી એક-બે વર્ષમાં તે 12.5 મિલિયનને વટાવી જવાની ધારણા […]

ભારતમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો 3420 ઉપર પહોંચ્યો, નવા 752 પોઝિટિવ કેસ નોંધાયાં

નવી દિલ્હીઃ દેશમાં ફરી એકવાર કોરનાની ગતિ વધી રહી છે. દરમિયાન 24 કલાકમાં કોરોનાના નવા 752 પોઝિટિવ કેસ નોંધાયાં છે. તેમજ ચાર દર્દીઓના મોત થયાં હતા. આમ દેશમાં હાલ કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 3420 ઉપર પહોંચ્યો છે. દેશમાં સૌથી વધારે કેરલમાં 266 કેસ નોંધાયાં છે. જ્યારે કેરલમાં બે અને કર્ણાટક અને રાજસ્થાનમાં એક-એક દર્દીના મોત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code