1. Home
  2. Tag "BJP"

અરવિંદ કેજરીવાલે જનતાના પૈસા ખાઈને 7 સ્ટાર રિસોર્ટ બનાવ્યોઃ ભાજપા

નવી દિલ્હીઃ દિલ્હી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાન પર નિશાન સાધ્યું. તેમના કહેવા પ્રમાણે, પૂર્વ સીએમએ તેમના નિવાસસ્થાનને સેવન સ્ટાર રિસોર્ટમાં ફેરવી દીધું. બીજેપી નેતા વીરેન્દ્ર સચદેવાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર અરવિંદ કેજરીવાલના પૂર્વ નિવાસસ્થાનનો એક વીડિયો શેર કર્યો છે. […]

મમતા બેનર્જી ભાજપના એજન્ટ હોવાનો કોંગ્રેસે લગાવ્યો આરોપ

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ સંદીપ દીક્ષિતે દિલ્હીની આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) ચીફ મમતા બેનર્જી ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. એટલું જ નહીં તેમણે મમતા બેનર્જીને ભાજપાના એજન્ટ ગણાવ્યા હતા. ઈન્ડી ગઠબંધનમાં છેલ્લા કેટલાક સમયથી સબ સલામત નહીં હોવાનું ચર્ચાય રહ્યું છે. દિલ્હીમાં આગામી દિવસોમાં યોજાનારી વિધાનસભાની […]

ભાજપા દિલ્હીમાં આપના મતદારોના નામ હટાવી રહ્યાનો અરવિંદ કેજરિવાલે કર્યો આક્ષેપ

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેની તૈયારીઓ પણ રાજકીય પક્ષો દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે. કેજરીવાલે આરોપ લગાવ્યો કે દિલ્હીમાં બીજેપી ગુપ્ત રીતે વોટ કપાવી રહી છે. તેમણે કહ્યું કે છેલ્લા એક મહિનામાં […]

મહારાષ્ટ્રઃ નવી સરકારના મંત્રીમંડળમાં 43 નેતાઓને મળશે સ્થાન

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમં ભાજપાની આગેવાનીમાં મહાયુતિની જીત બાદ સીએમની પસંદગીને લઈને લંબાણપૂર્વકની ચર્ચા-વિચારણા બાદ ભાજપાના સિનિયર નેતા દેવેન્દ્ર ફડણવીસની પસંદગી કરવામાં આવી છે. તેઓ આવતીકાલે મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કરશે. નવી સરકારની કેબિનેટમાં ભાજપાના 21, શિવસેના(શિંદે)ના 12 અને એનસીપી(અજીત પવાર)ના 10 મળીને 43 જેટલા મંત્રી રહેવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. આ ઉપરાંત શિંદે અને […]

હરિયાણા અને મહારાષ્ટ્રમાં ભાજપા કવતરુ ઘડીને જીતીઃ અરવિંદ કેજરિવાલ

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના જ બાકી છે. આ પહેલા દિલ્હીમાં રાજકીય ગરમાવો તેજ બની રહ્યો છે. આ દરમિયાન દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનરે ભાજપ પર આકરા પ્રહાર કર્યો છે. એક્સ પર પોસ્ટ કરીને કેજરીવાલે ભાજપ પર લોકોના મત કાપવાનો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત હરિયાણા અને […]

દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બનશે

મુંબઈઃ ભારતીય જનતા પાર્ટી (BJP) ની કોર કમિટીની ટીમે આજે મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી માટે દેવેન્દ્ર ફડણવીસના નામને મંજૂરી આપી દીધી છે. આ પછી ધારાસભ્ય દળની બેઠકમાં ધારાસભ્યોએ ફડણવીસને તેમના નેતા તરીકે પસંદ કર્યા છે. નિરીક્ષક તરીકે મોકલવામાં આવેલા વિજય રૂપાણી અને નિર્મલા સીતારમણ ધારાસભ્ય દળની બેઠકમાં હાજર રહ્યા હતા. દેવેન્દ્ર ફડણવીસ આવતીકાલે સાંજે 5 વાગ્યે મુખ્યમંત્રી […]

દિલ્હી આજે વિશ્વની સૌથી અસુરક્ષિત રાજધાની બનીઃ અરવિંદ કેજરિવાલ

નવી દિલ્હીઃ દિલ્હી વિશ્વની સૌથી અસુરક્ષિત રાજધાની હોવાનો દાવો કરીને અરવિંદ કેજરિવાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર અને ગૃહમંત્રી અમિત શાહ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ સાબિત થયા છે. અરવિંદ કેજરીવાલે એક નકશો પણ બહાર પાડ્યો હતો જેમાં તે બતાવવાનો પ્રયાસ કર્યો હતો કે અમિત શાહના […]

કોંગ્રેસે વર્ષ 2027માં ઉત્તર પ્રદેશમાં યોજનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી

નવી દિલ્હીઃ તાજેતરમાં જ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ છે. બંને રાજ્યમાં વિજેતા બનેલી પાર્ટીઓ દ્વારા સરકાર બનાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે હવે કોંગ્રેસે વર્ષ 2027માં ઉત્તરપ્રદેશમાં યોજનારી વિધાનસભાની ચૂંટણીની અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી હોવાનું જાણવા મળે છે. આગામી વર્ષે દિલ્હી સહિતના રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેમ છતા […]

2015થી શરૂ થયો હતો બંધારણ દિવસ, આ વખતે 10મો બંધારણ દિવસ

વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે ભારત. આજે ભારતનો 10મો બંધારણ દિવસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પહેલ પર 26 નવેમ્બર, 2015 ના રોજ બંધારણ દિવસની સૌપ્રથમ ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે આપણે 26 જાન્યુઆરીએ ભારતીય બંધારણના અમલીકરણની વર્ષગાંઠને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ પરંતુ આપણું બંધારણ 26 નવેમ્બરે અપનાવવામાં આવ્યું હતું. ઈતિહાસના પાના વચ્ચે […]

ગુજરાત વિધાનસભામાં ભાજપની તાકાત વધી, વાવ બેઠક ઉપર કોંગ્રેસની હાર

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના નેતા ગેનીબેન ઠાકોરની જીત થતા તેમણે ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામુ આપ્યું હતું. જેથી ખાલી પડેલી વાવ વિધાનસભા બેઠક માટે તાજેતરમાં જ મતદાન યોજાયું હતું. દરમિયાન આજે સવારે વાવ બેઠક માટે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. આ બેઠક કોંગ્રેસે ગુમાવી છે. મતગણતરીના અંતે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર 1300 મતથી વિજ્યી થયા હતા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code