1. Home
  2. ગુજરાતી
  3. સંસદમાં ઝપાઝપીનો મામલો: ભાજપના સાંસદોને RML હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી
સંસદમાં ઝપાઝપીનો મામલો: ભાજપના સાંસદોને RML હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

સંસદમાં ઝપાઝપીનો મામલો: ભાજપના સાંસદોને RML હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

0
Social Share
  • તાજેતરમાં જ સંસદમાં થયેલી કથિત ઝપાઝપીમાં બે સાંસદ ઘાયલ
  • બંને સાંસદોને આઈસીયુમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા

નવી દિલ્હી સંસદ સંકુલમાં વિપક્ષ અને નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના સભ્યો વચ્ચે તાજેતરમાં કથિત ઝપાઝપીમાં ઘાયલ થયેલા ભારતીય જનતા પાર્ટી (BJP)ના બે સાંસદોને સોમવારે રામ મનોહર લોહિયા (RML) હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

સુત્રોના જણાવ્યા અનુસાર, ઓડિશાના પ્રતાપ સારંગી (ઉ.વ. 69) અને ઉત્તર પ્રદેશના મુકેશ રાજપૂતને 19 ડિસેમ્બરે માથામાં ઈજા સાથે સંસદમાંથી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. એક વરિષ્ઠ ડૉક્ટરે કહ્યું, “બંને સાંસદોની હાલત હવે સારી છે અને તેમને રજા આપી દેવામાં આવી છે.” તેમને આઈસીયુમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા અને શનિવારે વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.

ડોક્ટરોના જણાવ્યા અનુસાર, સારંગી હૃદયની બીમારીથી પીડિત છે અને તેનામાં સ્ટેન્ટ લગાવવામાં આવ્યો છે. આરએમએલ હોસ્પિટલના એમએસ ડૉ. શુક્લાએ અગાઉ કહ્યું હતું કે એમઆરઆઈ અને સીટી સ્કેનમાં ઈજાઓ ગંભીર જોવા મળી નથી. ડૉ. શુક્લાના જણાવ્યા અનુસાર, જ્યારે સારંગીને લાવવામાં આવ્યો ત્યારે તેના કપાળમાંથી ખૂબ લોહી વહી રહ્યું હતું.

ડૉ. શુક્લાએ કહ્યું, “તેના કપાળ પર ઊંડો ઘા હતો અને અમારે ટાંકા લેવા પડ્યા હતા.” તેમણે કહ્યું હતું કે, “રાજપૂતના માથામાં પણ ઈજા થઈ હતી, જે પછી તે બેભાન થઈ ગયા હતા. જોકે, સાંસદને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે તેઓ ભાનમાં હતા. તેમનું બ્લડ પ્રેશર ખૂબ ઊંચું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code