1. Home
  2. Tag "water"

રાજકોટના આજી ડેમમાં 30 દિવસ ચાલે તેટલો જ પાણીનો જથ્થો, જરૂર પડ્યે નર્મદાના પાણીથી ડેમ ભરાશે

રાજકોટઃ શહેરમાં વરસાદે વિરામ લેતાં બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ચોમાસાની સારી જમાવટ થયા બાદ અચાનક વરસાદે વિરામ લેતાં ગરમી અને બફારાનું પ્રમાણ વધી ગયું છે. હાલ જૂલાઈ શરૂ થવા છતાં વરસાદના એંધાણ ન વર્તાતા આજી અને ન્યારી ડેમની સપાટી ધીરે-ધીરે ઘટી રહી છે. અને હાલ માત્ર 30 દિવસ ચાલે તેટલો જથ્થો ઉપલબ્ધ છે. […]

વલ્લભીપુરના ભાલ પંથકના ગામોમાં તંત્રના વાંકે પીવાના પાણીની વિકટ સમસ્યા

ભાવનગરઃ ભાલ પંથકમાં પીવા માટે અપાતા નર્મદાના નીરને કારણે ઘણી રાહત થઈ છે પણ હાલ તંત્રના વાંકે પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે. ભાલ પંથકમાં ભરચોમાસે પીવાના પાણીનો કકળાટ શરૂ થયો છે.આજુબાજુના પાંચ ગામોમાં અનિયમિત પાણીનું વિતરણ થતું હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહયો છે.વલ્લભીપુર પાણી પુરવઠા દ્વારા દેવળિયા સંપમાંથી ભાલ પંથકના ગામોમાં પીવાના પાણીનું […]

ગુજરાતના 65 જળાશયના તળિયા દેખાયાઃ 118 ડોમોમાં 25 ટકાથી પણ ઓછું પાણી

અમદાવાદઃ રાજ્યમાં આ વર્ષે જેઠ મહિનામાં મેધરાજાનું આગમન થયું છે. વરસાદ પડતા જ મોટાભાગના ખેડુતોએ વાવણીનું કાર્ય પૂર્ણ કરી દીધુ છે. હવે વરસાદ ખેંચાતા ખેડુતો ચિંતિત બન્યા છે. સાથે ઘણા ગામડાંમાં પીવાના પાણીની સમસ્યા પણ સર્જાઈ છે. રાજ્યમાં સીઝનનો 14.63 ટકા ટકા વરસાદ થયો છે. ગત વર્ષના જૂન મહિનામાં 14.71 ટકા વરસાદ થયો હતો. રાજ્યનાં […]

મોરબી જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડુતો ચિંતિતઃ જિલ્લાના 10 ડેમમાં માત્ર 28.15 ટકા પાણી બચ્યું

મોરબીઃ રાજ્યમાં ચોમાસાનું વિધિવત્ આગમન થઈ ગયું છે. જોકે પ્રથમ સામાન્ય વરસાદ બાદ હવે વરસાદ ખેંચાઈ રહ્યો છે.ચોમાસું હજુ જામ્યું નથી. ત્યારે મોરબી જિલ્લામાં પૂરતો વરસાદ ન થતા ડેમમાં હજુ નવા પાણીની આવક થઈ નથી જિલ્લાના 10 ડેમમાથી 28.15 ટકા જ પાણી વધ્યું છે. બીજી તરફ અમુક પંથકમાં કિસાનોએ આગોતરી વાવણી કરી લીધી છે અને […]

સુજલામ-સુફલામ જળ સંચય અભિયાનઃ 4814 તળાવો કરાયાં ઉંડા

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી પાણીના સંગ્રહ માટે છેલ્લા ચાર વર્ષમાં સુજલામ-સુફલામ જળ અભિયાન યોજના અમલી બનાવવામાં આવી છે. આ યોજના થકી તળાવો, ચેકડેમો સહિતના પાણીનો સંગ્રહ કરતાં સ્ત્રોતોને ઉંડા કરીને તેમાં વધુ ક્ષમતામાં પાણી સંગ્રહવામાં આવી રહ્યું છે. દરમિયાન એક વર્ષમાં રાજ્યના 4814 તળાવોને ઉંડા કરીને તેની જળક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુજલામ-સુફલામ […]

કચ્છની સરહદે જવાનોને બોરનું પાણી આરઓ કરીને પાઈપ લાઈનથી પીવા માટે અપાશે

ભુજ : કચ્છના સરહદી વિસ્તારમાં તૈનાત સીમા સુરક્ષા દળની તરસ છીપાવવા માટે રાજ્ય સરકાર અને બીએસએફ દ્વારા ઉચ્ચકક્ષાની સમિક્ષા હાથ ધરાઇ છે. આ સંદર્ભમાં સીમાદળની અગ્રિમ ચોકીઓને પાઇપ દ્વારા પાણી પહોંચાડવાના આયોજન કરવામાં આવ્યું છે. આ સંદર્ભમાં આગામી દિવસોમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા બોરવેલના પાણીને આરઓ દ્વારા શુદ્ધ કરીને સીમા દળના જવાનોને પૂરું પાડવામાં આવશે. […]

ચોમાસામાં ભાલ વિસ્તારમાં ભરાતા પાણીના નિકાલ માટે પાળાઓ દુર કરાશે

ભાવનગર: અમદાવાદ,ભાવનગર અને બોટાદના ત્રિભેટે આવેલા ભાલ વિસ્તારમાં ચોમાસા દરમિયાન અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ભાવનગર અમદાવાદ ટૂંકા માર્ગ પરના  ખારા પાટ ગણાતા ભાલ પંથકમાં ચોમાસુ દર વર્ષે આફત લઈને આવે છે, ઉપરવાસના અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લામાં પડેલા ભારે વરસાદની સૌથી વધુ અસર ભાલ પંથકના વિસ્તારોમાં જોવા મળે છે, જ્યારે કાળુભાર ડેમના પાણી પણ […]

નર્મદાના પીવા માટેના અને ઔદ્યોગિક વપરાશ માટેના પાણીના દરમાં 10 ટકાનો વધારો

અમદાવાદઃ રાજ્યમાં નર્મદાના અપાતા પાણીના દરમાં 10 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ પીવાના પાણી માટે પ્રતિ 1000 લીટરે 4.18 રૂપિયા જ્યારે ઔદ્યોગિક વપરાશના પાણીના 34.51 રૂપિયા ચૂકવવાના થાય છે,  જે ગયા વર્ષે 1000 લીટરના અનુક્રમે 3.80 રૂપિયા અને 31.38 રૂપિયા નિયત કરવામાં આવ્યા હતા. બન્ને હેતુ માટે પાણીના વપરાશના દરમાં નવા નાણાંકીય […]

કોરોના વાયરસઃ ગુજરાત સહિત સમગ્ર દેશની વિવિધ નદીઓના પાણીના લેવાશે સેમ્પલ

દિલ્હીઃ ભારતમાં કોરોનાની બીજી લહેરમાં મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. કોરોના હવાથી ફેલાતો હોવાનું સામે આવ્યું હતું. દરમિયાન ભારતમાં હવે પાણીમાં પણ કોરોના વાયરસની અસર જોવા મળી હતી. હવે સમગ્ર દેશમાં નદીઓના સેમ્પલ લેવાનો નિર્ણય કરાયો હોવાનું જાણવા મળે છે. આઇસીએમઆર અને ડબલ્યુએચઓની ટીમે અલગ અલગ જગ્યાએથી સેમ્પલ લેવાના શરૂ કર્યું છે. આમ […]

નર્મદા ડેમમાં હાલ બે વર્ષ ચાલે એટલું પાણી, ખેડૂતોને સિંચાઈ માટે પુરુ પડાય છે નર્મદાનું પાણી

અમદાવાદઃ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં હાલ જેટલુ પાણી છે તેનાથી બે વર્ષ સુધી ગુજરાતની જનતાને પાણીની સમસ્યામાંથી છુટકારો મળી શકે છે. હાલ નર્મદા ડેમમાં 2124 મિલિયન ક્યુબીક મીટર પાણીનો જથ્થો સંગ્રહિત હોવાનું જાણવા મળે છે. બીજી તરફ ખેડૂતોને ઉનાળામાં સિંચાઈનું પાણી મળી રહે તે માટે નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. સુત્રોના જણાવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code