1. Home
  2. Tag "celebration"

લુણાવાડાના 591મા સ્થાપના દિવસ ઉજવણી, નગરદેવતા લૂણેશ્વરદાદાની કૃપાથી લુણાવાડા નગરનો પાયો નાંખ્યો હતો

અમદાવાદઃ વૈશાખ સુદ ત્રીજ અખાત્રીજ ઐતિહાસિક નગર લુણાવાડાના 591મા સ્થાપના દિવસ પ્રસંગ નિમિત્તે લુણેશ્વર મંદિરમાં મહીસાગર જિલ્લા કલેકટરે તેમના પરિવાર સાથે પૂજા અર્ચના કરી. શહેરના સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. ઇ.સ.1434ના રોજ મહારાજા ભીમસિંહજીએ લૂણનાથબાબાની પ્રેરણા અને નગરદેવતા લૂણેશ્વરદાદાની કૃપાથી લાવણ્યપુરી લુણાવાડા નગરનો પાયો નાંખ્યો હતો. આજે નગરનો 591મો સ્થાપના દિવસની અનેરા આનંદ સાથે […]

રામનગરીમાં હનુમાન જ્યંતિની ધાર્મિક માહોલમાં ઉજવણી, હનુમાનગઢીમાં ભક્તોની લાંબી લાઈનો લાગી

અયોધ્યાઃ ચૈત્ર પૂર્ણિમાના અવસર પર મંગળવારે રામનગરી અયોધ્યામાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. મોટી સંખ્યામાં ભક્તોએ પવિત્ર સલીલા સરયુમાં સ્નાન કરી પ્રાર્થના કરી હતી. રામલલા, કનક ભવન સહિત હનુમાનગઢીમાં દર્શન માટે ભક્તોની લાંબી લાઈનો લાગી હતી. હનુમાન જ્યંતિ પ્રસંગ્રે સમગ્ર અયોધ્યાનગરી ‘જય શ્રી રામ’, ‘જય બજરંગ બલી’ના નાગથી ગુંજી ઉઠી હતી. હનુમાન જ્યંતિ નિમિત્તે વહીવટીતંત્ર […]

સોમનાથ મંદિરમાં ફાગણ માસની માસિક શિવરાત્રીની ભક્તિમય ઉજવણી

અમદાવાદઃ પ્રથમ જ્યોતિર્લંગ સોમનાથ મંદિર પ્રતિ માસની કૃષ્ણ ત્રયોદશી પર ઉજવાતી માસિક શિવરાત્રી એક અનેરૂ આકર્ષણ છે. દરેક માસની માસિક શિવરાત્રી પર મહાદેવના દર્શન કરવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુ સોમનાથ પહોંચે છે. ત્યારે આજરોજ પ્રણાલિકા અનુસાર ફાગણ માસની માસિક શિવરાત્રિ પર શ્રી સોમનાથ મંદિર સમીપ યજ્ઞશાળામાં ટ્રસ્ટના સચિવશ્રી યોગેન્દ્ર દેસાઈ સહિત ટ્રસ્ટ પરિવાર દ્વારા શાસ્ત્રોકત […]

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી પાછળનું જાણો કારણ…

ભારતીય સંસ્કૃતિ અનુસાર મહિલાઓને પૂજનીય માનવામાં આવે છે. બીજી તરફ દુનિયામાં તમામ ક્ષેત્રોમાં મહિલાઓએ પોતાની આગવી જગ્યા બનાવી છે. દર વર્ષ 8મી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેમજ આ દિવસે વિવિધ ક્ષેત્રોમાં પોતાનું યોગદાન આપનારી નારીશક્તિનું સન્માન પણ કરવામાં આવે છે. પરંતુ 8મી માર્ચના રોજ કેમ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે […]

ગુજરાતમાં શુક્રવારે ધાર્મિક માહોલમાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરાશે

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં શુક્રવારે હર હર મહાદેવના ગગનભેદી નાદ સાથે મહાશિવરાત્રી પર્વની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવશે. વિવિધ શિવાલયોમાં સવારથી ભક્તોની લાંબી લાઈનો લાગશે. તેમજ અલગ-અલગ સ્થળો ઉપર વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શુક્રવારે સમગ્ર ગુજરાત શિવમય  બની જશે. જૂનાગઢમાં શુક્રવારે મધ્ય રાત્રે સાધુ-સંતોની રવાડી યોજાશે અને શાહીસ્નાન યોજાશે. હાલ જૂનાગઢના મહાશિવરાત્રી મેળામાં […]

દેશમાં આજે વસંત પંચમીની ધાર્મિક માહોલમાં ઉજવણી

નવી દિલ્હીઃ દેશના વિવિધ ભાગોમાં આજે વસંત પંચમીની ભક્તિ, આસ્થા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. માઘ શુક્લ પંચમીના આ અવસરે જ્ઞાન, બુદ્ધિ અને જ્ઞાનની દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વસંત પંચમીના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે માઘ માસની પંચમીના […]

ગુજરાતમાં લોકોમાં જાગૃતિ માટે પ્રાણી કલ્યાણ પખવાડિયાની ઊજવણીનો પ્રારંભ

ગાંધીનગરઃ રાજ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.14 થી 31 જાન્યુઆરી-2024 સુધી પ્રાણી કલ્યાણ પખવાડીયાની ઉજવણીનો પ્રારંભ કરાયો છે. જે અંતર્ગત રાજ્યભરમાં અબોલ પ્રાણીઓના કલ્યાણને લગતા તથા તેમના પ્રત્યે પ્રેમ વધે તે સંલગ્ન વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે તેમ ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડની યાદીમાં જણાવાયું છે. યાદીમાં વધુમાં જણાવ્યાનુંસાર ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડનો […]

‘વર્લ્ડ બ્રેઈલ ડે’, લુઈ બ્રેઈલના યોગદાનને સમ્માન આપવા બ્રેઈલ ડેની ઊજવણી

નવી દિલ્હીઃ આજે ‘વર્લ્ડ બ્રેઈલ ડે’ ઊજવવામાં આવી રહ્યો છે. બ્રેઈલ લિપિના આવિષ્કારક લુઈ બ્રેઈલના જન્મદિવસના ભાગરૂપે ‘વર્લ્ડ બ્રેઈલ ડે’ ઊજવવામાં આવે છે. લુઈ બ્રેઈલનો જન્મ વર્ષ 1809માં થયો હતો. સંયુક્ત રાષ્ટ્રએ શિક્ષા, સંચાર અને સામાજિક સમાવેશના ક્ષેત્રમાં લુઈ બ્રેઈલના યોગદાનને સમ્માન આપવા માટે દર વર્ષે 4 જાન્યુઆરીના રોજ ‘વર્લ્ડ બ્રેઈલ ડે’ ઊજવવાનો નિર્ણય કરવામાં […]

PM નરેન્દ્ર મોદીના ગુડ ગવર્નન્સના મંત્રએ ભારતને વૈશ્વિક ઓળખ અપાવી છેઃ મુખ્યમંત્રી

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી નિવાસ સ્થાને  પૂર્વ વડાપ્રધાન  અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે ગુડ ગવર્નન્સ ડે–2023 આયોજિત કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુડ ગવર્નન્સના મંત્રને ચરિતાર્થ કરી ગુજરાત અને દેશને વૈશ્વિક ઓળખ અપાવી છે. તેમના છેલ્લા 20 વર્ષથી વધુના કાર્યકાળમાં આગ વધી રહેલી વિકાસયાત્રાના પાયામાં જનકલ્યાણ અને સુસાશનની વિશેષ ભૂમિકા છે. મુખ્યમંત્રીએ […]

અમેરિકા, કેનેડા, ઓસ્ટેલિયા સહિત વિદેશમાં ભારતીય પરિવારો દ્વારા 77માં સ્વાતંત્ર્ય પર્વની કરાઈ ઊજવણી

ન્યુજર્સીઃ ભારતના 77માં સ્વાતંત્ર્ય પર્વની અમેરિકા, કેનેડા, ઓસ્ટેલિયા, અને આરબ અમિરાત સહિતના દેશોમાં ઈન્ડિયન એમ્બેસી તથા ભારતીયો દ્વારા ઉત્સાહ અને ઉમંગથી ઉજવણી કરવામાં આવી હતી. વિદેશમાં વસવાટ કરતા ભારતીયોએ પોતાના મોબાઈલમાં તિરંગા સાથે સેલ્ફી લઈને મોબાઈલ ફોનમાં અપલોડ કરી હતી. ઓસ્ટેલિયાના પર્થ શહેરમાં, કેનેડાના ટોરન્ટો- ઓટાવામાં ભરતિયા હાઈ કમિશન દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ખાસ ઊજવણી કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code