1. Home
  2. Tag "bharuch"

પીએમ મોદી આવતીકાલે ભરૂચમાં ‘ઉત્કર્ષ સમારોહ’ને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરશે

ભરૂચમાં આવતીકાલે ‘ઉત્કર્ષ સમારોહ’ યોજાશે પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરશે સંબોધન યોજનાઓની 100% સંતૃપ્તિની ઉજવણીનો કાર્યક્રમ અમદાવાદ :વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12મી મે 2022ના રોજ સવારે 10:30 વાગ્યે ગુજરાતના ભરૂચમાં ‘ઉત્કર્ષ સમારોહ’ને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરશે.આ કાર્યક્રમ જિલ્લામાં રાજ્ય સરકારની ચાર મુખ્ય યોજનાઓની 100% સંતૃપ્તિની ઉજવણીને ચિહ્નિત કરશે,જે જરૂરિયાતમંદોને સમયસર નાણાકીય સહાય પૂરી પાડવામાં મદદ કરશે. વિધવાઓ, વૃદ્ધો અને નિરાધાર નાગરિકોને […]

ભરૂચના આમોદ નજીક ઢાઢર નદીમાં મગરોની સંખ્યા વધતા લોકો નદીકાંઠે જતા પણ ડરી રહ્યા છે

ભરૂચઃ  શહેર નજીક આવેલા આમોદ પાસે ઢાઢર નદીમાં એકસાથે 20 મગરનું ઝુંડ દેખાતાં સ્થાનિક લોકોમાં આશ્ચર્ય સાથે ફફડાટ ફેલાયો છે. ઢાઢર નદીમાં મગરોનું ઝુંડ જોવા માટે લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં. ગામના રહિશો હવે મગરોના ઝૂંડને જોઈને નદીના કાંઠે જતાં પણ ડર અનુભવી રહ્યા છે. ભરૂચ જિલ્લાના આમોદ નજીક ઢાઢર નદીના પુલનો એક વીડિયો સોશ્યલ […]

ભાજપની સરકાર પેપેરલીક વિના એકપણ પરીક્ષા પૂર્ણ કરી શકતી નથીઃ કેજરીવાલનો આક્ષેપ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિના બાકી રહ્યા છે ત્યારે ભાજપ કોંગ્રેસની જેમ આમ આદમી પાર્ટીએ પણ પ્રચાર અભિયાન તેજ બનાવ્યું છે. AAPના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં પ્રવાસ વધારી દીધા છે. રવિવારે કેજરીવાલ ફરી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેમણે ભરૂચ ખાતે આદિવાસી સંકલ્પ મહાસંમેલનમાં લોકોને સંબોધિત કરતા ભાજપ પર આકરા પ્રહાર કર્યા […]

ભરૂચ જિલ્લા જેમાંથી મોબાઈલ ફોન અને સીમકાર્ડ સહિતની પ્રતિબંધિત વસ્તુઓ પકડાઈ

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદની મધ્યસ્થ જેલ સહિત રાજ્યની મોટાભાગની જેલોમાં કેદીઓ પાસેથી અવાર-નવાર મોબાઈલ ફોન સહિતની પ્રતિબંધ મળી આવે છે. દરમિયાન ભરૂચ જિલ્લા પોલીસ વડાએ એલસીબી અને એસઓજીની સાથે જેલમાં સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી. જેમાં મોબાઈલ ફોન, સીમ કાર્ડ, ચાર્જર અને ઈયર બર્ડ મળી આવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ SP […]

ભરૂચની એક કેમિકલ કંપનીમાં સર્જાઈ દૂર્ઘટનાઃ પાંચ કર્મચારીઓના મૃત્યું

અમદાવાદઃ ગુજરાતના ભરૂચમાં આવેલી એક કેમિકલ કંપનીમાં મોટી દૂર્ઘટના સર્જાઈ હતી. કંપનીમાં બ્લાસ્ટ બાદ અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં પાંચ શ્રમજીવીઓના મોત થયાનું જાણવા મળે છે. જ્યારે એક વ્યક્તિ લાપતા થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર ભરૂચના દહેજમાં આવેલી એક કેમિકલ કંપનીમાં કર્મચારીઓ કામ કરી રહ્યાં હતા ત્યારે અચાનક […]

ભરૂચમાં મકાન ધરાશાયી, છ લોકો દટાયા

ભરૂચ: ભરૂચ શહેરમાં સજાનંદ ડેરી વિસ્તારમાં એક ઘર ધરાશાયી થવાની ઘટના બની છે. આ ઘટનામાં એક જ પરિવારના 6 સભ્ય દબાઈ ગયા હતા, જેમાં ત્રણ બાળકનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં છે અને માતા-પિતા સારવાર હેઠળ છે. પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ધડાકાભેર મકાન ધરાશાયી થવાને કારણે આસપાસના લોકો પણ […]

ભરૂચ: જંબુસરના ગાયત્રી નગર સોસાયટીમાં ગટરના પાણી ઉભરાયા, સ્થાનિકો ગંદકીથી પરેશાન

ગાયત્રી નગર સોસાયટીમાં ઠેર-ઠેર ગટરો ઉભરાય કચરાના નિકાલની પણ કોઈ વ્યવસ્થા નહીં રહીશોને ભારે હાલાકીનો કરવો પડે છે સામનો ભરૂચ: જંબુસરમાં આવેલ ગાયત્રી નગર સોસાયટીના રહીશો ગટરો ઉભરાવાના કારણે તથા કચરાનો નિકાલ ન થવાના કારણે હાલાકીનો ભોગ બન્યા છે. આ સાથે રોગચાળો ફેલાવવાનો ભય પણ રહેલો છે અને લોકોને દુર્ગંધનો પણ સામનો કરવો પડી રહ્યો […]

ભરૂચમાં હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા દુર કરવા માટે ઊભેણ પાસે પુલ બનાવાશે

કેબિનેટ બેઠકમાં સુરત ગેસકાંડની ગંભીર નોંધ લેવાઈ અધિકારીઓને આવા બનાવો અટકાવવા સૂચના અપાઈ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને જોડતો નવો કોરિડોર બનાવાશે અમદાવાદઃ ગુજરાતના 1600 કિલોમિટરના દરિયા કિનારે પ્રવાસન સ્થળની જોડતા અને સુવિધાઓમાં વધારો કરતા એક કોસ્ટલ હાઈવ બનાવવામાં આવશે. તેમ કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. આ ઉપરાંત અમદાવાદ-મુંબઈ હાઈવે ઉપર ભરૂચ પાસે ટ્રફિકની […]

ભરૂચમાં સ્કુટર પર જઈ રહેલી મહિલાનો જીવ પતંગની દોરીએ લીધોઃ 9 વર્ષની દીકરીનો બચાવ

ભરૂચઃ શહેરના  ઝાડેશ્વર ખાતે આવેલી અરુણોદય બંગલોઝમાં રહેતી મહિલા તેની પુત્રી સાથે એક્ટિવા પર ભોલાવ બ્રિજ પરથી પસાર થઈ રહી હતી. તે સમયે તેના ગળામાં પતંગનો દોરો આવી જતાં તેનું ગળું કપાઇ જવાને કારણે તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટનામાં તેમની બાળકીનો આબાદ બચાવ થયો હતો. બનાવ સંદર્ભે ભરૂચ એ ડિવિઝન પોલીસે ગુનો […]

ભરૂચના ચાર ગામમાં કરોડોના ખર્ચે પાણીની યોજનાને મંજૂરી

અમદાવાદઃ દેશમાં ઘરે-ઘરે નળ મારફતે પાણી મળી રહે તે માટે જલ જીવન મિશન હેઠળ નલ સે જલ કાર્યક્રમ હેઠળ ભરૂચ જિલ્લાના ચાર ગામમાં રૂ. 2503.04 લાખના પાણી યોજનાના કામને મંજૂરી આપવામાં આવી છે. જેથી આ ગામોમાં હવે ઘરે-ઘરે નળ કનેકશન આપવામાં આવશે. જલ જીવન મિશન “નલ સે જલ” કાર્યક્રમ અંતર્ગત જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code