ભારતમાં નિષ્ણાંતોએ કોવિશીલ્ડ રસીને આપી ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી
નવી દિલ્લી: દુનિયાના કેટલાક દેશોમાં કેટલીક ખાનગી કંપની દ્વારા બનાવવામાં આવેલી કરોનાવાયરસની રસીને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દેવામાં આવી છે ત્યારે ભારતમાં પણ નિષ્ણાંતોએ કોવિશીલ્ડ વેક્સિનને મંજૂરી આપી છે.
ભારત સરકારે નિમેલી નિષ્ણાત સમિતિએ પુણેસ્થિત સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાના સહયોગમાં બનાવવામાં આવેલી કોરોના રસી ‘કોવિશીલ્ડ’ના ઈમરજન્સી ઉપયોગને આજે મંજૂરી આપી દીધી છે. જોકે એ માટે અમુક શરતો રાખી છે. હવે આ રસીને દેશની ડ્રગ્સ રેગ્યૂલેટર એજન્સી ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ)ને મોકલવામાં આવશે.
સમિતિએ ઈમરજન્સી યૂઝ ઓથોરાઈઝેશનની તરફેણમાં ભલામણ કરી છે. ભારત બાયોએનટેક અને ફાઈઝર કંપનીઓએ પણ એમણે બનાવેલી કોરોના વાઈરસની રસીઓ માટે ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માગી છે. ભારત બાયોએનટેક અને ફાઈઝર કંપનીઓએ પણ એમણે બનાવેલી કોરોના વાઈરસની રસીઓ માટે ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માગી છે.
જો કે ભારતમાં અત્યાર સુધી કોરોનાવાયરસના કેસનો આંકડો 1 કરોડને પાર થઈ ગયો છે અને મોટા પ્રમાણમાં લોકો કોરોનાવાયરસથી સ્વસ્થ પણ થઈ રહ્યા છે જે દેશવાસીઓ માટે તથા સરકાર માટે પણ રાહતના સમાચાર છે. ભારત સરકારે કોરોનાવાયરસથી લોકોને બચાવવા માટે તમામ પ્રકારના પગલા લીધા છે અને ગાઈડલાઈન જાહેર કરી છે. થોડા દિવસ પહેલા કેટલાક રાજ્યોમાં કોરોનાવાયરસની વેક્સિનેશન શરૂ થતા પહેલા ડ્રાયરન પણ કરવામાં આવ્યો હતો.