ભારતમાં નિષ્ણાંતોએ કોવિશીલ્ડ રસીને આપી ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી
નવી દિલ્લી: દુનિયાના કેટલાક દેશોમાં કેટલીક ખાનગી કંપની દ્વારા બનાવવામાં આવેલી કરોનાવાયરસની રસીને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દેવામાં આવી છે ત્યારે ભારતમાં પણ નિષ્ણાંતોએ કોવિશીલ્ડ વેક્સિનને મંજૂરી આપી છે. ભારત સરકારે નિમેલી નિષ્ણાત સમિતિએ પુણેસ્થિત સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાના સહયોગમાં બનાવવામાં આવેલી કોરોના રસી ‘કોવિશીલ્ડ’ના ઈમરજન્સી ઉપયોગને આજે મંજૂરી આપી દીધી છે. […]


