મોદી કેબિનેટનો નિર્ણય: ઓડિશા અને ઝારખંડમાં રેલવે કનેક્ટિવિટી વધારવા બે પ્રોજેક્ટ્સને મંજૂરી
નવી દિલ્હી, 15 જુલાઈ 2026: દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રેલવે કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવાના હેતુથી કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ રેલવે મંત્રાલય હેઠળના રૂ. 3,907 કરોડના કુલ અંદાજિત ખર્ચ ધરાવતા 2 મહત્વકાંક્ષી મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ્સને લીલી ઝંડી આપી દીધી છે. ઓડિશા અને ઝારખંડના 4 મહત્વના જિલ્લાઓને […]


