1. Home
  2. Tag "bsf"

સરહદે ફરી તણાવ: BSF એ સરહદ પાર મોકલેલા ઘૂસણખોરને સ્વીકારવા બાંગ્લાદેશનો ઇનકાર

શિલોંગ, 11 જૂન 2026: ભારત અને બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય સરહદ પર ઘૂસણખોરીના મુદ્દે ફરી એકવાર ભારે તણાવની સ્થિતિ સર્જાઈ છે. મેઘાલયના દક્ષિણ પશ્ચિમ ગારો હિલ્સ જિલ્લામાં આવેલા મહેન્દ્રગંજ (નંદિર ચાર સેક્ટર) ખાતે સીમા સુરક્ષા બળ (બીએસએફ) દ્વારા અટકાયતમાં લેવાયેલા એક શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકને પરત મોકલવામાં આવ્યા બાદ બંને દેશો વચ્ચે ગતિરોધ ઉભો થયો છે. સૂત્રો પાસેથી […]

જિલ્લા મેજિસ્ટ્રેટ્સે સરહદી જિલ્લાઓમાં થઈ રહેલા ડેમોગ્રાફિક ફેરફારો પર નજર રાખવી જોઈએ: અમિત શાહ

ભુજ, 30 મે 2026: કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલા ગુજરાતના સરહદી અને દરિયાકાંઠાના જિલ્લાઓ સંબંધિત સુરક્ષા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને ગુજરાતના ભુજમાં એક સુરક્ષા સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી, મુખ્ય સચિવ, ડીજીપી, ગુજરાત, તેમજ રાજ્ય સરકારના અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને […]

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે ભુજ ખાતે બોર્ડર આઉટપોસ્ટ G-7નું ઉદ્ઘાટન

દુર્ગમ ક્ષેત્રોમાં જવાનોને ઓછામાં ઓછી તકલીફ થાય અને મહત્તમ સુવિધાઓ મળે તે માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ મંત્રાલય કામ કરી રહ્યા હોવાનું જણાવતા શ્રી અમિતભાઈ શાહ દુર્ગમ વિસ્તાર અને વિષમ આબોહવામાં પણ બીએસએફએ “ફર્સ્ટ લાઈન ઓફ ડિફેન્સનું” દાયિત્વ ખૂબ જ મજબૂતાઈથી નિભાવ્યું ભુજ, 29 મે 2026 – કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ […]

બંગાળ સરકારે બાંગ્લાદેશ સરહદે ફેન્સિંગ માટે બીએસએફને 27 કિમી જમીન સોંપી

મુર્શિદાબાદ અને માલદા સરહદે કિલ્લાબંધી મજબૂત કરાશે 18 કિમીમાં કાંટાળા તારની વાડ અને 9 કિમીમાં BSF ચોકીઓ બનશે કોલકાતા, 21 મે 2026: સરહદી સુરક્ષા અને ગેરકાયદે ઘૂસણખોરી રોકવા તરફ એક મોટું કદમ ઉઠાવતા પશ્ચિમ બંગાળ સરકારે ભારત-બાંગ્લાદેશ સરહદ પર કાંટાળા તારની વાડ (ફેન્સિંગ) લગાવવા માટે સરહદ સુરક્ષા દળ (બીએસએફ)ને 27 કિલોમીટર જમીન સોંપી દીધી છે. […]

બંગાળ સરહદ ઉપર તાર ફેંસિંગ માટે BSF ને જમીન અપાશે, શુભેન્દુ અધિકારી સરકારનો નિર્ણય

કોલકાતા, 11 મે 2026: પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન બાદ મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીની અધ્યક્ષતામાં પ્રથમ કેબિનેટ બેઠક યોજાઈ હતી. ‘નવાન્ન’ (સચિવાલય) ખાતે મળેલી આ બેઠકમાં પ્રશાસનિક સુધારા, સીમા સુરક્ષા અને લોકકલ્યાણકારી યોજનાઓને લઈને અનેક ક્રાંતિકારી નિર્ણયો લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે હવે રાજ્યમાં ‘સુશાસન, સુરક્ષા અને વિકાસ’નો નવો યુગ શરૂ થયો છે. રાજ્યના બેરોજગાર […]

Video: પંજાબમાં એક જ રાતમાં બે સ્થળે બોંબ વિસ્ફોટ, આતંકી કાવતરાની તપાસ

ચંદીગઢ, 6 મે, 2026 – પંજાબમાં એક જ રાતમાં બે સ્થળે બોંબ વિસ્ફોટ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ વિસ્ફોટો પાછળ કોઈ આતંકી કાવતરું છે કે કેમ તેની તપાસ સલામતી એજન્સીઓ દ્વારા શરૂ કરવામાં આવી છે. પંજાબમાં જલંધર અને અમૃતસરમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના ઠેકાણાઓ પાસે એક પછી એક બે ધડાકા થયા. એક ધડાકો […]

નક્સલવાદની જેમ મણિપુરમાંથી ઉગ્રવાદના સફાયા માટે બનાવાયો એક્શન પ્લાન

નવી દિલ્હી, 22 એપ્રિલ 2026: નક્સલવાદ ઉપર કાબુ મેળવ્યા બાદ હવે કેન્દ્ર સરકાર મણિપુરમાં ઉગ્રવાદને ખતમ કરવાની દિશામાં આગળ વધી રહી છે. નક્સલગ્રસ્ત રાજ્યોની જેમ જ હવે મણિપુરમાં ઉગ્રવાદી ગ્રુપોની ઘેરાબંધી કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ માટે રાજ્યમાં તૈનાત સુરક્ષા દળોની સંખ્યામાં વધારો કરવામાં આવશે. સીઆરપીએફને મોટી જવાબદારી સોંપવામાં આવે તેવી શકયતા છે. […]

પાકિસ્તાનનું ષડયંત્ર: પંજાબમાં આતંક ફેલાવવા સેનાના હેન્ડ ગ્રેનેડ મોકલાયાં

ચંદીગઢ, 9 એપ્રિલ 2026: પંજાબમાં દહેશત ફેલાવવા માટે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ હવે સીધી રીતે પાકિસ્તાની સેનાના હથિયારોનો ઉપયોગ કરી રહી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પંજાબ પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે, સીમા પારથી જે હેન્ડ ગ્રેનેડ મોકલવામાં આવી રહ્યા છે, તે ચીની બનાવટના નહીં પરંતુ પાકિસ્તાની સેના માટે આયુધ ફેક્ટરી (POF) માં તૈયાર […]

રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન રાવ સરહદી ગામોની સુરક્ષા સમીક્ષા માટે કચ્છ જશે

ભુજમાં હાઈ-લેવલ ક્રાઈમ કોન્ફરન્સ યોજાશે; સેના, BSF અને કોસ્ટ ગાર્ડના ઉચ્ચ અધિકારીઓ સાથે સુરક્ષા મંથન જખૌ અને પિંગલેશ્વર જેવા સંવેદનશીલ દરિયાઈ વિસ્તારોની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે ગાંધીનગર, 19 ફેબ્રુઆરી, 2026 – State Police Chief Dr. K.L.N. Rao રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન રાવ આગામી તા.૨૧ અને ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન કચ્છ જિલ્લાના સરહદી ગામોની […]

જમ્મુ-કાશ્મીરઃ સરહદ પાસેથી પાકિસ્તાની ડ્રોન મારફતે આવેલો હેરોઈનનો જથ્થો ઝડપાયો, 2ની ધરપકડ

નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી 2026: ભારતીય સરહદ ઉપર પાકિસ્તાન દ્વારા અવરચંડાઈ કરવામાં આવે છે. પાકિસ્તાની આતંકવાદીઓની ઘુસણખોરીનો પ્રયાસ તથા ડ્રોન મારફતે હથિયારો અને નશીલા દ્રવ્યો મોકલવાના બનાવો અવાર-નવાર સામે આવે છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર ભીરતીય સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાન તરફથી ડ્રોન મારફતે નશીલા દ્રવ્યો મોકલવાના કાવતરાનો પર્દાફાશ કર્યો છે. બે દિવસના સમયગાળામાં ડ્રોન મારફતે ફેંકવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code