1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભરૂચમાં મકાન ધરાશાયી, છ લોકો દટાયા
ભરૂચમાં મકાન ધરાશાયી, છ લોકો દટાયા

ભરૂચમાં મકાન ધરાશાયી, છ લોકો દટાયા

0
Social Share

ભરૂચ: ભરૂચ શહેરમાં સજાનંદ ડેરી વિસ્તારમાં એક ઘર ધરાશાયી થવાની ઘટના બની છે. આ ઘટનામાં એક જ પરિવારના 6 સભ્ય દબાઈ ગયા હતા, જેમાં ત્રણ બાળકનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં છે અને માતા-પિતા સારવાર હેઠળ છે. પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ધડાકાભેર મકાન ધરાશાયી થવાને કારણે આસપાસના લોકો પણ દોડીને આવી ગયા હતા.

ઘટનાને પગલે વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. સ્થાનિકો બનાવ અંગે નગરપાલિકાના ફાયર વિભાગમાં જાણ કરતાં ફાયર ફાયટરો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને સ્થાનિકોની મદદ વડે બચાવકાર્ય હાથ ધરી દંપતીને બહાર કાઢી સારવાર અર્થે ખસેડાયું હતું. મકાન ધરાશાયી થવાની ઘટનામાં એક જ પરિવારનાં ત્રણ બાળકનાં મોતને પગલે વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

સ્થાનિકોના કહેવા પ્રમાણે આ મકાનનું બાંધકામ વધારે જૂનુ હતુ અને જોખમી પણ હતુ અને મકાનની હાલત પણ એવી હતી કે ડે કોઈ પણ સમય પર દુર્ઘટના સર્જી શકે તેમ હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code