1. Home
  2. ગુજરાતી
  3. વલ્લભીપુરના ભાલ પંથકના ગામોમાં તંત્રના વાંકે પીવાના પાણીની વિકટ સમસ્યા

વલ્લભીપુરના ભાલ પંથકના ગામોમાં તંત્રના વાંકે પીવાના પાણીની વિકટ સમસ્યા

0
Social Share

ભાવનગરઃ ભાલ પંથકમાં પીવા માટે અપાતા નર્મદાના નીરને કારણે ઘણી રાહત થઈ છે પણ હાલ તંત્રના વાંકે પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે. ભાલ પંથકમાં ભરચોમાસે પીવાના પાણીનો કકળાટ શરૂ થયો છે.આજુબાજુના પાંચ ગામોમાં અનિયમિત પાણીનું વિતરણ થતું હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહયો છે.વલ્લભીપુર પાણી પુરવઠા દ્વારા દેવળિયા સંપમાંથી ભાલ પંથકના ગામોમાં પીવાના પાણીનું વિતરણ કરવામાં આવે છે પરંતુ નિયમિત પાણી મળતું ન હોવાથી પાંચ હજારથી વધુ લોકોને તકલીફ પડી રહી છે

સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગરના ભાલ પંથકમાં ભર ચોમાસામાં પાણીની તંગી પડી રહી છે, લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે, નિયમિત પીવાનું પાણી મળતું ન હોવાથી ગ્રામજનોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે પરંતુ પાણી પુરવઠા વિભાગની આંખ ઉઘડતી નથી. વલ્લભીપુર પાણી પુરવઠા દ્વારા દેવળીયા સંપ માંથી નિયમિત પણે ભાલ પંથકના કાળા તળાવ, નર્મદ, સનેસ, ખેતાખાટલી, માઢીયા જેવા ગામોને પાણીનું વિતરણ કરવાનું હોય છે પરંતુ ઘણા લાંબા સમયથી ગ્રામજનોને પાણી અનિયમીત મળતું હોવાની વ્યાપક પણે ફરિયાદ ઉઠી રહી છે અને એક વાર તો પાણી જ આવતું નથી, આ બાબતે ગ્રામજનોને અવાર-નવાર ભાવનગરના ઉચ્ચ અધિકારી તેમજ વલ્લભીપુર પાણી પુરવઠાના અધિકારીને રજૂઆત કરી છે પરંતુ પરિસ્થિતિ એની એ જ છે.

ભાલ પંથકમાં કરોડો રૂપિયાના ખર્ચે પીવાના પાણીની લાઇન નાખવામાં આવી રહી છે તેનું કામ પણ ગોકુળગતિએ ચાલી રહ્યું છે, ત્યારે ગ્રામજનોએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં નિયમિત પણે પીવાનું પાણી વિતરણ નહીં થાય તો નાછુટકે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન પર ઉતારવાની ફરજ પડશે તેવી ચીમકી આપી હતી

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code