1. Home
  2. Tag "Bhupendra Patel"

પોરબંદર ચોપાટી ખાતે માય ભારત વોલિન્ટિયર્સ દ્વારા બીચ સાફ સફાઈ કરાઈ

અમદાવાદઃ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીએ નહેરુ યુવા કેન્દ્રના સંકલનમાં માય ભારત વોલિન્ટિયર્સ દ્વારા પોરબંદર ચોપાટી ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. જેમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખભાઈ માંડવિયા, જળસંપતિ અને પાણી પુરવઠા મંત્રી કુવરજીભાઈ બાવળીયા અને પોરબંદર ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા બીચ સફાઈ અભિયાનમાં જોડાયા હતાં. પ્લાસ્ટિકના ઉપયોગના કારણે દર વર્ષે દરિયાઈ જીવસૃષ્ટિને નુકસાન પહોંચે છે તે […]

ગુજરાતઃ PM મોદીને જન્મ દિવસ નિમિત્તે રાજ્યપાલ અને ભૂપેન્દ્ર પટેલે આપી વિશેષ ભેટ

અમદાવાદઃ ગરવી ગુજરાતના પનોતા પુત્ર, વિકસિત ભારતના સ્વપ્નદ્રષ્ટા અને વિશ્વના સર્વાધિક લોકપ્રિય રાજનેતા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે પુષ્પો અર્પણ કરીને સમગ્ર ગુજરાતના નાગરિકો વતીથી શુભકામનાઓ પાઠવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ શાલ ઓઢાડીને પ્રધાનમંત્રીને શુભેચ્છાઓ પાઠવી હતી.  ગુજરાતના ધર્મ-કર્મ અનુરાગી નાગરિકો વતીથી શુભકામનાઓ પાઠવતાં તેમણે પ્રધાનમંત્રીના સર્વાધિક યોગક્ષેમ […]

રાષ્ટ્રીય વન શહીદ દિવસઃ ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 11 જેટલા વન શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરી

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 11મી સપ્ટેમ્બર, રાષ્ટ્રીય વન શહીદ દિવસે રાજ્યના પ્રથમ “વનપાલ સ્મારક” ખાતે જઈને વન શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. વન અને વન્યજીવોના સંરક્ષણ તેમજ સંવર્ધન દરમિયાન ફરજ બજાવતા શહીદ થયેલા વન વિભાગના વનરક્ષક, વનપાલ, પરિક્ષેત્ર વન અધિકારીઓ અને અન્ય ફ્રન્ટ લાઈન વન કર્મીઓની શહાદતના સન્માનમાં કેન્દ્ર સરકાર દ્વારા 2013થી દર વર્ષે 11મી […]

ગુજરાત: જુનિયર્સ ડૉક્ટરોની હડતાળ પૂર્ણ

સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથેની બેઠક બાદ તબીબોની હડતાળનો અંત પડતર માંગણીઓને લઈને તબીબો હડતાળ ઉપર ઉતર્યાં હતા અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની રાજ્યના ઇન્ટર્ન અને જુનિયર તબીબોની બેઠકને પગલે રાજયમાં બે દિવસ થી ચાલી રહેલી તબીબી હડતાળનો અંત આવ્યો છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે આ આંદોલનકારી તબીબોની મોડી સાંજે બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સકારાત્મક અભિગમ […]

પોષણ માહ-પોષણ મિશન દેશમાં જનઆંદોલન બની ગયું છેઃ ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૭મા રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૪નો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ ગાંધીનગરથી કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે રાષ્ટ્રીય પોષણ અભિયાન માતા અને બાળ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આખી ઈકોસિસ્ટમમાં બદલાવનો નવતર અભિગમ બન્યું છે. મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં કહ્યું કે, ‘સહી પોષણ-દેશ રોશન’ના ધ્યેય સાથે માતા અને બાળકના સુપોષણ અને સ્વાસ્થ્ય તંદુરસ્તીથી વિકસિત ભારત@૨૦૪૭નો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ સાકાર કરવામાં […]

ભારત અને પોલેન્ડના સંબંધોમાં ગુજરાતની ભૂમિકા ઈતિહાસના પાનાંઓમાં સુવર્ણ અક્ષરોમાં સચવાયેલી છે : ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તા. 21 અને 22 ઓગષ્ટના રોજ યુરોપના પોલેન્ડ દેશની મુલાકાતે છે. પ્રધાનમંત્રીએ 21 ઓગસ્ટના રોજ પોલેન્ડના વોર્સોમાં સ્થિત સ્ક્વેર ઓફ ગુડ મહારાજા ખાતે ગુજરાતના નવા નગરના જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજાના સન્માનમાં બનાવેલા સ્મારકે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ મુલાકાતને આવકારીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર જણાવ્યું હતું કે, […]

તિરંગો સૌ દેશવાસીઓને એકસૂત્રતામાં બાંધે છે: ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ હજારો રાજકોટિયન્સના ઉમંગ-ઉત્સાહ અને દેશભક્તિપૂર્ણ માહોલ વચ્ચે કેન્દ્રીય આરોગ્યમંત્રી જગતપ્રકાશ નડ્ડા, રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ તથા કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર. પાટીલે આજે રાજકોટના રેસકોર્સથી તિરંગા યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. રમત-ગમત યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ- ગાંધીનગર અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત હર ઘર તિરંગા યાત્રા – ૨૦૨૪માં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. સૌ મહાનુભાવોએ સૌપ્રથમ રેસકોર્સ પાસે […]

આદિવાસી વિસ્તારની શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો 37 ટકાથી ઘટી 4 ટકા થયોઃ ભૂપેન્દ્ર પટેલ

ખેડબ્રહ્મા: વિશ્વ આદિવાસી દિવસ અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આદિજાતિ વિકાસ મંત્રી, ડૉ. કુબેર ડીંડોર સહિતના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા. પોતાના સંબોધનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છા આપી હતી. સાથે દેશની આઝાદીમાં આદિવાસીઓના યોગદાનને પણ યાદ કર્યું હતું.  આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, […]

ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં ચાંદીપૂરા વાયરસની સ્થિતિ અને રોગચાળા નિયંત્રણ અંગેના પગલાંઓની સમીક્ષા કરી

અમદાવાદઃ રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. ત્યાર સુધીમાં રાજ્યમાં 19 જેટલા બાળકોના મોત થયાં છે. ચાંદીપુરા વાયરસના કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. તેમજ તેને કાબુમાં લેવા માટે પગલા લેવામાં આવી રહ્યાં છે. તેમજ પીડિતોની સારવાર લઈને વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં ચાંદી […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ભારતમાં બ્રિટિશ ડેપ્યુટી હાઇકમિશનર ક્રિસ્ટીના સ્કોટે સૌજન્ય મુલાકાત લીધી

અમદાવાદઃ રાજ્યાના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ભારતમાં બ્રિટિશ ડેપ્યુટી હાઇકમિશનર શ્રી ક્રિસ્ટીના સ્કોટે ગાંધીનગરમાં લીધી હતી. ડેપ્યુટી હાઈકમિશનરએ આ સૌજન્ય મુલાકાત બેઠકની ચર્ચાઓ દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને બ્રિટનની મુલાકાત માટે આમંત્રણ પાઠવ્યું હતું. તેમણે બ્રિટનમાં તાજેતરમાં રચાયેલી નવી સરકાર ભારત-ગુજરાત સાથે એનર્જી, પીપલ ટુ પીપલ કનેક્ટ અને એન્વાયરમેન્ટના સેક્ટર્સમાં સંબંધો વિસ્તારવા ઉત્સુક છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code