ભાવનગર અને અમરેલીના 409 ગામોમાં સિંહો માટે પાણીના પોઈન્ટ અને ઘાસના ઘર બનાવાશે
ભાવનગરઃ ગીરના જંગલોમાં વનરાજોની વસતી વધતા હવે વનરાજોએ રેવન્યું વિસ્તારોમાં પણ વસવાટ શરૂ કર્યો છે. જેમાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ સિંહોના આંટાફેરા વધી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં તો સિંહોએ પરિવાર સાથે વસવાટ પણ શરૂ કર્યો છે. ત્યારે ભાવનગર અને અમરેલી જિલ્લામાં સિંહનો જ્યાં વસવાટ છે. એવા વિસ્તારોના 409 જેટલા ગામડાં નજીક સિંહો માટે પીવાના […]